ગુલબર્ગ હત્યાકાંડ : દોષિતોને સજા અંગે આજે જાહેરાત, સઘન સુરક્ષા

અમદાવાદ,વર્ષ ૨૦૦૨ના સનસનાટીપૂર્ણ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં અમદાવાદની ખાસ અદાલત આવતીકાલે આરોપીઓને સજા અંગેની જાહેરાત કરનાર છે. હત્યાકાંડમાં રહેલા આરોપીઓ પૈકીના ૨૪ને અપરાધી ઠેરવવામાં આવ્યા હતા જ્યારે ૩૬ને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. હવે આવતીકાલે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખાસ અદાલત તમામ આરોપીઓને સજા અંગેની જાહેરાત કરશે. તમામ અપરાધીઓ પૈકી ૧૧ને હત્યાના મામલામાં અપરાધી ઠેરવવામાં આવ્યા છે. જેથી એમ માનવામાં આવે છે કે, સજા કઠોર પણ હોઈ શકે છે. તમામની નજર હવે કોને કેટલી સજા ગુલબર્ગ હત્યાકાંડ મામલામાં થાય છે તેના ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. આ હત્યાકાંડ અંગેના ચુકાદા ઉપર દેશભરની નજર કેન્દ્રિત થઇ છે. રાજકીય વર્તુળોમાં પણ આને લઇને રાજ જોવાઈ રહી છે. અત્રે નોંધનીય છે કે, બીજી જૂનના દિવસે અમદાવાદની ખાસ અદાલતે મામલામાં લાંબા ગાળા બાદ ચુકાદો આપતા ૬૬ આરોપીઓ પૈકી ૨૪ને અપરાધી ઠેરવ્યા હતા અને ૩૬ને નિર્દોષ છોડી મુક્યા હતા. જે આરોપીઓને અપરાધી જાહેર કરવામાં આવ્યા છે તેમાં વિહિપના નેતા અતુલ વૈધ્યનો સમાવેશ થાય છે. આરોપીઓને ટેકો આપવા માટે આવતીકાલે પણ કોર્ટ સંકુલમાં વિહિપના કાર્યકરો, પરિવારના સભ્યો પહોંચે તેવી શક્યતા છે જેથી કોર્ટ સંકુલની આસપાસ સુરક્ષા વધારવામાં આવી છે. ચકચારી આ કેસમાં ટ્રાયલ સાત વર્ષ સુધી ચાલી હતી. સઘન સુરક્ષા વચ્ચે ખાસ જજ પીબી દેસાઇ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો.

સપ્ટેમ્બર ૨૦૧૫માં ખાસ અદાલતે ટ્રાયલ પૂર્ણ કરી હતી. આ હત્યાકાંડમાં અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૬૯ લોકોના મોત થયા હતા જેમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનો સમાવેશ થાય છે. ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ સર્જાયો હતો. ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને આગ ચાંપી દેવાની ઘટનાના એક દિવસ બાદ એટલે કે ૨૮મી ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે આ હત્યાકાંડ થયો હતો જેમાં ૬૬ આરોપીઓ હતા. ૩૦૦થી પણ વધુ સાક્ષીઓની ઉલટ તપાસ કરવામાં આવી હતી. ૨૦૦૯માં ટ્રાયલની શરૃઆત થઇ હતી. જે સાત વર્ષ સુધી ચાલી હતી. ટ્રાયલના ગાળા દરમિયાન ચાર આરોપીઓના મોત થયા હતા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અસારવા બેઠક પરથી જીતી ગયેલા ભાજપના વર્તમાન કોર્પોરેટર બીપીન પટેલ પણ આરોપી પૈકીના એક હતા. તપાસ વેળા સીટ દ્વારા એવી દલીલ કરાઈ છે કે, ગોધરા ટ્રેન અગ્નિકાંડ બાદ ૨૦૦૦૦થી ૨૨૦૦૦ જેટલા ટોળાએ ગુલબર્ગ સોસાયટીમાં હુમલો કર્યો હતો અને આ સોસાયટીને આગ ચાંપી દીધી હતી જેમાં ૬૯ લોકો ભડથુ થઇ ગયા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓને સીધીરીતે બોલાવવામાં આવ્યા હતા.

સીટ મુજબ જીવલેણ હથિયારો, તલવારો, લાઠીઓ, કેરોસીન, પેટ્રોલ સાબિત કરે છે કે, તમામને જીવતા સળગાવી દેવાયા હતા. મોટાભાગના મૃતદેહ ખરાબરીતે સળગેલી હાલતમાં મળી આવ્યા હતા. મારી નાંખતા પહેલા આ લોકો ઉપર અમાનવીય રીતે હુમલા કરાયા હતા. ૩૯ મૃતદેહ ઘટનાસ્થળથી મળ્યા હતા અને કેટલાક લોકો લાપતા હતા. આ તમામને મોડેથી મૃત જાહેર કરવામાં આવ્યા હતા. સીટ દ્વારા ૨૪ સાક્ષીઓની સીધીરીતે સાક્ષી તરીકે બનાવ્યા હતા. ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્ય અહેસાન જાફરીના વિધવા ઝાકીયા જાફરી દ્વારા તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કેસ દાખલ કર્યો હતો જેમાં રમખાણોને ઉશ્કેરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં સીટ દ્વારા તપાસ કરાઈ હતી. અંતે સીટે નરેન્દ્ર મોદીને ૨૦૧૨માં ક્લીનચીટ આપી હતી. જ્યારે સીટના અહેવાલને વર્ષ ૨૦૧૪માં મેટ્રો પોલિટિન મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય ઠેરાવવામાં આવ્યો હતો. અન્ય નવ કેસોમાં નરોડા પાટિયા, ઓડ, દિપડા દરવાજા, સરદારપુરા, પ્રાંતિજ, ગોધરા ટ્રેન અગ્નિકાંડનો સમાવેશ થાય છે. મામલાને લઇને છેલ્લા કેટલાક દિવસથી ભારે ચર્ચા રહી હતી. નિર્દોષ છોડી મુકવામાં આવેલાઓમાં તત્કાલીન મેઘાણીનગર પોલીસ ઇન્સ્પેક્ટર કેજી ઇરડાનો સમાવેશ થાય છે. તેમના ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો હતા. ગુલબર્ગ સોસાયટીના નિવાસીઓને બચાવી લેવા માટે જ્યારે તેમની જરૃર હતી ત્યારે તેઓ ઘટનાસ્થળથી જતા રહ્યા હતા. બિનઅસરકારકરીતે ફરજ અદા કરવાનો તેમના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો. પુરાવાનો નાશ કરવાનો પણ આક્ષેપ હતો. અન્ય જે લોકોને નિર્દોષ છોડી મુકવાાં આવ્યા છે જેમાં સ્થાનિક ભાજપ કાઉન્સિલર બિપિન પટેલ, પૂર્વ કોંગ્રેસ કાઉન્સિલર મેઘસિંહ ચૌધરીનો સમાવેશ થાય છે. અપરાધીઓ અંગેના ચુકાદા ઉપર હવે તમામની નજર રહેશે. કોર્ટ સંકુલની આસપાસ પણ વિશેષ સુરક્ષા રહેશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope