સચિને કાર વેચી દીધા બાદ રકમ ચેરિટીમાં કેમ આપી નથી તેવા પ્રશ્નો ઉઠ્યા : ચાહકોની નજરોમાં પ્રતિષ્ઠા બગડી
(સપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા. ૨૫
મહાન ખેલાડી ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યા બાદ ભેટ તરીકે મળેલી કિંમત ફેરારી કાર સચિન તેન્ડુલકરે વેચી દીધા બાદ ક્રિકેટ ચાહકો ભારે નારાજ દેખાઈ રહ્યા છે. ભેટમાં મળેલી સુપરકાર સચિને વેચી મારતા સચિન હવે લોકોની નજરોમાં ઉતરી ગયો છે. મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ સોશિયલ નેટવર્કીંગ સાઈટ ટિ્વટર ઉપર લખ્યુ છે કે જયારે સચિનને ભેટમાં ફેરારી કાર મળી હતી ત્યારે તે ઇચ્છતા હતા કે તેમાં ડ્યુટી અને એક્સાઈઝ માં રાહત મળે. પરંતુ હવે આ કાર વેચી દીધી છે. હવે સચિન કેપિટલ ગેઇન ટેક્સમાંથી રાહત માંગશે કે કેમ વર્ષ ૨૦૦૨માં વિવાદાસ્પદ સ્થિતિમાં સચિન ફરારી ૩૬૦ ઘરમાં લાવ્યો હતો.
સચિને જયારે ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડોન બ્રેડમેનના ૨૯ ટેસ્ટ સદીના રેકોર્ડની બરોબરી કરી ત્યારે ફેરારીના ઇટાલિયન માલિક ફિએટે તેન્ડુલકરને આ કાર આપી હતી. જયારે સરકારે તેન્ડુલકરને ૧.૧ કરોડ રૂપિયાની આયાત ડ્યુટીથી રાહત આપવાની વાત કરી ત્યારે હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ આ રકમ ફિએટ ચુકવવા તૈયાર થઈ હતી. સોશિયલ નેટવર્કીંગ સાઈટમાં જુદીજુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. સચિને ભેટમાં મળેલી કાર વેચી દીધા બાદ આ રકમ ચેરીટીમાં કેમ આપી નથી. શોભા ડેએ પણ કહ્યુ છે કે સચિને કાર વેચી છે તે બાબત યોગ્ય નથી. અખબારોમાં પ્રકાશિત થયેલા અહેવાલોને લઈને પણ લોકોમાં ચર્ચા છે.