સનસનાટીપૂર્ણ કેસનો ભેદ ઉકેલાયો હોવાનો દાવો

ડે હત્યા કેસ : ૭ શખ્સોની અટકાયત, મોટી સફળતા

ઝડપાઇ ગયેલા ૭ શખ્સો પૈકી તમિલનાડુમાંથી ત્રણની, સોલાપુરમાંથી એકની અને મુંબઈમાંથી ત્રણની ધરપકડ

(સંપૂર્ણ સમાચાર સેવા)

મુંબઈ,તા. ૨૭

ક્રાઇમ રિપોર્ટર જયોતિર મોય ડેની ઘાતકી હત્યાના ૧૬ દિવસ બાદ મુંબઈ પોલીસની ક્રાઇમબ્રાન્ચની ટીમે આ સનસનાટીપૂર્ણ હત્યા કેસનો ભેદ ઉકેલી લીધો હોવાનો દાવો કર્યો છે. મુંબઈ પોલીસની ક્રાઇમબ્રાન્ચની ટીમે ૭ શખ્સોની અટકાયત કરી છે. ગૃહપ્રધાન આરઆર પાટીલે વિગત આપતા જણાવ્યું છે કે તમિલનાડુમાં રામેશ્વરંમથી ત્રણ શખ્સોની ધરપકડ કરાઇ છે. જયારે સોલાપુરથી એક શખ્સની ધરપકડ કરાઇ છે. જયારે મુંબઈમાંથી ત્રણ શખ્સોની ધરપકડ કરાઇ છે. પાટીલે વધુમાં કહ્યું છે કે ઝડપાયેલા તમામ સાતેય શખ્સો મહારાષ્ટ્રના છે. ઝડપાયેલા શખ્સોની આકરી પુછપરછ કરવામાં આવી રહી છે. મુંબઈ પોલીસ કમિશનર અને જોઇન્ટ કમિશનર ઓફ પોલીસે આ ઘટનાક્રમ અંગે તેમને માહિતી આપી હોવાનો દાવો પાટીલે આજે સવારે કર્યો હતો તેમેણે કહ્યું હતું કે આરોપીઓ પૈકી બે ઓળખ સતીશ કાલિયા અને અનિલ વાઘમોેડે તરીકે કરવામાં આવી છે. પાટીલે એમ કહ્યું છે કે આ શાનદાર કામગિરી બદલ મુંબઈ ક્રાઇમબ્રાન્ચની ટીમ માટે ૧૦ લાખનું ઇમાન તેઓ જાહેર કરી રહ્યા છે. આ કેસને ઉકેલવામાં ક્રાઇમબ્રાન્ચે શાનદાર કામગિરી અદા કરી છે. પોલીસ સુત્રોએ કહ્યું છે કે આ બનાવમાં અંડરવર્લડની સાઠગાઠ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ આ મામલાની ચકાસણી કરી રહી છે. દરમિયાન તમામ શખ્સોને કિલા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કિલા કોર્ટે તમામને ચોથી જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ ઉપર મોકલી દીધા હતા. ૫૬ વર્ષીય જે.ડે.અંગ્રેજી ટેબ્લોઇટ મિડડેમાં કામ કરતા હતા. ડેની ૧૧મી જુનના દિવસે ઉપ નગરરિય પવાઇ વિસ્તારમાં મોટરસાઇકલ ઉપર આવેલા ૪ હુમલાખોરે અંધાધુન ગોળીબાર કરીને હત્યા કરી દીધી હતી. ડે ઉપર અતિ નજીકથી ગોળીબાર કરવામા આવ્યો હતો. તેમને પાંચ ગોળીઓ વાગી હતી. પીઢ પત્રકારની ઘાતકી હત્યા બાદ સમગ્ર મુંબઈમાં ભારે સનસનાટી મચી ગઇ હતી. પોલીસ તમામ રીતે આ કેસમાં તપાસ કરી રહી હતી. પોલીસે ડેના લેપટોપ અને હાર્ડડિસ્કમાં પણ તપાસ કરી હતી. આમા તપાસ કરવામાં આવ્યા બાદ આ સનસનાટીપૂર્ણ હત્યામાં કેટલીક નક્કર કડી હાથ લાગી હતી. આ મામલામાં પત્રકારોએ સીબીઆઇ તપાસની માંગણી કરી હતી. પરંતુ મહારાષ્ટ્ર સરકારે સીબીઆઇ તપાસનો ઇન્કાર કર્યો હતો. મુંબઈ હાઇકોર્ટે તાજેતરમાં જ ડેની હત્યાના મામલામાં તપાસની પ્રગતિ અંગે છઠ્ઠી જુલાઇ સુધી અહેવાલ આપવા પોલીસને આદેશ આપ્યો હતો.

ધરપકડની સાથે સાથે..

(સંપૂર્ણ સમાચાર સેવા)                                       મુંબઈ,તા. ૨૭

ક્રાઇમ રિપોર્ટરની હત્યાના ૧૬ દિવસ બાદ હત્યા કેસને ઉકેલી લીધો હોવાનો મુંબઈ ક્રાઇમબ્રાન્ચનો દાવો

સાત શખ્સોની ધરપકડ કરવામાં સફળતા

ગૃહપ્રધાન આરઆર પાટીલે સફળતા મેળવી હોવાનો દાવો કર્યો.

તમિલનાડુમાંથી ત્રણની, સોલાપુરમાંથી એકની અને મુંબઈમાંથી ત્રણની ધરપકડ કરાઇ.

તમામ સાતેય શખ્સો મહારાષ્ટ્રના હોવાનો ખુલાશો

સફળતા બદલ મુંબઇ ક્રાઇમબ્રાન્ચ માટે ૧૦ લાખના ઇનામની જાહેરાત

અંડરવર્લ્ડ સાથે સાઠગાઠ હોવાની બાબત સપાટીએ

તમામ આરોપીઓને ૪ જુલાઇ સુધી રિમાન્ડ પર લેવાયા

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope