Tag Archives: Narendra Modi

નરેન્દ્ર મોદી હજુ વડાપ્રધાન પદ માટે સર્વશ્રેષ્ઠ ઉમેદવાર

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૯

વડાપ્રધાન નરેન્દ્ર મોદીહજુ પણ વડાપ્રધાનપદના દેશના સર્વશ્રેષ્ઠ ઉમેદવાર તરીકે રહ્યા છે. જો કે કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી હવે મોદી માટે શક્તિશાળી હરિફ તરીકે ઉભરી રહ્યા છે. હાલમાં જ કરવામાં આવેલા નવા ઓપિનિયન પોલમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આજે જ ચૂંટણી યોજાઇ જાય તો ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ૨૮૬ બેઠકો મળી શકે છે. બીજી બાજુ એનડીએની મત હિસ્સેદારીમાં કોઇ ફેરફારની સ્થિતી રહેતી નથી. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે અસહિષ્ણુતા દેશમાં ચોક્કસ પણે વધી છે. આ વાત સ્વીકાર કરનાર લોકોની સંખ્યા ૪૦ ટકા જેટલી રહી છે. દેશના લોકોને જે મોટા વિષય સતાવી રહ્યા છે તે પૈકી ૩૪ ટકા લોકો મોંઘવારીને મુખ્ય તકલીફ તરીકે ગણ ેછે. જ્યારે બીજા ૩૪ ટકા લોકો કહે છે કે ભ્રષ્ટાચાર પણ મોટા કારણ તરીકે છે. જ્યારે સાત સાત ટકા લોકો માને છે કે અર્થતંત્ર અને ત્રાસવાદની સમસ્યા પણ દેશની સામે છે. મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ અચ્છે દિન આવ્યા છે કે કેમ તે અંગે પુછવામાં આવતા ૪૦ ટકા લોકોએ કહ્યુ છે કે ચોક્કસપણે અચ્છે દિન આવ્યા છે. જ્યારે ૩૧ ટકા લોકો અચ્છે દિન આવ્યા છે તેમ માનતા નથી. ૨૨ટકા લોકો એમ પણ કહે છે કે સ્થિતી પહેલા જેવી જ રહી છે. કોઇ ખાસ સુધારો થયો હતો. હાલમાં મોદી સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા જુદા જુદા મુદ્દાને લઇને થઇ રહી છે. જો કે મોંઘવારીની સમસ્યા તમામ લોકોને નડી રહી છે. મોદી સરકાર મોંઘવારી પર બ્રેક મુકે તેમ તમામ લોકો ઇચ્છે છે. સાથે સાથે ત્રાસવાદની ગતિવિધી પર બ્રેક મુકવામાં આવે તેમ પણ તમામ લોકો ઇચ્છે છે.

 

રાહુલ રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપે છે ઃ અમિત શાહનો દાવો

 

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના બનાવને લઇને રાજકીય ગરમી વધી રહી છે. જેએનયુ મુદ્દે આજે કોંગ્રેસની જોરદાર ઝાટકણી કાઢતા ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી રાષ્ટ્ર વિરોધી તત્વોને ટેકો આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી કેટલી હદે ભાંગી પડી છે કે હવે રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપવાની ફરજ પડી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશીપ હેઠળ કેન્દ્રમાં રહેલી સરકાર એક પછી એક સફળતા મેળવી રહી છે ત્યારે સફળતાના લાભ મેળવવાના બદલે બિનજરૃરી આક્ષેપબાજીમાં કોંગ્રેસ પાર્ટી વ્યસ્ત છે અને હવે રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપવામાં પણ આગળ આવીરહ્યા છે.

કોંગ્રસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ દેશ સમક્ષ માફી માંગવી જોઇએ અને આ મુદ્દે પાર્ટીનું વલણ શું છે તે અંગે સ્પષ્ટતા કરવી જોઇએ. કોંગ્રેસ લીડરશીપ ઉપર તેજાબી પ્રહારો કરતા અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના ઉપપ્રમુખ આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યા છે. રાષ્ટ્ર વિરોધી તત્વો વચ્ચે પણ હવે તેઓ ભેદ કરી શકતા નથી. કેન્દ્ર સામે લડવામાં નિષ્ફળ રહેલા રાહુલ હવે બિનજરૃરી મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. દેશમાં અલગતાવાદીઓને ટેકો આપવાની કેમ ફરજ પડી રહી છે. દેશના બીજા ભાગલાની દિશામાં પ્રયાસો રાહુલ દ્વારા કરાઈ રહ્યા છે.

જેએનયુમાં જે કંઇપણ બન્યું છે તેને રાષ્ટ્ર તરફી ગણી શકાય નહીં. યુનિવર્સિટીમાં રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેને ભારતીયો ક્યારે પણ સ્વીકારી શકે નહીં. કોંગ્રેસ પાર્ટીનું આ મુદ્દે વલણ શું છે તે સ્પષ્ટ થવું જોઇએ. ભાજપ પ્રમુખે રાહુલ ઉપર વધુ પ્રહારો કરતા કહ્યું છે કે, જ્યારે એક પ્રતિષ્ઠિત સંસ્થા અલગતાવાદીઓ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ માટે હબ બને ત્યારે કેન્દ્ર સરકાર મૌન રહે તેમ રાહુલ ઇચ્છે છે. અમિત શાહે રાહુલ ગાંધી ઉપર તેજાબી પ્રહારો કરતા જેએનયુમાં હાલમાં બનેલી ઘટનાઓની સરખામણીમાં નાઝીગાળામાં જર્મનીમાં થયેલી ઘટનાઓ સાથે કરી હતી અને કહ્યું હતું કે, જો કોઇ વ્યક્તિ એડોલ્ફ હિટલરની વિચારધારાને અપનાવે છે તો તે કોંગ્રેસ પાર્ટી છે. રાહુલ ગાંધી આજના ભારતની સરખામણી હિટલરના જર્મની સાથે કરે છે. હિટલરની વિચારધારા માત્ર કોંગ્રેસના ડીએનએમાં જ રહેલી છે. અફઝલ ગુરુના સમર્થકોને ટેકો આપીને રાહુલ ગાંધી કયા પ્રકારની દેશભક્તિ દર્શાવી રહ્યા છે તે અંગે ખુલાસો કરવો જોઇએ. રાહુલે દેશની માફી માંગવી જોઇએ. કોંગ્રેસ ઉપપ્રમુખે અગાઉ એનડીએ સરકાર પર પ્રહારો કર્યા હતા.