જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના બનાવને લઇને રાજકીય ગરમી વધી રહી છે. જેએનયુ મુદ્દે આજે કોંગ્રેસની જોરદાર ઝાટકણી કાઢતા ભાજપના પ્રમુખ અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી રાષ્ટ્ર વિરોધી તત્વોને ટેકો આપી રહ્યા છે. અમિત શાહે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી કેટલી હદે ભાંગી પડી છે કે હવે રાષ્ટ્રવિરોધી તત્વોને ટેકો આપવાની ફરજ પડી રહી છે. રાહુલ ગાંધીને અમિત શાહે કરેલા આઠ પ્રશ્નો નીચે મુજબ છે.
પાકિસ્તાન ઝિંદાબાદ જેવા ભારત વિરોધી સૂત્રોચ્ચાર કરી રહેલા વિદ્યાર્થીઓને ટેકો આપીને શું રાહુલ ગાંધી આલગતાવાદી તત્વોને ટેકો આપી રહ્યા છે અને તેમની સાથે જોડાઈ ગયા છે
અલગતાવાદીઓને ટેકો આપીને વાણી સ્વતંત્રતાના નામે ભાગલાવાદી નીતિને અપનાવી રહ્યા છે
રાષ્ટ્રવિરોધી તત્વો સક્રિય રહે અને કેન્દ્ર સરકાર કોઇ પગલા ન લે તેમ રાહુલ ગાંધી ઇચ્છે છે
રાષ્ટ્રવિરોધી તત્વોની તરફેણ કરીને રાહુલ ગાંધી રાષ્ટ્રવિરોધી પરિબળોને પ્રોત્સાહન આપી રહ્યા નથી
૧૯૭૫માં ઇમરજન્સી લાગૂ કરવામાં આવી ત્યારે લોકશાહીની પરિભાષા અને મૂલ્યો શું હતા તે રાહુલ જાણતા નથી
ઇન્દિરા ગાંધીના હિટલર જેવા વલણના સંદર્ભમાં પણ રાહુલ ખુલાસો કરે
અફઝલગુરુને ટેકો આપી રહેલા લોકો અને અલગતાવાદી સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોને સમર્થન આપીને રાહુલ ગાંધી કયા પ્રકારની દેશભક્તિ દર્શાવી રહ્યા છે
સિયાચીન ગ્લેશિયરમાં માઇનસ ૫૦ ડિગ્રીમાં ફરજ બજાવનાર અને શહીદ થનાર લાન્સ નાયક હનુમંત થાપા સહિત ના જવાનોને રાહુલ આ પ્રકારની શ્રદ્ધાંજલિ આપવા માંગે છે