અનશનમાં જોડાવવા માટે અણ્ણાએ ઘણી શરત મુકી
અણ્ણા હજારેની શરતોથી રામદેવ કેમ્પની મુશ્કેલી વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા. ૨૭
વરિષ્ઠ ગાંધીવાદી લીડર અને સામાજિક કાર્યકર અણ્ણા હાજારે આજે કહ્યું હતુ કે પોતાના અનશનમાં યોગ ગુરુ બાબા રામદેવને સામેલ કરવાના મામલે તેઓએ કેટલીક સર્તો તેમની સમક્ષ મુકી દીધી છે. બાબા રામદેવ અનશનમાં સામેલ થવાની વાત કરી ચુક્યા છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં દિલ્હીના જંતરમંતર પર અનશન ઉપર બેસી ગયેલા ગાંધીવાદી અણ્ણા હજારેએ મંચ પર યોગ ગુરુ બાબા રામેદેવનું સ્વાગત કર્યું હતું. અણ્ણા હજારે ૧૬મી ઓગસ્ટથી ફરી એક વાર અનશન પર જવાની જાહેરાત કરી ચુક્યા છે. મહાષ્ટ્રમાં ગઇ કાલે મોડી રાત્રે અણ્ણા હજારે કહ્યું હતું કે બાબા રામદેવે તેમની સાથે અનશન પર બેસવાની ઇચ્છા વ્યક્ત કરી છે. પરંતુ તેઓએ તેમની સમક્ષ કેટલીક સર્તો મુકી દીધી છે.
આ સર્તો મામલે બાબા રામદેવ વિચારણા કરીને જવાબ આપશે. અણ્ણા હજારેના નેતૃત્વમાં સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ પૈકીના એક સભ્યએ કહ્યું છે કે, આ પ્રથમ પ્રસગ છે જયારે અણ્ણા હજારે આ પ્રકારની વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે બાબા રામદેવ સાથે કેટલાક નિશ્ચિત મુદ્દાઓ પર વાત કરવામાં આવ્યા બાદ અનશનમાં સામેલ કરવાના મુદ્દે સ્વાગત કરાશે.
સરકાર અને સિવિલ સોસાયટીની જોઇન્ટ ગ્રાફટીંગ કમિટીની મિટીંગમાં લોકપાલ મામલે નિષ્ફળતા મળ્યા પછી સરકાર સાથે અણ્ણા હજારેની ખેચતાણ ચાલી રહી છે. અણ્ણા જંતરમંતર ઉપર ૧૬મી ઓગસ્ટના દિવસે આંદોલન કરવાની જાહેર કરી ચુક્યા છે.