ગુલબર્ગ હત્યાકાંડ કેસમાં આજે ટ્રાયલ કોર્ટ ચુકાદો આપી શકે છે

અમદાવાદ,કોમી રમખાણ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવી દેનાર ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં આવતીકાલે ખાસ ટ્રાયલ કોર્ટ તેનો ચુકાદો આપે તેવી શક્યતા દેખાઈ રહી છે. ટ્રાયલની પૂર્ણાહૂતિ થયા બાદથી સપ્ટેમ્બર ૨૦૧૫થી આ ચુકાદાની રાહ જોવામાં આવી રહી છે. આ ચુકાદાને લઇને તમામની નજર હવે કેન્દ્રિત થઇ ગઇ છે. આ હત્યાકાંડમાં અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૬૯ લોકોના મોત થયા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનો સમાવેશ થાય છે.

૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ સર્જાયો હતો. ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દેવાની ઘટનાના એક દિવસ બાદ એટલે કે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ થયો હતો જેમાં ૬૬ આરોપીઓ રહેલા છે. ૩૦૦થી પણ વધુ સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવી ચુકી છે. ૨૦૦૯માં ટ્રાયલની શરૃઆત થઇ હતી. ટ્રાયલના ગાળા દરમિયાન ચાર આરોપીઓના મોત થઇ ચુક્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અસારવા બેઠક પરથી જીતી ગયેલા ભાજપના વર્તમાન કોર્પોરેટર બીપીન પટેલ પણ આરોપી પૈકીના એક છે.

વર્ષ ૨૦૦૨માં તેઓ ભાજપના કાર્પોરેટર તરીકે હતા. સીટ દ્વારા એવી દલીલ કરાઈ છે કે, ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ ૨૦૦૦૦થી ૨૨૦૦૦ જેટલા ટોળાએ ગુલબર્ગ સોસાયટીમાં હુમલો કર્યો હતો અને આ સોસાયટીને આગ ચાંપી દીધી હતી જેમાં ૬૯ લોકો ભડથુ થઇ ગયા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓને સીધીરીતે બોલાવવામાં આવ્યા હતા. સીટ મુજબ જીવલેણ હથિયારો, તલવારો, લાઠીઓ, કેરોસીન, પેટ્રોલ સાબિત કરે છે કે, તમામને જીવતા સળગાવી દેવાયા હતા. મોટાભાગના મૃતદેહ ખરાબરીતે સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. મારી નાંખતા પહેલા આ લોકો ઉપર અમાનવીયરીતે હુમલા કરાયા હતા. ૩૯ મૃતદેહ ઘટનાસ્થળથી મળ્યા હતા અને કેટલાક લોકો લાપતા હતા. આ તમામને મોડેથી મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓની સીધીરીતે સાક્ષી તરીકે બનાવ્યા હતા.

ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરીના વિધવા ઝાકીયા જાફરી દ્વારા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કેસ દાખલ કર્યો હતો જેમાં રમખાણોને ઉશ્કેરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સીટ દ્વારા તપાસ કરાઈ હતી. અંતે સીટે નરેન્દ્ર મોદીને ૨૦૧૨માં ક્લીનચીટ આપી હતી. જ્યારે સીટના અહેવાલને વર્ષ ૨૦૧૪માં મેટ્રો પોલિટિન મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય ઠેરાવવામાં આવ્યો હતો. કોર્ટે ઠેરવ્યું હતું કે, આરોપી સામે કોઇ પુરાવા નથી. ત્યારબાદ ઝાકિયાએ આ ચુકાદાને પડકાર ફેંકી હાઈકોર્ટમાં અપીલ કરી હતી જ્યાં આ મામલો પેન્ડિંગ છે. આ કેસ એવા નવ મોટા કેસો પૈકી એક છે જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી સીટ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી. અન્ય નવ કેસોમાં નરોડા પાટિયા, ઓડ, દિપડા દરવાજા, સરદારપુરા, પ્રાંતિજ, ગોધરા ટ્રેન અગ્નિકાંડનો સમાવેશ થાય છે. પ્રાંતિજ રમખાણ કેસમાં આરોપીઓને અપરાધી ઠેરવવામાં આવી ચુક્યા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope