લોકશાહીમાં વિશ્વાસ બંને દેશને એક સાથે જોડે છે : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમેરિકી કોંગ્રેસના સત્રને ઐતિહાસિકરીતે સંબોધન કર્યું હતું જેમાં મોદીએ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને નવી ઉંચાઈ પર લઇ જવાની વાત કરી હતી. મોદીએ લોકશાહીના મુદ્દા ઉપર વિશેષ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમેરિકા સાહસી અને વીર લોકોની ભૂમિ છે. એક લોકશાહીથી બીજી લોકશાહીને તાકાત મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, અમેરિકી કોંગ્રેસને સંબોધન તેમના માટે ગર્વની વાત છે. મોદી તેમના સંબોધનમાં ભારતના બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકરની પણ વાત કરી હતી. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બાબાસાહેબ વર્ષો સુધી કોલમ્બિયા યુનિવર્સિટીમાં રહ્યા હતા અને અમેરિકી બંધારણને લઇને અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ ભારતનું બંધારણ તૈયાર કરાયું ત્યારે તેમાં પણ તેની છવી દેખાઈ આવી હતી. તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, પ્રમુખ બરાક ઓબામાના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો નવી ઉંચાઈ ઉપર પહોંચ્યા છે.

ભારતની વાત કરતા તેમણે કહ્યું હતું કે, જાતિ, ધર્મ અને ભાષા અનેક હોવા છતાં ભારત એક છે. અભિવ્યક્તિની આઝાદી અમારો મુળ અધિકાર છે. અમારા બંધારણમાં ભેદભાવ નથી. જરૃરી સમયમાં મદદ કરવા બદલ અમેરિકી કોંગ્રેસ અને અમેરિકાનો મોદીએ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, મુંબઈમાં હુમલો થયો હતો ત્યારે અમેરિકાએ જે સાથ આપ્યો તેને ભારતના લોકો ક્યારેય ભુલશે નહીં. મોદીએ ભરચક કાર્યક્રમ વચ્ચે સૌથી પહેલા કોલમ્બિયા શટલ દુર્ઘટનામાં મૃત્યુ પામી ચુકેલી કલ્પના ચાવલા અને અન્ય લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વોશિંગ્ટન પહોંચ્યા બાદ મોદી અર્લિંગ્ટન નેશનલ સિમેટ્રીમાં ભારતીય અમેરિકી અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ટૂમ ઓફ અનનોન સોલ્જર્સ ખાતે પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરુપે માહિતી આપતા કહ્યું હતું કે, બલિદાનને સન્માન, વિરતાને સલામ છે. પવિત્ર સમારોહમાં ભાગ લીધા બાદ ઔપચારિક કાર્યક્રમોની શરૃઆત થઇ હતી.

મોદીએ સ્પેશ શટલ કોલમ્બિયા મેમોરિયલમાં ચાવલાના પતિ, પરિવારના સભ્યો, નાસાના અધિકારીઓ, ભારતીય અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પરિવાર સાથે વાત કરી હતી. નરેન્દ્ર મોદી ગઇકાલે તેમની વિદેશ યાત્રાના અંતિમ તબક્કામાં અમેરિકા પહોંચી ગયા હતા. અમેરિકા પહોંચ્યા બાદ તેમનુ ભવ્યરીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમની અમેરિકાની યાત્રા સૌથી મહત્વપૂર્ણ રહી છે. ગઇકાલે મોડી રાત્રે ૧૨.૨૦ વાગ્યાની આસપાસ મોદી વોશિગ્ટન પહોંચી ગયા હતા. બે વર્ષમાં મોદીની આ અમેરિકાની ચોથી યાત્રા છે. જોઇન્ટ એરબેસ એન્ડ્રુસ પર મોદી પહોંચ્યા તે પહેલા જ ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. એરબેઝ પર હાજર રહેલા ભારતીય સમુદાયના લોકો સાથે મોદીએ વાતચીત કરી હતી. તેમનો આભાર માન્યો હતો. સૌથી મોટી બાબત એ છે કે આ વખતે તેમની યાત્રા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના અંગત આમંત્રણના આધાર પર છે. ઓબામા પ્રમુખ તરીકે પોતાની અવધિ હવે પૂર્ણ કરનાર છે.

 

ઇંતજારનો અંત આવ્યો : કેરળમાં મોનસુનની એન્ટ્રી, ભારે વરસાદ

થિરુવનંતપુરમ,કેરળમાં મોનસુનની એન્ટ્રી આખરે થઇ ગઇ છે. આની સાથે જ લોકોના ઇંતઝારનો અંત આવ્યો છે. અતિભારે વરસાદના પરિણામ સ્વરુપે એકનું મોત થયું છે. ઇડ્ડુકી જિલ્લામાં ભેખડ ધસી પડતા એકનું મોત થયું હતું. હવામાન વિભાગના ક્ષેત્રીય સેન્ટરના વડા કે સંતોષનું કહેવું છે કે, દક્ષિણ પશ્ચિમ મોનસુન કેરળ અને લક્ષ્યાદ્વીપમાં સક્રિય થઇ ચુક્યું છે. ગઇકાલ મોડી રાતથી જ રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. આઈએમડી દ્વારા અગાઉ ૯મી જૂને કેરળમાં મોનસુનની એન્ટ્રી થશે તેવી વાત કરી હતી. થિરુવંતનપુરમના જિલ્લા સત્તાવાળાઓએ ભારે વરસાદના અનુસંધાનમાં પોનમુડી જેવા હિલસ્ટેશનો ખાતે પ્રવાસીઓના ધસારાને કાબૂમાં લેવા માટે સાવચેતીના પગલા લીધા છે. લોકોને પહાડી ભાગો ઉપર રાત્રિગાળા દરમિયાન મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. મોનસુની વરસાદની શરૃ થતાં લોકોને મોટી રાહત થઇ ગઇ છે. હવે દેશના અન્ય ભાગોમાં પણ મોનસુનની એન્ટ્રી થશે. મુંબઈ અને ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદની રાહ જોવામાં આવી રહી છે. સૌથી પહેલા મોનસુનની શરૃઆત કેરળમાં થાય છે. ત્યારબાદ દેશના અન્ય ભાગોમાં મોનસુનની શરૃઆત થાય છે.

ગુજરાતમાં પણ ટૂંકમાં જ મોનસુનની એન્ટ્રીની શક્યતા દેખાઈ રહી છે. વાણિજ્ય પાટનગર મુંબઈમાં ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આ વખતે કાળઝાળ ગરમીના કારણે જનજીવન સંપૂર્ણ ખોરવાઈ ગયું હતું. ગરમીના નવા રેકોર્ડ સર્જાયા હતા. પારો ૫૦ની આસપાસ પહોંચ્યો હતો. અગાઉ ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું હતું કે, દક્ષિણ પશ્ચિમ મોનસુન કેરળમાં આગામી બે ત્રણ દિવસમાં બેસી જશે અને તેની આગાહી મુજબ જ કેરળમાં મોનસુનની એન્ટ્રી થઇ છે. હવામાન વિભાગે અગાઉ કહ્યું હતું કે, કેરળમાં નવમી જૂનના દિવસે મોનસુનની એન્ટ્રી થઇ જશે. મોનસુન પહેલા પશ્ચિમ બંગાળ, સિક્કિમ, દરિયા કાંઠાના આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ અને આસામ, મેઘાલય અને કેરળના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ ચુક્યો છે. છેલ્લા થોડાક દિવસથી કેરળમાં પણ વરસાદ થઇ રહ્યો છે.

હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, લક્ષ્યદ્વીપ, કેરળ, મેંગ્લોરમાં સ્થિત ૧૪ હવામાન સ્ટેશનના ડેટા એકત્રિત કરી લેવામાં આવ્યા છે. પરિસ્થિતિ દર્શાવે છે કે, સતત બે દિવસના ગાળા દરમિયાન મોનસુની વરસાદ પહેલાનો વરસાદ થયો છે. ગયા વર્ષે પણ આઇએમડી દ્વારા ૩૦મી મે સુધી દક્ષિણ પશ્ચિમ મોનસુન બેસી જવાની જાહેરાત કરી હતી. હકીકતમાં પાંચમી જૂન સુધી આ તમામ વિસ્તારોમાં મોનસુન બેસી જાય છે. ૨૦૦૫ બાદથી આઈએમડી દ્વારા સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલા મોડલના આધાર પર કેરળમાં મોનસુન બેસી જવાની તારીખ જાહેર કરવામાં આવે છે. આ વખતે આઈએમડી અને ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા મોનસુનની સિઝનમાં સામાન્ય કરતા વધુ એટલે કે ૧૦૬ ટકાથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે તમામ લોકો અને સરકાર માટે પણ મોટી રાહતના સમાચાર છે.

 

૨૦૨૩ સુધી બુલેટ ટ્રેન દોડાવી દેવાશે : ૧૨ પ્રોજેક્ટોને બહાલી

મહેસાણા,રેલવે મંત્રી સુરેશ પ્રભુ આજે શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને ૧૨ જેટલા રેલ પ્રોજેક્ટોને લીલીઝંડી આપી હતી. સુરેશ પ્રભુએ આ પ્રસંગે પત્રકાર પરિષદને સંબોધતા કેટલીક જાહેરાતો કરી હતી. પત્રકાર પરિષદમાં પ્રભુએ કહ્યું હતું કે, સરકાર ૨૦૨૩ સુધી અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનને દોડાવવા માટે પ્રયાસ કરી રહી છે. તેમની સાથે ગુજરાતના પ્રધાન નીતિન પટેલ, ભાજપના અન્ય આગેવાનો પણ રહ્યા હતા. પ્રભુએ કહ્યું હતું કે, આગામી ત્રણ વર્ષમાં રેલવેનો વધારે વિકાસ થશે. બે વર્ષમાં ઘણું કામ કરવામાં આવ્યું છે. વિકાસના કામો અવિરતપણે જારી રહેશે.

પ્રભુએ આજે મહેસાણા તારંગા હિલ પ્રોજેક્ટ, મિયાગામ-સમલાયા, ભુજ-નલિયા ગેજ પરિવર્તનની સાથે સાથે અમદાવાદ મહેસાણા વિધુતીકરણ સહિતની ગેજ પરિવર્તન, વટવા અમદાવાદ ત્રીજી રેલ લાઈન, સોમનાથ-કોડીનાર, મોડાસા-શામળાજી નવી રેલ લાઈન, સુરેન્દ્રનગર-રાજકોટ રેલ લાઈન સહિતના પ્રોજેક્ટ શિલાન્યાસ કર્યો હતો. મહેસાણાની મુલાકાતે આવેલા રેલ મંત્રીએ જણાવ્યું હતું કે, ૨૦૨૩ સુધીમાં અમારો પ્રયાસ છે કે બુલેટ ટ્રેન દોડવા લાગે. અમે તેના પર હાલ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. તેમજ રેલવેના આધુનિકરણ માટે તમામ પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે. કેન્દ્રીય રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ગુજરાત માટે મહત્વના કાર્યો આજે કર્યા છે.

મહેસાણામાં તેમણે રેલવે પરિવહન માટેની નવી સાત યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો. આ યોજનાઓનો લાભ મળતાં અમદાવાદ થી મુંબઈ અને દિલ્હી તેમ જ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે મુસાફરીના સમયમાં ઘટાડો થશે અને વેપાર અને વાણિજ્યને ઉત્તજન મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહેસાણામાં આ પરિયોજનાઓનો શિલાયાન્સ કરાવતા કેન્દ્રીય રેલવેપ્રધાન સુરેશ જરૃરી છે કારણે કે રેલવે વિકાસની સાથે દેશનો વિકાસ સંકળાયેલો છે. રેલવે વિભાગ દ્વારા દેશના વિકાસના ફળો છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેતો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં રેલવેના વિકાસકાર્યો વિશે પ્રભુએ મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે, વડોદરામાં રેલવે યુનિવર્સિટી શરૃ કરાશે. ગાંધીનગર અને સુરેશ પ્રભુએ સુરત રેલવે સ્ટેશનોને વિકસાવવાની ગુજરાતની વર્ષો જુના માંગને પૂર્ણ કરતાં તેમણે વચન આપ્યું કે, આ બંને સ્ટેશનને વધુ આધુનિક બનાવવામાં આવશે.

હાલમાં કુલ ૩૫ રેલવે પ્રોજેક્ટો ગુજરાતમાં ચાલી રહ્યા છે. સુરેન્દ્રનગર, વિરમગામ, રાજકોટ, ગોધરા, વગેરે સ્થળે કરવામાં આવી રહેલા કામોની વિગતો પણ આપવામાં આવી હતી. કેન્દ્રીય રેલવે પ્રધાન પ્રભુએ જે શિલાન્યાસ કાર્યો કર્યાં તેમાં મહેસાણાથી તારંગા વચ્ચે તથા મિયાંગામ અને સમલાયા વચ્ચે, ભુજ અને નલીયા વચ્ચે ગેજ પરિવર્તન સોમનાથ અને કોડીનાર, મોડાસાથી શામળાજી વચ્ચે નવી રેલવે લાઈનની યોજના, સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે ડબલિંગ રેલવેલાઈન અને અમદાવાદ વટવા વચ્ચે ત્રીજી રેલવેલાઈન માટે વિવિધ કામોનો શિલાન્યાસ કર્યો હતો.

 

મોદી આજે અમેરિકી કોંગ્રેસના સત્રને સંબોધશે : ભારે ઉત્સુકતા

નવી દિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચ્યા બાદ જુદા જુદા કાર્યક્રમોમાં આજે વ્યસ્ત રહ્યા હતા. મોદી હવે આવતીકાલે પણ વ્યસ્ત કાર્યક્રમો ધરાવે છે જેના ભાગરુપે ઇતિહાસ સર્જીને મોટી આવતીકાલે અમેરિકી કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરનાર છે જેના ઉપર તમામની નજર રહેશે. આજે દિવસ દરમિયાન મોદી જુદા જુદા કાર્યક્રમોમાં રહ્યા હતા. જે પૈકી થીંક ટેંક સાથે વાતચીત કરી હતી. વોશિંગ્ટન પહોંચ્યા બાદ ભવ્ય સ્વાગત થયા પછી મોદી વોશિંગ્ટનમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતની કિંમતી ચીજવસ્તુઓની આપલે થઇ હતી. ત્યારબાદ મોદીએ કોલમ્બિયા શટલ દુર્ઘટનામાં મૃત્યુ પામી ચુકેલી કલ્પના ચાવલા અને અન્ય લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

વોશિંગ્ટન પહોંચ્યા બાદ મોદી અર્લિંગ્ટન નેશનલ સિમેટ્રીમાં ભારતીય અમેરિકી અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ટૂમ ઓફ અનનોન સોલ્જર્સ ખાતે પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરુપે માહિતી આપતા કહ્યું હતું કે, બલિદાનને સન્માન, વિરતાને સલામ છે. પવિત્ર સમારોહમાં ભાગ લીધા બાદ ઔપચારિક કાર્યક્રમોની શરૃઆત થઇ હતી. મોદીએ સ્પેશ શટલ કોલમ્બિયા મેમોરિયલમાં ચાવલાના પતિ, પરિવારના સભ્યો, નાસાના અધિકારીઓ, ભારતીય અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પરિવાર સાથે વાત કરી હતી. તે ગાળામાં તેમની સાથે અમેરિકાના વિદેશમંત્રી કાર્ટર પણ હતા.

અમેરિકામાં ભારતના રાજદૂત અરુણ સિંહ, વિદેશ સચિવ એસ જયશંકર, ભારતમાં અમેરિકાના રાજદૂત રિચર્ડ વર્મા, વિદેશી બાબતોના અધિકારી લિસા દેસાઈ પણ હાજર રહ્યા હતા. મોદીએ સુનિતાના પિતા સાથે ગુજરાતમાં વાત કરી હતી અને તેમને ભારત આવવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમની છ દિવસીય વિદેશ યાત્રાના અંતિમ તબક્કામાં અમેરિકા પહોંચી ગયા હતા. અમેરિકા પહોંચ્યા બાદ તેમનુ ભવ્યરીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. તેમની આ અમેરિકાની યાત્રા સૌથી મહત્વપૂર્ણ છે.

મોડી રાત્રે ૧૨.૨૦ વાગ્યાની આસપાસ મોદી વોશિગ્ટન પહોંચી ગયા હતા. બે વર્ષમાં મોદીની આ અમેરિકાની ચોથી યાત્રા છે. જોઇન્ટ એરબેસ એન્ડ્રુસ પર મોદી પહોંચ્યા તે પહેલા જ ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. મોદી પહોંચ્યા બાદ ત્યા મોદી મોદીના નારા લગાવાયા હતા. મોદીએ પણ પોતાના કાફલાની ગાડીને હાથથી રોકાવવાનો ઇશારો કર્યો હતો અને લોકોને મળવાનો નિર્ણય કર્યો હતો. એરબેઝ પર હાજર રહેલા ભારતીય સમુદાયના લોકો સાથે મોદીએ વાતચીત કરી હતી. તેમનો આભાર માન્યો હતો.

છ દિવસની અંદર મોદી પાંચ દેશોમાં જઇ આવ્યા છે. અમેરિકા ચોથા દેશ તરીકે છે. મોદી અમેરિકામાં હવે બે દિવસ રોકાનાર છે. તેમની અમેરિકાની યાત્રાને ઐતિહાસિક ગણવામા ંઆવી રહી છે. સૌથી મોટી બાબત એ છે કે આ વખતે તેમની યાત્રા અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના અંગત આમંત્રણના આધાર પર છે. ઓબામા પ્રમુખ તરીકે પોતાની અવધિ હવે પૂર્ણ કરનાર છે. તેમના સંબંધોમાં નવી ઉંચાઇ જોવા મળી શકે છે. બે વર્ષના ગાળા દરમિયાન મોદી અને ઓબામા વચ્ચે જોરદાર કેમેસ્ટ્રી રહી છે. ઓબામા કેટલાક પસંદગીના નેતાના જ મહેમાન બની રહ્યા છે. મોદી હવે આજે અને આવતીકાલે એટલે કે આઠમીએ અમેરિકામાં રહેશે. આ ગાળા દરમિયાન તેઓ બે ઇવેન્ટમાં ભાગ લેનાર છે.

મોદી આજે તેમની ઓવલ ઓફિસમાં ઓબામાની સાથે લંચ પર વાતચીત કરનાર છે. આઠમી જુનના દિવસે મોદી અમેરિકી કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધન કરનાર છે. મોદી મોટા કારોબારીઓ અને થિંક ટેન્ક સાથે જોડાયેલા લોકોને પણ મળનાર છે. મોદી આ પ્રવાસના બાગરૃપે હજુ સુધી અફઘાનિસ્તાન, કતાર, સ્વીસની યાત્રા કરી ચુક્યા છે. અમેરિકા પણ સાથ આપવા માટે  તૈયાર છે.

 

ગુલબર્ગ હત્યાકાંડ : દોષિતોને સજા અંગે આજે જાહેરાત, સઘન સુરક્ષા

અમદાવાદ,વર્ષ ૨૦૦૨ના સનસનાટીપૂર્ણ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં અમદાવાદની ખાસ અદાલત આવતીકાલે આરોપીઓને સજા અંગેની જાહેરાત કરનાર છે. હત્યાકાંડમાં રહેલા આરોપીઓ પૈકીના ૨૪ને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા જ્યારે ૩૬ને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. હવે આવતીકાલે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખાસ અદાલત તમામ આરોપીઓને સજા અંગેની જાહેરાત કરશે. તમામ અપરાધીઓ પૈકી ૧૧ને હત્યાના મામલામાં અપરાધી ઠેરવવામાં આવ્યા છે. જેથી એમ માનવામાં આવે છે કે, સજા કઠોર પણ હોઈ શકે છે. તમામની નજર હવે કોને કેટલી સજા ગુલબર્ગ હત્યાકાંડ મામલામાં થાય છે તેના ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. આ હત્યાકાંડ અંગેના ચુકાદા ઉપર દેશભરની નજર કેન્દ્રિત થઇ છે. રાજકીય વર્તુળોમાં પણ આને લઇને રાજ જોવાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, બીજી જૂનના દિવસે અમદાવાદની ખાસ અદાલતે મામલામાં લાંબા ગાળા બાદ ચુકાદો આપતા ૬૬ આરોપીઓ પૈકી ૨૪ને અપરાધી ઠેરવ્યા હતા અને ૩૬ને નિર્દોષ છોડી મુક્યા હતા. જે આરોપીઓને અપરાધી જાહેર કરવામાં આવ્યા છે તેમાં વિહિપના નેતા અતુલ વૈધ્યનો સમાવેશ થાય છે. આરોપીઓને ટેકો આપવા માટે આવતીકાલે પણ કોર્ટ સંકુલમાં વિહિપના કાર્યકરો, પરિવારના સભ્યો પહોંચે તેવી શક્યતા છે જેથી કોર્ટ સંકુલની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. ચકચારી આ કેસમાં ટ્રાયલ સાત વર્ષ સુધી ચાલી હતી. સઘન સુરક્ષા વચ્ચે ખાસ જજ પીબી દેસાઇ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બર ૨૦૧૫માં ખાસ અદાલતે ટ્રાયલ પૂર્ણ કરી હતી. આ હત્યાકાંડમાં અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૬૯ લોકોના મોત થયા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનો સમાવેશ થાય છે. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ સર્જાયો હતો. ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દેવાની ઘટનાના એક દિવસ બાદ એટલે કે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ થયો હતો જેમાં ૬૬ આરોપીઓ હતા. ૩૦૦થી પણ વધુ સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવી હતી. ૨૦૦૯માં ટ્રાયલની શરૃઆત થઇ હતી. જે સાત વર્ષ સુધી ચાલી હતી. ટ્રાયલના ગાળા દરમિયાન ચાર આરોપીઓના મોત થયા હતા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અસારવા બેઠક પરથી જીતી ગયેલા ભાજપના વર્તમાન કોર્પોરેટર બીપીન પટેલ પણ આરોપી પૈકીના એક હતા. તપાસ વેળા સીટ દ્વારા એવી દલીલ કરાઈ છે કે, ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ ૨૦૦૦૦થી ૨૨૦૦૦ જેટલા ટોળાએ ગુલબર્ગ સોસાયટીમાં હુમલો કર્યો હતો અને આ સોસાયટીને આગ ચાંપી દીધી હતી જેમાં ૬૯ લોકો ભડથુ થઇ ગયા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓને સીધીરીતે બોલાવવામાં આવ્યા હતા.

સીટ મુજબ જીવલેણ હથિયારો, તલવારો, લાઠીઓ, કેરોસીન, પેટ્રોલ સાબિત કરે છે કે, તમામને જીવતા સળગાવી દેવાયા હતા. મોટાભાગના મૃતદેહ ખરાબરીતે સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. મારી નાંખતા પહેલા આ લોકો ઉપર અમાનવીય રીતે હુમલા કરાયા હતા. ૩૯ મૃતદેહ ઘટનાસ્થળથી મળ્યા હતા અને કેટલાક લોકો લાપતા હતા. આ તમામને મોડેથી મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓની સીધીરીતે સાક્ષી તરીકે બનાવ્યા હતા. ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરીના વિધવા ઝાકીયા જાફરી દ્વારા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કેસ દાખલ કર્યો હતો જેમાં રમખાણોને ઉશ્કેરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં સીટ દ્વારા તપાસ કરાઈ હતી. અંતે સીટે નરેન્દ્ર મોદીને ૨૦૧૨માં ક્લીનચીટ આપી હતી. જ્યારે સીટના અહેવાલને વર્ષ ૨૦૧૪માં મેટ્રો પોલિટિન મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય ઠેરાવવામાં આવ્યો હતો. અન્ય નવ કેસોમાં નરોડા પાટિયા, ઓડ, દિપડા દરવાજા, સરદારપુરા, પ્રાંતિજ, ગોધરા ટ્રેન અગ્નિકાંડનો સમાવેશ થાય છે. મામલાને લઇને છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચા રહી હતી. નિર્દોષ છોડી મુકવામાં આવેલાઓમાં તત્કાલીન મેઘાણીનગર પોલીસ ઇન્સ્પેક્ટર કેજી ઇરડાનો સમાવેશ થાય છે. તેમના ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો હતા. ગુલબર્ગ સોસાયટીના નિવાસીઓને બચાવી લેવા માટે જ્યારે તેમની જરૃર હતી ત્યારે તેઓ ઘટનાસ્થળથી જતા રહ્યા હતા. બિનઅસરકારકરીતે ફરજ અદા કરવાનો તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો. પુરાવાનો નાશ કરવાનો પણ આક્ષેપ હતો. અન્ય જે લોકોને નિર્દોષ છોડી મુકવાાં આવ્યા છે જેમાં સ્થાનિક ભાજપ કાઉન્સિલર બિપિન પટેલ, પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર મેઘસિંહ ચૌધરીનો સમાવેશ થાય છે. અપરાધીઓ અંગેના ચુકાદા ઉપર હવે તમામની નજર રહેશે. કોર્ટ સંકુલની આસપાસ પણ વિશેષ સુરક્ષા રહેશે.

 

આરબીઆઈના ગવર્નર તરીકે રાજનને ખુલ્લુ સમર્થન

નવીદિલ્હી,ભાજપના એક વર્ગ તરફથી ટિકાટિપ્પણીનો સામનો કરી રહેલા રઘુરામ રાજનને હવે અગ્રણી ઇન્ડસ્ટ્રી બોડી સીઆઈઆઈ તરફથી પણ ટેકો મળી ગયો છે. આરબીઆઈના ગવર્નર તરીકે રઘુરામ રાજન જારી રહે તેવી ઇચ્છા સીઆઈઆઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સીઆઈઆઈનું કહેવું છે કે, રઘુરામ રાજન દેશ માટે ખુબ સારી કામગીરી અદા કરી રહ્યા છે. તેમના ઉપર અંગત પ્રહારો બિલકુલ બિનજરૃરી છે. કન્ફડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નૌશાદ ફોર્બ્સનું કહેવું છે કે, નાણામંત્રી અરુણ જેટલી પણ અંગત પ્રહારો કરી ચુક્યા છે પરંતુ આ પ્રહારો બિનજરૃરી છે. તેમણે કહ્યું છે કે, રઘુરામ રાજન ખુબ સારી કામગીરી અદા કરી રહ્યા છે.

જાપાનની છ દિવસની યાત્રાએ અરુણ જેટલીના પ્રતિનિધિમંડળ સાથે રહેલા નૌશાદે કહ્યું છે કે, ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા કરવામાંઆવી રહેલા આક્ષેપોને અમે ગંભીરતાથી લેતા નથી. તેમના આક્ષેપોને બિનજરૃરી ગણીએ છીએ. વાઈબ્રન્ટ લોકશાહીના ભાગરુપે આવા આક્ષેપોને ગણી શકાય છે. તેમણે કહ્યું હતું કે, રઘુરામ રાજન દેશ માટે ખુબ સારી કામગીરી અદા કરી રહ્યા છે. જો તેમની ફેર નિમણૂુંક કરવામાં આવશે તો આ બાબત ખુબ જ શાનદાર રહેશે અને હકારાત્મક પણ રહેશે. અગાઉની યુપીએ સરકાર દ્વારા રઘુરામ રાજનની નિમણૂંક કરવામાં આવી હતી. તેમની ત્રણ વર્ષની અવધિની શરૃઆત ચોથી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે શરૃ થઇ હતી. રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી સહિત ભાજપના એક વર્ગ તરફથી તેમની વ્યાપક ટીકા હાલના દિવસોમાં કરવામાં આવી રહી છે. વ્યાજદરમાં ઘટાડો કરવા રાજનના ઇન્કારના પરિણામ સ્વરુપે ભાજપના ચોક્કસ વર્ગ તરફથી તેમની ટિકા થઇ રહી છે.

રાજન અંગે સ્વામીની ટિપ્પણી અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, તેમની ટિપ્પણીને ગંભીરતાથી લેતા નથી. જેટલી પણ અગાઉ રાજન ઉપર કરવામાં આવેલા પ્રહારોને ફગાવી ચુક્યા છે. ચર્ચાઓ ઇસ્યુ ઉપર થવી જોઇએ. અંગત પ્રહારોને લઇને વાત કરવી યોગ્ય નથી. નાણામંત્રી પણ કહી ચુક્યા છે કે, લોકોએ મુદ્દાઓ અને નીતિઓને લઇને ચર્ચા કરવી જોઇએ. તેમને નીતિઓને ટેકો આપવા અથવા નીતિઓની ટીકા કરવાનો અધિકાર રહેલો છે પરંતુ અંગત બાબતો ઉપર ટિપ્પણી યોગ્ય નથી. રઘુરામ રાજનને નિમણૂંકને લઇને હાલમાં ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. આઈએમએફના પૂર્વ અર્થશાસ્ત્રી રાજન જુદા જુદા હોદ્દાઓ ઉપર કામ કરી ચુક્યા છે. જે તેમને એક્સ્ટેન્શન મળશે નહીં તો તેઓ આરબીઆઈના પ્રથમ એવા ગવર્નર રહેશે જેમને પાંચ વર્ષની અવધિ મળી નથી. પાંચ વર્ષની અવધિ સુધી રહી ચુકેલા ગવર્નરમાં ડી સુબ્બારાવ, વિમલ જાલન, સી રંગરાજનનો સમાવેશ થાય છે. રાજને કેટલાક પોલિસી નિર્ણયો હાલમાં જ લીધા છે.

 

ગુલબર્ગ હત્યાકાંડ પ્રકરણ

દોષિતોની યાદી………
અમદાવાદ, ગોધરાકાંડ બાદના ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ મામલામાં આજે ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં ૬૬ પૈકીના ૨૪ને અપરાધી જાહેર કરવામાં આવ્યા હતા અપરાધીઓની યાદી નીચે મુજબ છે.
૧. કૈલાશ લાલચંદ્ર ધોબી
૨. યોગ્રેંદ્રસિંહ ઉર્ફે લાલુ મોહનસિંહ શેખાવત
૩. જયેશકુમાર ઉર્ફે ગબ્બર મદનલાલ જિગર
૪. કૃષ્ણકુમાર ઉર્ફે કૃષ્ણા મુન્નાલાલ
૫. જયેશ રામજી પરમાર
૬. રાજુ ઉર્ફે મામો કાનીયો
૭. નારણ સીતારામ ટાંક
૮. લાખણસિંહ ઉર્ફે લાખીયો
૯. ભરત ઉર્ફે ભરત તૈલી બાલોદીયા
૧૦. ભરત લક્ષ્મણસિંહ ગોડા
૧૧. દિલીપ પ્રભુદાશ શર્મા
૧૨. બાબુભાઈ મનજીભાઈ પટણી
૧૩. માંગીલાલ ધુપચંદ્ર જૈન
૧૪. દિલીપ ઉર્ફે કાળુ ચતુરભાઈ
૧૫. સંદિપ ઉર્ફે સોનું
૧૬. મુકેશ પુખરાજ સાંખલા
૧૭. અંબેશ કાંતિલાલ જીગર
૧૮. પ્રકાશ ઉર્ફે કલી ખેંગારજી પઢીયાર
૧૯. મનિષ પ્રભુલાલ જૈન
૨૦. ધર્મેશ પ્રહલાદભાઈ શુક્લ
૨૧. કપિલ દેવનારાયણ ઉર્ફે મુનાભાઈ મિશ્રા
૨૨. અતુલ ઈંદ્રવધન વૈધ
૨૩. બાબૂભાઈ હસ્તીમલ રાઠૌડ
૨૪. સુરેંદ્રસિંહ ઉર્ફે વકીલ દિગ્વિજય સિંહ ચૌહાન

નિર્દોષ છુટેલાઓ…….

જ્યારે ૩૬ને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. નિર્દોષ છુટેલાઓની યાદી નીચે મુજબ છે.
૧ માંગજી પોકારજી મારવાડી
૨ જયેશ રામુભાઈ પટણી
૩ કિશોરભાઈ મંગાભાઈ પટણી
૪ શૈલેષ
૫ કાળુ હિરાલાલ પટણી
૬ કનૈયા બબલુ
૭ કાંતિભાઈ પોપટભાઈ પટણી
૮ શકરાભાઈ પટણી
૯ મનોજકુમાર પ્રેમજીભાઈ પરમાર
૧૦ દિપકકુમાર સોમાભાઈ સોલંકી
૧૧ વિનોદભાઈ અરવિંદભાઈ સોલંકી
૧૨ અજય સોમાભાઈ પંચાલ
૧૩ સંજય કુમાર શંકરભાઈ પટણી
૧૪ શૈલેષ નટવરભાઈ પટણી
૧૫ નરેશ ઉર્ફે નરિયો પ્રજાપતિ
૧૬ બાબુભાઈ મોહનભાઈ પટણી
૧૭ શંકરજી હકાજી માળી
૧૮ પન્નાલાલ ઉર્ફે પ્રભુ મોચી પ્રેમચંદ સિસોદિયા
૧૯ પ્રહલાદ રાજુજી અસોરી
૨૦ મદનલાલ ધનરાજ રાવલ
૨૧ મહેન્દ્ર મૂળચંદભાઈ પરમાર
૨૨ પ્રહલાદ ઓમપ્રકાશ સોંગરા
૨૩ ચિરાગ દિલીપભાઈ શાહ
૨૪ મુકેશ આત્મારામ ઠાકુર
૨૫ પરબતસિંહ તારસંગસિંહ
૨૬ નગીન હસમુખભાઈ પટણી
૨૭ જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રજાપતિ
૨૮ મહેશ ઉર્ફે પપ્પુ પ્રતાપજી
૨૯ મહેશ રામજીનાથ
૩૦ સુશીલ બ્રિજમોહન શર્મા
૩૧ પ્રદિપ ખનાભાઈ પરમાર
૩૨ કિરીટકુમાર ગોવિંદજી ઇરડા (તત્કાલિન પીઆઈ)
૩૩ મેઘસિંહ ચૌધરી (પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર)
૩૪ બિપીન અંબાલાલ પટેલ (ભાજપ કાઉન્સિલર)
૩૫ દિલીપ કાંતિલાલ જીંગર
૩૬ રાજેશ દયારામ જીંગર

 

કેન્દ્ર સરકારના તમામ કર્મીઓને જુલાઈથી પગાર વધારાનો લાભ

મુંબઇ,જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે સાતમા વેતન પંચની ભલામણોને હવે ટૂંક સમયમાં જ અમલી બનાવવામાં આવનાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓની આગામી મહિનાથી પગાર વધારાનો લાભ મળવાની શરૃઆત થઇ જાય તેમ માનવામાં આવે છે. મિડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવા વધારવામાં આવેલા પે સ્કેલ આગામી મહિનાથી આપવામાં આવશે. દરમિયાન કેબિનેટ સેક્રેટરી પીકે સિંહાના નેતૃત્વમાં ગ્રુપ ઓફ સેક્રેટરીની બેઠક ૧૧મી જૂનના દિવસે યોજનાર છે જેમાં સાતમાં વેતન પંચની ભલામણોના મામલામાં ફેરફારને આખરી ઓપ આપવામાં આવશે.

જાન્યુઆરી મહિનામાં સરકારે સાતમાં વેતન પંચની ભલામણોની પ્રક્રિયાને હાથ ધરવા કેબિનેટ સેક્રેટરી પીકે સિંહાના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય પેનલની રચના કરી હતી. પેનલની રચના કરવામાં આવ્યા બાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી રાહત થશે. પગાર વધારાનો લાભ આગામી મહિનાથી મળવાની શરૃઆત થશે. સાતમાં વેતન પંચની ભલામણોથી ૪૭ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને બાવન લાખ પેન્શનરોને ફાયદો થશે. સેક્રેટરીની એમ્પાવર્ડ કમિટિ સ્ક્રીનિંગ કમિટિ તરીકે કામ કરશે.

કમિશનના તમામ સંબંધિત પરિબળોના સંદર્ભમાં ભલામણોની પ્રક્રિયાને આગળ વધારશે. પ્રાપ્ત માહિતી મુજબ સાતમાં વેતન પંચની ભલામણોને અમલી બનાવવાને લઇને હાલમાં ચર્ચા ચાલી રહી હતી. સરકાર કહી ચુકી છે કે, સાતમાં વેતન પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ નવા પગાર સ્કેલના અમલીકરણથી તિજોરી ઉપર જંગી બોજ પડનાર છે. વર્ષ ૨૦૧૬-૧૭માં તિજોરી ઉપર ૧.૦૨ લાખ કરોડનો વધારાનો બોજ પડશે અથવા તો જીડીપીના ૦.૭ ટકા સુધીનો વધારાનો બોજ પડશે.

 

૧૫ વર્ષ સુધી મોદી પીએમ તરીકે જ રહેશે : પાસવાન

જમ્મુ,કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું છે કે, કોંગ્રેસને ચિંતા કરવાની કોઇ જરૃર નથી. કારણ કે, આગામી ૧૫ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી રહેનાર છે. પાસવાને મિડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી આગામી ૧૫ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે રહેનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શહેનશાહ તરીકે ગણાવવાના કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના આક્ષેપનો જવાબ આપતા આ મુજબની વાત કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન માટે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરવાની બાબત બિલકુલ યોગ્ય નથી. કારણ કે દેશના લોકોએ જનમત આપેલો છે. ગઇકાલે જ સોનિયા ગાંધીએ કાર્યક્રમ દરમિયાન મોદીને શહેનશાહ તરીકે ગણાવ્યા હતા. એનડીએ સરકારની બે વર્ષની પૂર્ણાહૂતિ બાદ ચાલી રહેલી ઉજવણીના સંદર્ભમાં સોનિયા ગાંધીએ આ મુજબની વાત કરી હતી. સોનિયા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ દ્વારા આ પ્રકારની પ્રતિક્રિયાથી ભાજપના નેતાઓ તથા એનડીએના અન્ય નેતાઓ લાલઘૂમ થયેલા છે.

પાસવાને આજે એવી પ્રતિક્રિયા આપીને કોંગ્રેસની છાવણીમાં વધુ ચિંતા ફેલાવી દીધી હતી કે, નરેન્દ્ર મોદી આગામી ૧૫ વર્ષ સુધી વડાપ્રધાન તરીકે રહેનાર છે. મોદીને દેશના લોકો હજુ પણ પસંદ કરી રહ્યા છે. તેમની વધતી લોકપ્રિયતાના સર્વે વારંવાર આવી રહ્યા છે જેમાં મોદીને સમર્થન આપનારાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. પાસવાને કહ્યું છે કે, એનડીએ સરકારની બે વર્ષની કામગીરી લોકો જોઇ ચુક્યા છે. આવી સ્થિતિમાં લોકો આ સરકારને વધુ તક આપવા માટે પણ તૈયાર છે. રાજ્યોના પરિણામો પણ આ મુજબની સાબિતી આપે છે. અત્રે નોંધનીય છે કે, હ ાલમાં યોજાયેલી પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં એકબાજુ આસામમાં ભાજપે એકલા હાથે બહુમતિ મેળવી છે. જ્યારે બંગાળ, કેરળમાં પણ શાનદાર એન્ટ્રી કરી છે.

 

ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં આજે ટ્રાયલ કોર્ટ ચુકાદો આપી શકે છે

અમદાવાદ,કોમી રમખાણ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવી દેનાર ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં આવતીકાલે ખાસ ટ્રાયલ કોર્ટ તેનો ચુકાદો આપે તેવી શક્યતા દેખાઈ રહી છે. ટ્રાયલની પૂર્ણાહૂતિ થયા બાદથી સપ્ટેમ્બર ૨૦૧૫થી આ ચુકાદાની રાહ જોવામાં આવી રહી છે. આ ચુકાદાને લઇને તમામની નજર હવે કેન્દ્રિત થઇ ગઇ છે. આ હત્યાકાંડમાં અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૬૯ લોકોના મોત થયા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનો સમાવેશ થાય છે.

૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ સર્જાયો હતો. ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દેવાની ઘટનાના એક દિવસ બાદ એટલે કે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ થયો હતો જેમાં ૬૬ આરોપીઓ રહેલા છે. ૩૦૦થી પણ વધુ સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવી ચુકી છે. ૨૦૦૯માં ટ્રાયલની શરૃઆત થઇ હતી. ટ્રાયલના ગાળા દરમિયાન ચાર આરોપીઓના મોત થઇ ચુક્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અસારવા બેઠક પરથી જીતી ગયેલા ભાજપના વર્તમાન કોર્પોરેટર બીપીન પટેલ પણ આરોપી પૈકીના એક છે.

વર્ષ ૨૦૦૨માં તેઓ ભાજપના કાર્પોરેટર તરીકે હતા. સીટ દ્વારા એવી દલીલ કરાઈ છે કે, ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ ૨૦૦૦૦થી ૨૨૦૦૦ જેટલા ટોળાએ ગુલબર્ગ સોસાયટીમાં હુમલો કર્યો હતો અને આ સોસાયટીને આગ ચાંપી દીધી હતી જેમાં ૬૯ લોકો ભડથુ થઇ ગયા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓને સીધીરીતે બોલાવવામાં આવ્યા હતા. સીટ મુજબ જીવલેણ હથિયારો, તલવારો, લાઠીઓ, કેરોસીન, પેટ્રોલ સાબિત કરે છે કે, તમામને જીવતા સળગાવી દેવાયા હતા. મોટાભાગના મૃતદેહ ખરાબરીતે સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. મારી નાંખતા પહેલા આ લોકો ઉપર અમાનવીયરીતે હુમલા કરાયા હતા. ૩૯ મૃતદેહ ઘટનાસ્થળથી મળ્યા હતા અને કેટલાક લોકો લાપતા હતા. આ તમામને મોડેથી મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓની સીધીરીતે સાક્ષી તરીકે બનાવ્યા હતા.

ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરીના વિધવા ઝાકીયા જાફરી દ્વારા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કેસ દાખલ કર્યો હતો જેમાં રમખાણોને ઉશ્કેરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સીટ દ્વારા તપાસ કરાઈ હતી. અંતે સીટે નરેન્દ્ર મોદીને ૨૦૧૨માં ક્લીનચીટ આપી હતી. જ્યારે સીટના અહેવાલને વર્ષ ૨૦૧૪માં મેટ્રો પોલિટિન મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય ઠેરાવવામાં આવ્યો હતો. કોર્ટે ઠેરવ્યું હતું કે, આરોપી સામે કોઇ પુરાવા નથી. ત્યારબાદ ઝાકિયાએ આ ચુકાદાને પડકાર ફેંકી હાઈકોર્ટમાં અપીલ કરી હતી જ્યાં આ મામલો પેન્ડિંગ છે. આ કેસ એવા નવ મોટા કેસો પૈકી એક છે જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સીટ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. અન્ય નવ કેસોમાં નરોડા પાટિયા, ઓડ, દિપડા દરવાજા, સરદારપુરા, પ્રાંતિજ, ગોધરા ટ્રેન અગ્નિકાંડનો સમાવેશ થાય છે. પ્રાંતિજ રમખાણ કેસમાં આરોપીઓને અપરાધી ઠેરવવામાં આવી ચુક્યા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope