રાઈટ ઇશ્યૂ સબસ્ક્રિપ્શનનો સરકારનો ઇન્કાર

એસબીઆઈ ફંડ એકત્રિત કરવાના વિકલ્પો ચકાસશે

બોન્ડ જારી કરીને ૧૫૦૦૦ કરોડ ઉભા કરવાની દેશની સૌથી મોટી બેંક એસબીઆઈની વિધિવત તૈયારી શરૂ

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૨૭

દેશની સૌથી મોટી ધીરાણ આપતી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(એસબીઆઈ) તેની ગ્રોથ વ્યૂહરચનાને આગળ વધારવાના હેતુસર વર્તમાન નાણાંકીય વર્ષ દરમિયાન બોન્ડ જારી કરીને ૧૫૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના ધરાવે છે. એક બાજુ સરકાર પણ કેટલાક મામલે કઠોર વલણ અપનાવી રહી છે. સરકારે રાઈટ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટેનો ઇન્કાર કર્યા બાદ આ હિલચાલ હાથ ધરાઈ છે. બેંકના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે તેઓને આશા છે કે કેન્દ્રસરકાર વલણને હળવુ કરીને આંશિક રાહત આપશે. સરકાર પોતે એસબીઆઈના ૨૦૦૦૦ કરોડના રાઈટ ઇશ્યૂને સબસ્ક્રાઇબ કરવાના મામલે મુશ્કેલી અનુભવી રહી છે. અધિકારીઓનું કહેવુ છે કે ર્આિથક બાબતોના સેક્રેટરી જી ગોપાલને નોર્થ બ્લોકમાં આગળ વધતા પહેલા નવી ફંડીંગ પદ્ધતિ પર વિચારણા હાથ ધરી છે.

આગામી થોડાક મહિનાઓમાં સરકાર આવી કોઈ યોજના અમલી બનાવી શકાય છે કે કેમ તેને લઈને કોઈ નિર્ણય કરશે. મહેસૂલી દબાણનું કારણ આપીને સરકાર એસબીઆઈ મામલે પણ મજબુત વલણ અપનાવી રહી છે. આશરે ત્રણ વર્ષ સુધી સરકારી બેંકો બિઝનેસમાં ૨૫-૩૦ ટકા ગ્રોથને આગળ વધારવા સરકાર પાસેથી વધારાની મૂડી માંગે તેવી શક્યતા છે. મુંબઈમાં બેંકના કારોબારી અધિકારીઓ પૈકીના કેટલાકે એવો મત આપ્યો છે કે વર્તમાન સમયમાં ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવાની બાબત સરળ નથી. બેંક ફોલો ઓન ઇશ્યૂનો વિકલ્પ પણ ઉપયોગ કરી શકે છે જેના મારફતે સરકાર આઠ ટકા હિસ્સેદારી કાઢી શકે છે અને ઇક્વિટીની રકમ ઉભી કરવા એસબીઆઈને મદદરૂપ થઈ શકે છે. હાલમાં સરકાર એસબીઆઈમાં ૫૯.૪ ટકા હિસ્સેદારી ધરાવે છે. પરંતુ કાયદાની જોગવાઈમાં સરકારને ૫૧ ટકાથી ઓછી તેની હિસ્સેદારી કરવાથી રોકવામાં આવે છે. એસબીઆઈ આવનાર સમયમાં વધુ જંગી રકમ માંગે તેવી શક્યતા છે. આરબીઆઈના ધારાધોરણો પણ આ સંબંધમાં નક્કી કરવામાં આવેલા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ મુજબનો અહેવાલ આવ્યા બાદ આ મામલે નવી હિલચાલ હાથ ધરાઈ છે. 

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope