જરૂર પડશે તો કાનીમોઝીની ફરી પૂછપરછ કરાશે : ૨જી કૌભાંડમાં કાનીમોઝીની આઇટી દ્વારા પૂછપરછ થઇ

કલેગનર ટીવીને ૨૦૦ કરોડ રૂપિયા પહાચાડવાનાં મામલે ૯૦ મિનિટ સુધી કરૂણાનિધીની પુત્રીની પૂછપરછ કરાઇ

(સંપૂર્ણ સમાચાર સેવા)

ચેન્નઈ, તા. ૧૨

તમિળનાડુનાં મુખ્યમંત્રી એમ. કરૂણાનિધીની પુત્રી કાનીમોઝીની ઇન્કમટેકસ વિભાગનાં અધિકારીઓ દ્વારા ૨જી કૌભાંડનાં સંબંધમાં આકરી પૂછપરછ કરવામાં આવી હતી. કલેગનગર ટીવીને શાહિદ બલવાની માલિકીની ડીબી રિયાલીટી તરફથી મળેલા ૨૦૦ કરોડ રૂપિયાનાં મામલે કાનીમોઝીની ૯૦ મિનિટ સુધી આકરી પૂછપરછ કરવામાં આવી હતી. કલેગનર ટીવીમાં કાનીમોઝી પર હિસ્સેદારી ધરાવે છે.

૪૩ વર્ષીય સાંસદ કાનીમોઝી સમન્સ અપાયા બાદ ઊપસ્થિત રહ્યા હતાં. આઈઠી સૂત્રોનાં જણાવ્યા મુજબ ડીએમકે સાંસદ કાનીમોઝી અને કલાઈગીર ટીવીના એમડી શરદકુમારને અગાઊ ૨૦૦ કરોડ રૂપિયાના ટ્રાન્સફર અંગે સ્પષ્ટતા કરવા સમન્સ ફટકારવામાં આવ્યું હતું. ઈન્કમટેકસ વિભાગે ગુરુવારે હાજર રહેવા સમન્સ પાઠવ્યું હોવાથી પોસાબા હાઊસ કોર્ટમાં ગેરહાજર રહેવા મંજૂરી આપવા કાનીમોઝી અને શરદ કુમારે વિનંતી કરી હતી. પૂર્વ એડીશનલ સોલીસીટર જનરલ આસીફ એહમદ કનિમોઝી વતી કોર્ટને જાણ કરી હતી કે કાનીમોઝી અને શરદકુમારને ચેન્નાઈના નુનગામ બાકામ ખાતેની આઈટી ઓફિસમાં ૧૨મીના રોજ અનુક્રમે ૧૧ અને સાડાબાર વાગે હાજર રહેવાનું રહેશે. નાધનીય છે કે, કાનીનેઝીની અગાઊ સીબીઆઈ દ્વારા પણ ૩૬૩ પૂછપરછ કરવામાં આવી હતી. ટ્રાન્સફરનો મુદ્દો જ કેન્દ્ર સ્થાને હતો. જેના સંદર્ભે આઈટીએ પણ પૂછપરછ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.આઇટીનાં સૂત્રોએ કહ્યું છે કે, કાનીમોઝીની જો જરૂર પડશે તો ફરી પૂછપરછ કરવામાં આવશે. શરદ કુમારની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ બંનેની ડેપ્યુટી ડિરેકટર સ્તરનાં અધિકારીઓ દ્વારા પૂછપરછ કરાઇ હતી. આશરે દોઢ કલાકનાં ગાળા બાદ કાનીમોઝી આઇટીની ઓફિસથી રવાના થઇ ગયા હતાં. દિલ્હી કોર્ટે અંગત હાજરીમાંથી કાનીમોઝી અને કુમારને હાલમાં મુકિત આપી હતી. તેમની જામીન અરજી પર ચુકાદો ૧૪મી મેનાં દિવસે જાહેર કરવામાં આવશે.

ઇડીએ કલેગનગર ટીવીને જંગી નાણાંની ટ્રાન્સફરનાં મામલે પૂછપરછ માટે તેમની સામે સમન્સ જારી કર્યા હતાં. કલેગનર ટીવીમાં કાનીમોઝી અને કુમાર બંને ૨૦-૨૦ ટકાની હિસ્સેદારી ધરોવ છે. કરૂણાનિધીની પત્ની દયાલુઅમ્મલનું નામ પણ સીબીઆઇની પૂરક ચાર્જશીટમાં આવી ચૂકયું છે. કરૂણાનીધીની પત્ની કલેગનર ટીવીમાં ૬૦ ટકા હિસ્સેદારી ધરાવે છે.

આવતીકાલે તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થનાર છે તેથી પણ અસર થવાની શકયતા છે. કાનીમોઝી ૨જી કૌભાંડનાં કારણે વિવાદોના ઘેરામાં પહેલેથી જ આવી ચૂકયા છે. આગામી દિવસોમાં પણ રાહત મળવાની શકયતા છે.

સીબીઆઇ-આવકવેરા વિભાગ અને ઇડી દ્વારા ટુજી કૌભાંડમાં જુદી જુદી રીતે તપાસ કરવામાં આવી રહી છે. ડીએમકેનાં વરિષ્ઠ નેતા ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન રાજા પહેલેથી જ જેલનાં સળીયા પાછળ પહાચી ચૂકયા છે.

 

 

કાનીમોઝી મુશ્કેલીમાં

 

(સંપૂર્ણ સમાચાર સેવા) ચેન્નઇ,તા. ૧૨

· કરૂણાનિધીની પુત્રી કાનીમોઝીની ૯૦ મિનિટ સુધી પૂછપરછ

· ૨૦૦ કરોડની લેવડદેવડના મામલે આકરા પ્રશ્નો કરાયા

· આઇટી દ્વારા સમન્સ જારી કરાયા બાદ ઊપસ્થિત થયા

· જરૂર પડશે તો કાનીમોઝીની ફરી પૂછપરછ પણ કરવામાં આવશે

· કલેગનર ટીવીનાં એમડી શરદ કુમારની પણ પૂછપરછ કરાઇ

· પૂછપરછ કરાયા બાદ કાનીમોઝી આઇટીની ઓફિસમાંથી ગુપ્ત રીતે રવાના થઇ ગયા

· કાનીમોઝીની જામીન અરજી પર ૧૪મીએ ચુકાદો આવશે

· કાનીમોઝી અને શરદ કુમાર નવીદિલ્હીમાં ૨જી કાંડનાં સંબંધમાં ઇડીની સમક્ષ ઊપસ્થિત થઇ ચૂકયા છે

· કાનીમોઝી કલેગનર ટીવીમાં હિસ્સેદારી ધરાવે છે

 

માઘવારીમાં ઘટાડો : ફુગાવો ઘટીને ૭.૭૦ ટકા થઇ ગયા

ફયુઅલ ઇન્ડેકસ વધીને ૧૨.૨૫ ટકા નાધાયો : બટાકાની કમતમાં ઘટાડો : શાકભાજી પણ સસ્તી : લોકોેને રાહત

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી, તા. ૧૨

૩૦મી એપ્રિલે પૂરા થયેલા સપ્તાહો ખાદ્યાન્ન ફુગાવો ઘટીને ૭.૭૦ ટકા નાધાયો છે. જયારે ફયુઅલ ઈન્ડેકસ વધીને ૧૨.૨૫ ટકા થઈ ગયો છે. ગત સપ્તાહે ફુગાવાનો અને ફયુઅલ ઈન્ડેકસનો દર અનુક્રમે ૮.૫૩ અને ૧૩.૫૩ ટકા હતો. પ્રાથમિક ચીજવસ્તુઓનો ઈન્ડેકસ ૧૧.૯૬ ટકા નાધાયો છે. જે ગત સપ્તાહે ૧૨.૧૧ ટકા હતો. આમ ફુગાવાનો દર ઘટીને ૧૮ મહિનાની નીચી સપાટીએ આવી ગયો છે. ચાલુ સપ્તાહ દરમિયાન કઠોળની કમતમાં ર્વાિષક ધોરણે ૯ ટકાનો ઘટાડો થયો છે. જયારે શાકભાજીની કિંમત પણ ૩.૬૪ ટકા ઘટી છે. બટાકાની કમત ૩.૫૮ ટકા ઘટી છે. અનાજ અને ફળફળાદિની કમત હજુ પણ ઊંચી છે. અનાજની કમત ૪.૫૪ અને ફળફળાદિની કમત ૩૫ ટકા ર્વાિષક ધોરણે વધી છે. દૂધની કિંમત પણ ૪.૩ ટકા વધી છે. ઈંડા,મટન અને માછલીના ભાવ પણ ૪.૬૨ ટકા વધ્યા છે. બિન ખાદ્ય વસ્તુઓનો ઈન્ડેકસ ૨૮.૬૨ ટકા નાધાયો છે. ફાયબરની કમત ૮૬ ટકા અને ્મીનરલની કમત ૧૧.૯૫ ટકા વધી છે. ફુગાવાના દર કરતાં રીઝર્વ બક ઓફ ઈન્ડિયાને આંશિક રાહત મળે છે. ગત સપ્તાહે જ આરબીઆઈએ રેપોરેટમાં ૦.૫૦ ટકાનો વધારો ફુગાવાના દરને નિયંત્રણમાં લેવા કર્યો હતો.

 

 

માઘવારી ઘટવાની સાથે સાથ

 

(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી,તા.૧૨

· ખાદ્યાન્ન ફુગાવો ઘટીને ૭.૭૦ ટકા થયો

· ફયુઅલ ઇન્ડેકસ વધીને ૧૨.૨૫ ટકા

· પ્રાથમિક ચીજ-વસ્તુઓનાં ઇન્ડેકસમાં ઊતાર-ચઢાવ

· ફુગાવાનો દર ૧૮ મહિનાની નીચી સપાટીએ આવ્યો

· શાકભાજીની કમતમાં ૩.૬૪ ટકાનો ઘટાડો

· અનાજ અને ફળફળાદીની કમતમાં હજુ ઊંચી સપાટી

· દૂધની કમતમાં ૪.૩ ટકાનો વધારો

 

ઔદ્યોગિક ઊત્પાદનનો દર ઘટી ૭.૮ ટકા થયો

નવી દિલ્હી, તા. ૧૨

મેન્યું ફેકચરગ અને ખાણક્ષેત્રના નબળા દેખાવને લીધે નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧માં ઔદ્યોગિક ઊત્પાદનનો દર ઘટીને ૭.૮ ટકા નાધાયો છે. ગત નાણાંકીય વર્ષ ૨૦૦૯-૧૦માં ઔદ્યોગિક ઊત્પાદન વાૃદ્ધિદર ૧૦.૫ ટકા હતો જો કે ચાલુ વર્ષના ફેબ્રુઆરીની સરખામણીમાં માર્ચમાં ઔદ્યોગિક વાૃદ્ધિદર ૩.૬ ટકા વધ્યો છે. ઔદ્યોગિક ઊત્પાદનદરમાં ૮૦ ટકા હિસ્સેદારી ધરાવતા મેન્યુ ફેકચરગ ક્ષેત્રનો ર્વાિષક વાૃદ્ધિદર ૮.૧ ટકા નાણાંકીય વર્ષ ૨૦૧૦-૧૧માં નાધાયો છે જે ગત નાણાકીય વર્ષમાં ૧૧ ટકા હતો. માર્ચમાં પણ મેન્યુ ફેકચરગ ક્ષેત્રના વાૃદ્ધિદરમાં ઘટાડો થયો હતો. ગત વર્ષના માર્ચમાં તેનો વાૃદ્ધિદર ૧૬.૪ ટકા હતો જે ચાલુ વર્ષે ૭.૯ ટકા નાધાયો છે. પણ ક્ષેત્રના જે ચાલુ વર્ષે ૭.૯ ટકા નાધાયો છે. પણ ક્ષેત્રના વાૃદ્ધિદરમાં પણ ઘટાડો થઇ ૫.૯ ટકા રહ્યો છે. જે ગત નાણાંકીય વર્ષમાં ૯.૯ ટકા હતો માર્ચ માસમાં પણ ક્ષેત્રનો વાૃદ્ધિદર ૦.૨ ટકા જ નાધાયો છે જે ગત નાણાંકીય વર્ષમાં ૨૦.૯ ટકા હતો. કેપીટલ ગુડઝનો ઊત્પાદન દર ચાલુવર્ષના માર્ચમાં ૧૨.૯. ટકા નોધેલો છે. ૨૦૧૦ના માર્ચમાં તે ૩૬ ટકા હતો. ગત નાણાંકીય વર્ષમાં ઉર્જા ક્ષેત્ર દર ૫.૬ ટકા થયો છે. જે ૨૦૦૯-૧૦માં ૬ ટકા હતો માર્ચ માસમાં ગત વાૃદ્ધિદર ૮.૩ ટકાની સાથે ૭.૨ ટકા નાધાયો છે ચાલુવર્ષના માર્ચ માસમાં ૧૭ ઔદ્યોગિક જીવોમાંથી ૧૩ની વાૃદ્ધિ થવા પામી છે. કન્ઝ્યુમર ડ્યુરેલલ વાૃદ્ધિદર ૨.૨ ટકા ગત વર્ષના ૦.૪૩ની સાથે માર્ચમાં નાધાયો છે. ૨૦૦૯-૧૦ના ૬.૨ ટકાના વાૃદ્ધિદર સાથે કન્ઝ્યુમર ગુડ્ઝનો વાૃદ્ધિદર ગત નાણાંકીયવર્ષમાં ૭.૫ ટકા નાધાયો છે. ઔદ્યોગિક ઊત્પાદન ઘટી જતાં તેની શેરબજાર પર પણ પ્રતિકૂળ અસર થઇ છે.

 

નાણાકીય વર્ષ ૨૦૦૯-૨૦૧૦માં ઔદ્યોગિક વાૃદ્ધિ દર ૧૦.૫ ટકા હતો જે હવે ઘટીને ૭.૮ ટકા થઇ ગયો છે

 

બેકગ, આઇટી અને કેપિટલ ગુડસનાં શેરમાં ઘટાડો નાધાયો : સેન્સેકસમાં ફરી ૨૪૯ પોઇન્ટનો ઘટાડો, ચાંદીમાં ૭૩૦૦નો કડાકા

પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બાદ પેટ્રોલિયમ પેદાશોની કમતમાં વધારાની દહેશતની વચ્ચે શેરબજારમાં કડાકો : ઊથલપાથલ જારી

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ/મુંબઈ, તા. ૧૨

પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીના આવતીકાલે જાહેર થનારા પરિણામો બાદ પેટ્રોલિયમ પેદાશોની કમતમાં સરકાર દ્વારા વધારો થવાની દહેશતને પગલે મુંબઈ શેરબજારનાં બીએસઈ સેન્સીટીવ ઈન્ડેકસમાં ૧.૩૪ ટકા અથવા ૨૪૯.૧૭ પોઈન્ટનો આજે ઘટાડો થતાં ૧૮૩૩૫.૭૯ની સપાટીએ નરમ આવ્યો હતો. સેન્સેકસી જેમ નેશનલ સ્ટોક એકસચેન્જ (એનએસઈ)ના નિફટીમાં પણ ૧.૪૨ ટકા અથવા ૭૮.૮૫ પોઈન્ટનો ઘટાડો થતાં ૫૪૮૬.૧૫ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેકસ આજે નીચા મથાળે ખૂલ્યો હતો. પરંતુ માર્ચ માસના આઈઆઈની આંકડાઓ અપેક્ષા કરતાં સારા આવતાં તે હકારાત્મક શ્રેણીમાં પ્રવેશી ગયો હતો. જો કે આવતીકાલે જાહેર થનારા વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો રોકાણકારો દ્વારા સાવચેતીપૂર્વક વલણ અપનાવવામાં આવતાં તે નકારાત્મક શ્રેણીમાં પ્રવેશી ગયો હતો. રીયાલ્ટી ઈન્ડેકસ સિવાય. તમામ ઈન્ડેકસો આજે ઘટાડા સાથે બંધ રહ્યા હતાં. મેટલ ઈન્ડેકસમાં સૌથી વધુ ૪ ટકાનો ઘટાડો થયો હતો.બકગ, આઈટી અને કેપીટલ ગુડ્ઝમાં ૧ થી ૨ ટકાનો ઘટાડો થયો હતો. ઓટો ઈન્ડેકસમાં ૧ ટકાનો ઘટાડો થયો હતો. બીએસઈ-૩૦ સ્ક્રીપોમાં સૌથી વધુ ૨.૭ ટકાનો કડાકો એચડીએફસીમાં થયો હતો. જેથી એસોસીએટ્સ અને ટીસીએસમાં ૨.૩ ટકાનો ઘટાડો થયો હતો. માત્ર ત્રણ કંપનીના શેરની કમત જ વધી હતી. સૌથી વધુ ૦.૬ ટકાનો ઊછાળો ઓએનજીસીમાં થયોહ તો. રીયાલ્ટી જાયન્ટ ડીએલએફમાં ૦.૨ ટકાનો વધારો થયો હતો.

માર્કેટ બ્રેડથ નબળી રહી હતી. ૨૨ ટકા શેર જ વધ્યા હતાં. એશિયાના અન્ય બજારોમાં જાપાનનો ૨૨૫ નિક્કી ૧.૫ ટકા અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ૨ ટકા ઘટ્યો હતો. હાગકાગનો હેેંગસગ ૧ ટકા ઘટીને બંધ રહ્યો હતોદરમિયાન વૈશ્વિક બજારોના નકારાત્મક સંકેતના પગલે આજે ચાર દિવસની તેજી બાદ બંને કમતી ધાતુઓમાં ભારે ઘટાડો નાધાયો હતો. અમદાવાદ બુલિયન બજારમાં ચાંદીમા વધુ ૭૩૦૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. ૭૩૦૦ રૂપિયા ઘટાડો થતાં ચાંદીની કમત પ્રતિ કિલો ૫૨૫૦૦ની સપાટીએ બંધ રહી હતી. જયારે ૩૭૫ રૂપિયા ઘટી શુદ્ધ સોનું (૯૯.૯) ૨૨૨૦૦ અને સ્ટાન્ડર્ડ સોનું (૯૯.૫)થી કમત ૨૨૧૦૦ની સપાટીએ રહી હતી. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે રૂ ૭૨૦૦ ઘટી ચાંદીની કમત રૂ ૫૩૩૦૦ પ્રતિકિલો થઈ ગઈ હતી. શુદ્ધ સોનું ૪૧૦ રૂપિયા ઘટી પ્રતિતોલા ૨૨૧૭૦ રૂપિયા બોલાઈ હતી. જયારે ૪૧૦ રૂપિયા ઘટી સ્ટાન્ડર્ડ સોનું ૨૨૦૫૦ રૂપિયા પ્રતિતોલા થઈ ગઈ હતી.

 

શેરબજારની સાથ સાથે

 

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઇ,તા. ૧૨

· નબળા ઔદ્યોગિક ઊત્પાદન વચ્ચે સેન્સેકસમાં ૨૪૯ પોઇન્ટનો ઘટાડો

· ક્રુડ ઓઇલની વધતી જતી કિમત વચ્ચે વૈશ્વિક બજારમાં પણ ઘટાડો

· ફંડ દ્વારા જોરદાર વેચવાલી

· મેટલ, કેપિટલ ગુડસ અને બેકગ સેકટરનાં શેરમાં ઘટાડો

· નિફટીમાં વેચવાલીનાં લીધે ૭૯ પોઇન્ટનો ઘટાડો

· નબળા ઔદ્યોગિક ઊત્પાદનનાં આંકડાથી બજારમાં ચતા ફેલાઇ

· ક્રુડની કમત અમેરિકામાં બેરલ દીઠ ૯૯.૪૦ ડોલર

· મેટલ ઇન્ડેકસમાં ૨.૯૯ ટકાનો ઘટાડો

· કેપિટલ ગુડ્સ ઇન્ડેકસમાં ૧.૪૨ ટકાનો ઘટાડો

· બૈકગ ઇન્ડેકસમાં ૧.૩૯ ટકાનો ઘટાડો

 

સરબજીતની મુકિતનાં પ્રયાસો ઝડપી બનશે : સરબજીતનાં કેસનાં મામલે સરકારને સુપ્રિમની નોટિસ

મામલામાં કાર્યવાહી કરવા સરકારને આદેશ : સરબજીત બે દશકથી પાકિસ્તાનની જેલમાં છે : બહેન દ્વારા અરજી

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમાૃતસર, તા. ૧૧

છેલ્લા બે દશકથી પાકિસ્તાનની કોટ લખપત જેલમાં હવા ખાઈ રહેલા ભારતીય નાગરિક સરબજીત સહને છોડાવી લેવા માટે પગલા લેવાના સબંધમાં આજે સરકારને નોટીસ ફટકારી હતી. સરબજીતસહના વકીલ અરવદ શર્માએ આજે જણાવ્યું હતું કે, સરબજીતની બહેન દલબીર કૌર દ્વારા બંધારણની કલમ ૩૨ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીનાં આધાર ઊપર આ નોટિસ ફટકારવામાં આવી છે. તેઓએ આશા વ્યકત કરી છ કે કોર્ટની નોટિસથી સરબજીતની મુકિત માટે સરકારનાં પ્રયાસો વધુ તીવ્ર બનશે અને પાકિસ્તાન ઊપર દબાણ પણ વધશે. અન્ય એક કેદી ગોપાલદાસને સાતમી એપ્રિલનાં દિવસે ૨૭ વર્ષ સુધી જેલની સજા ગાળ્યા બાદ પાકિસ્તાન દ્વારા છોડી મૂકવામાં આવ્યો હતો, તેઓ ભારત પરત ફર્યા હતાં. અરવદે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી આ મામલો પણ ગોપાલદાસ જેવો જ છે. અરવદે કહ્યું હતું કે, સરબજીતનો મામલો ભૂલનો સ્પષ્ટ કેસ છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં સળિયા પાછળ રહેલી વ્યકિત સરબજીતસહ છે જયારે એફઆઇઆરમાં મનજીતસહનો ઊલ્લેખ છે અને મનજીતસહની કોઇપણ પ્રકારની ભાળ મળી નથી. આટલા લાંબાગાળા સુધી કોઇપણ નિર્દોષ વ્યકિતને રાખી શકાય નહ. સરબજીતની બહેન દલબીર કૌરે કહ્યું છે કે, આ એક મોટી સિદ્ધિ છે અને આશા વ્યકત કરી છે કે ગોપાલદાસ મુકત થયા બાદ તેનાં ભાઇને પણ સ્વદેશ પરત ફરવાની તક આપી દેવામાં આવશે. સરબજીતની પત્નીની સાથે તેની બે પુત્રીઓએ પણ પાકિસ્તાન હાઇકમિશન તરફથી વિઝા માટે અપીલ કરેલી છે. સરબજીતની પત્ની અને દલબીર સરબજીતને મળવા માંગે છે. અગાઊ દલબીર કૌરે સરબજીતનાં વકીલ શેખને પાકિસ્તાની કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પરત ખચી લેવા અપીલ કરી હતી. ભીખીવડ ગામનો નિવાસી સરબજીત વર્ષ ૧૯૯૦માં શરાબનાં નશામાં પાકિસ્તાન જતો રહ્યો જયાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી ત્યારબાદથી તે પાકિસ્તાની જેલમાં છે.

 

 

IAS પરીક્ષા રિઝલ્ટ : ચેન્નઈ સ્થિત યુવતી પ્રથમ નંબરે રહી

પ્રતિષ્ઠાજનક સિવિલ ર્સિવસીસ એકઝામિનેશનમાં દિવ્યા દર્શનીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે : બીજા નંબરે પણ યુવતી

 

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી, તા. ૧૧

પ્રતિષ્ઠિત સીવીલ ર્સિવસીસ એકઝામીનેશન ૨૦૧૦નાં પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા હતાં. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ  ચેન્નાઈની કાયદા વિષયની સ્નાતક એસ. દિવ્યાદર્શનીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજા નંબરે પણ કોમ્પ્યુટર એન્જિનીયર એવી મહિલા શ્વેતા મોહંતીએ બાજી મારી છે. ત્રીજા સ્થાને ચેન્નાઈના જ દાંતના ડોકટર આર. વી. વરૂણકુમાર આવ્યો છે. ચાલુ વર્ષે સિવિલ ર્સિવસ પરીક્ષામાં ૯૨૦ ઊમેદવારો ઊત્તીર્ણ થયાં છે. જેમાં ૨૦૩ મહિલાઓ છે. ચેન્નઈની ડો. આંબેડકર લો યુનિર્વિસટીમાંથી બીએ બીએસ (હોન્સ)ની ડિગ્રી મેળવનાર દિવ્યાદર્શનીએ બીજા પ્રયત્નેે પરીક્ષા પાસ કરી છે. મોહંતીએ ત્રીજા પ્રયત્ને પરીક્ષા ઊત્તીર્ણ કરી છે. પુરુષોમાં ટોચનું સ્થાન મેળવનાર કુમાર ચેન્નઈની રાગસ ડેન્ટલ કોલેજમાંથી બીડીએસ પદવી મેળવી છે. જેણે ત્રીજા તબક્કે પરીક્ષા પાસ કરી છે. આનંદીત બનેલી દિવ્યા દર્શનીએ કહ્યું હતું કે, મ અપેક્ષા સેવી ન હતી કે તે પ્રથમ સ્થાને આવશે. મને ઘણી નવાઈ લાગી છે પરિણામ સારું આવશે. તેની અપેક્ષા હતી. પરંતુ પ્રથમ આવીશ તેની સહેજ પણ અપેક્ષા ન હતી.  ટોચના સહવિદ્યાર્થીઓમાં ૨૦ પુરુષો, અને પાંચ મહિલા છે. જેમાંથી ૧૫ એન્જિનિયર, જયારે પાંચ તબીબક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ૯૨૦ ઊત્તીર્ણ ઊમેદવારોમાંથી ૨૮ શારીરીક વિકલાંગ છે. ૫,૪૭,૬૯૮ ઊમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી હતી. જેમાંથી ૨,૬૯,૦૩૬ ઊમેદવારોએ પ્રાથમિક પરીક્ષા આપી હતી. મુખ્ય લેખિત પરીક્ષા માટે ૧૨૪૯૧ ઊમેદવારો લાયક ઠર્યા હતા. જેમાંથી ૨૫૮૯ ઊમેદવારોને પર્સનલ ટેસ્ટ માટે બોલાવાયા હતા. જેમાંથી અંતે ૯૨૦ ઊત્તીર્ણ થયા હતા.

IAS પરીક્ષા ચિત્ર…..

(સંપૂર્ણ સમાચાર સેવા)                                  નવી દિલ્હી, તા. ૧૧

પરીક્ષા યોજાઇ                     ૨૦૧૦
પરિણામ જાહેર થયું              મે ૨૦૧૧
ઊત્તીર્ણ થયેલાં ઊમેદવાર         ૯૨૦
ઊત્તીર્ણ થયેલી વિદ્યાર્થીનીઓ     ૨૦૩
ટોચનાં વિદ્યાર્થીઓ                 ૨૦
ટોચની વિર્દ્યાિથનીઓ            ૦૫
એન્જિનિયરગનાં વિદ્યાર્થીઓ      ૧૫
તબીબ ક્ષેત્રનાં વિદ્યાર્થી            ૦૫
શારીરિક વિકલાંગ વિદ્યાર્થી        ૨૮
અરજી કરનાર ઊમેદવાર         ૫,૪૭,૬૯૮
લેખિત પરીક્ષા માટે લાયક        ૧૨૪૯૧
પર્સનલ ટેસ્ટ માટેનાં વિદ્યાર્થી     ૨૫૮૯

 


 

 

૧૪ વર્ષના લાંબાગાળા બાદ અરજી દાખલ કરાતા સુપ્રીમ લાલઘુમ : ભોપાલ ગેસ દુર્ઘટના કેસ ફરીથી ખોલવા માટેની અપીલ ફગાવાઇ

વર્ષ ૧૯૮૪ની દુનિયાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતનાં ભોગ બનેલાં લોકોને મોટી પીછેહઠ : સીબીઆઇની અરજી સુપ્રીમ કોર્ટે અંતે ફગાવી દીધી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવીદિલ્હી,તા. ૧૧
વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક હોનારત ભોપાલ ગેસ દુર્ઘટનાનાં ભોગ બનેલાં લોકોને આજે મોટી પીછેહઠ સાંપડી હતી. કારણકે સુપ્રીમ કોર્ટે ભોપાલ દુર્ઘટના કેસને ફરી ખોલવા માટેની સીબીઆઇની અપીલને ફગાવી દીધી હતી. ખૂબજ મોટી દુર્ઘટના હોવા છતાં માત્ર બે વર્ષ જેલની હળવી સજા સાથે છટકી ગયેલા આરોપીઓ સામે ખટલો ચલાવવાની માંગણી કરીને સીબીઆઇ દ્વારા અરજી કરવામાં આવી હતી. મહત્તમ દસ વર્ષની જેલની સજાની જોગવાઇ ધરાવતા કઠોર કાયદા હેઠળ સજા કરવાની માંગણી કરીને આ અપીલ કરવામાં આવી હતી. જસ્ટીસ અલ્તામસ કબીર, આર.વી.રવિન્દ્રન, બી.સુદર્શન રેડ્ડી, આફતાબ અલમની બનેલી સુપ્રીમ કોર્ટેની બચે આ ચુકાદો આપ્યો હતો. ચીફ જસ્ટીસ એસ.એચ.કાપડીયાનાં નેતાૃત્વમાં આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી  અરજીમાં સ્પષ્ટીકરણ જે અપાયો છે તે સંતોષજનક નથી. સીબીઆઇ દ્વારા અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે સ્પષ્ટીકરણ અપાયું છે તે સંતોષજનક નથી હોવાથી વાત માનવા જેવી નથી. ૧૪ વર્ષનાં લાંબા ગાળા બાદ આ અરજી દાખલ કરાઇ છે. બચે આ કેસનાં સંદર્ભમાં આટલા લાંબા ગાળા બાદ અરજી બાદ સીબીઆઇની પણ ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટ દરરોજનાં આધારે સુનાવણી ચલાવી રહી છે. હવે ભોગ બનેલાં લોકો માટે વળતરની રકમ ૭૫૦ કરોડથી વધારીને ૭૭૦૦ કરોડ કરવા માટેની સુનાવણી ચલાવશે. સુપ્રીમ કોર્ટનાં ૧૪ વર્ષ જૂના ચુકાદાને રિકોલ કરવાની માંગ કરતી અરજી પર ૨૭મી એપ્રિલનાં દિવસે આજ બચે ચુકાદો અનામત રાખ્યો હતો, તેની અરજીમાં સીબીઆઇએ કઠોર આરોપો પુનઃ લાગુ કરવાની માંગણી કરી હતી. બીજીબાજુ મધ્યપ્રદેશ સરકારે પણ સુપ્રિમ કોર્ટમાં સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દરમિયાનગીરીની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૩૧મી ઓગસ્ટનાં દિવસે હળવી સજા તરફ દોરી જનાર પોતાનાં ચુકાદાની ફેરતપાસ કરવાનો નિર્ણય કર્યો હતો. યુનિયન કાર્બાઇડ ઇન્ડિયાનાં ભૂતપૂર્વ ચેરમેન કેસુબ મહિન્દ્રા સહિત કેટલાંક આરોપીઓને જેલની સજા કરવામાં આવી હતી. આ તમામ સાત આરોપીઓને બે-બે વર્ષની સજા કરાઇ હતી.

ભોપાલ ગેસ દુર્ઘટનામાં ગયા વર્ષે સાતમી જૂનનાં દિવસે ટ્રાયલ કોર્ટે તમામ સાત દોષિતોને સાત દોષીઓને બે-બે વર્ષ જેલની સજા ફટકારી હતી. આ ચુકાદો આવ્યા બાદ ભારે હોબાળો મચી ગયો હતો. ચુકાદો આવ્યા બાદ લોકોએ જોરદાર દેખાવો પણ કર્યા હતાં. આનાં કારણે ઝૂકી જઇને સરકારે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી હતી.
ગેસ દુર્ઘટના માટે જવાબદાર લોકો સામે હળવી સજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી. સીબીઆઇ તરફથી હાજર થયેલાં એટર્ની જનરલ ગુલામ ઇ. વહાણવટીએ કહ્યુ હતું કે, સમગ્ર મામલામાં સમીક્ષા કરવાની માંગ કરવાનો તપાસ સંસ્થાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે. આ દિશામાં ધ્યાન આપાવમાં તે જરૂરી છે. જોકે આ કેસને ફરી ખોલવાની સીબીઆઇની અરજીને ફગાવી દેવામાં આવી હતી.

ભોપાલ ગેસ દુર્ઘટનાનાં સાત દોષિતો કોણ કોણ

(સંપૂર્ણ સમાચાર સેવા)                               નવીદિલ્હી,તા. ૧૧

૧ કેસુબ મહિન્દ્રા  (યુનિયન કાર્બાઇડ ઇન્ડિયાનાં પૂર્વ વડા)
૨. વિજય ગોખલે (યુનિયન કાર્બાઇડ ઇન્ડિયાનાં તત્કાલીન એમ.ડી)
૩. કિશોર કામદાર (તત્કાલીન ઊપપ્રમુખ)
૪. જે.એન.મુકુંદ (તત્કાલીન વર્કસ મેનેજર)
૫. એસ.બી.ચૌધરી તત્કાલીન પ્રોડકશન મેનેજર
૬. કે.બી.શેટ્ટી (તત્કાલીન પ્લાન સુપ્રિટેન્ડડેન્ટ)
૭. એસ.આઇ.કુરેશી (તત્કાલીન પ્રોડકશન આસિસ્ટન્ટ)

 

અમરસહને મોટો ફટકો : ટેપ જાહેર કરવા ઊપર સ્ટે ઊઠાવ્યો

સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસહની અરજી સુપ્રીમે ફગાવી : ફોન ઊપર વાતચીતની ટેપ જારી કરાશ

(સંપૂર્ણ સમાચાર સેવા)

નવી દિલ્હી,તા. ૧૧

સુપ્રીમ કોર્ટે સમાજવાદી પાર્ટીના ભૂતપૂર્વ નેતા અમરસહને આજે મોટો ફટકો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે અમરસહ દ્વારા કરવામાં આવેલી અરજીને આજે ફગાવી દીધી હતી. સાથે સાથે તેમની ફોન પર થયેલી વાતચીતની ટેપને મિડિયામાં પ્રકાશિત કરવા પર મુકવામાં આવેલો મનાઈહુકમ ઊઠાવી લીધો હતો. આનો મતલબ એ થયો કે હવે અમરસહની થયેલી ફોન પર વાતચીતની ટેપ જાહેર કરવામાં આવશે. અત્રે નાધનીય છે કે એક નેતાઓ અને બોલિવુડની અભિનેત્રીઓ સાથે તેમની વાતચીત ટેપ કરવામાં આવી હતી. જસ્ટીસ જી. એસ. સિઘંવી અને જસ્ટીસ એ.કે. ગાંગુલીની બચે અમરસહની અરજીને ફગાવી દેતા ટેપ મિડિયામાં પ્રકાશિત  કરવાના મામલે મુકવામાં આવેલા વચગાળાના સ્ટેને ઊઠાવી લીધો હતો.
અલબત્ત અમરસહને આંશિક રાહત આપીને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેઓ ગેરકાયદે રીતે ફોન ટેપ કરવાના મામલે ટેલિકોમ ઓપરેટરની સામે પગલા લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમરસહે આ તમામ મામલે કેટલીક બાબતો છુપાવી છે. અત્રે નાધનીય છે કે સુપ્રીમ કોર્ટે ૨૭મી    ફેબ્રુઆરી ૨૦૦૬ના દિવસે ઈલેકટ્રોનિક મિડિયા અને પ્રિન્ટ મિડિયા દ્વારા અમરસહ અને અન્ય કોઈ પણ વ્યકિતની વાતચીતની ટેપ પ્રકાશિત કરવા સામે સ્ટે મુકી દીધો હતો. બચે ૨૯મી માર્ચના દિવસે અમરસહ  અને એક બિન સરકારી સંગઠન સીપીઆઈએલની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સીપીઆઈએલ દ્વારા અમરસહની અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની વાતચીતની ટેપ જાહેર કરવાની માંગણી કરી હતી.

 

ભારતનાં મોસ્ટવોન્ટેડ ૫૦ ત્રાસવાદીઓની યાદી……

(સંપૂર્ણ સમાચાર સેવા)                                                                                               નવીદિલ્હી,તા.૧૧

ભારત સરકારે આજે પાકિસ્તાનમાં છૂપાયેલાં ૫૦ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ અને અપરાધીઓની વિસ્તાૃત યાદી જારી કરી હતી. આ યાદીમાં અંડરવર્લ્ડ ડોન દાઊદ ઇબ્રાહીમનો પણ સમાવેશ થાય છે. યાદીમાં એ તમામ ત્રાસવાદીઓ સામેલ છે ભારતમાં કોઇને કોઇ ત્રાસવાદી હુમલામાં સામેલ રહ્યા છે. મોસ્ટ વોન્ટેડ ૫૦ ત્રાસવાદીઓની યાદી નીચે મુજબ છે.

ક્રમ નામ સંગઠન

૧. દાઊદ ઇબ્રાહિમ અંડરવર્લ્ડ ડોન
૨. હફીઝ સઇદ  લશ્કર-એ-તોયબા
૩. જાકીરઊર રહમાન લખવી મુંબઇ હુમલામાં માસ્ટર માઇન્ડ
૪. મૌલાના મસૂદ અઝહર જૈશ-એ-મહંમદ
૫. ઇલ્યાસ કાશ્મીરી અલકાયદાનો શખ્સ
૬. મેમન ઇબ્રાહીમ ઊર્ફે ટાઇગર મેમણ દાઊદનો સાગરિત
૭. શેખ શકીલ ઊર્ફે છોટા શકીલ દાઊદનો સાગરિત
૮. મેમણ અબ્દુલ અય્યુબ રઝાક દાઊદનો સાગરિત
૯. અનિસ ઇબ્રાહીમ કાસકર દાઊદનો ભાઇ
૧૦. શેખ અનવર હાજી કુખ્યાત ત્રાસવાદી
૧૧. જમાલ દાઊદનો સાગરિત
૧૨. મહોમ્મદ ડોસા દાઊદનો સાગરિત
૧૩. સૈયદ સલાઊદ્દી હિજબુલ મુજાહિદ્દીનનો વડો
૧૪. અમાનઊલ્લા ખાન જમ્મુ-કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટનો સ્થાપક
૧૫. લખબીરસહ  પંજાબી ત્રાસવાદી
૧૬. પરમજીત સહ પંજાબી ત્રાસવાદી
૧૭. રણજીતસહ ઊર્ફે નીટા પંજાબી ત્રાસવાદી
૧૮. વાધવાસહ પંજાબી ત્રાસવાદી
૧૯. સાજિદ માજિદ પાક. સેના અધિકારી
૨૦. મેજર ઇકબાલ પાક. સેના અધિકારી
૨૧. મેજર સમીર અલી પાક. સેના અધિકારી
૨૨. સૈયદ અબ્દુલ રહમાન ઊર્ફે પાશા પાક. સેના અધિકારી
૨૩. અબુ હમજા પાક. ત્રાસવાદી
૨૪. જાવેદ ચીકના અંડરવર્લ્ડ ગગસ્ટર
૨૫. સલીમ અબ્દુલ ઘાંચી અંડરવર્લ્ડ ગગસ્ટર
૨૬. રિયાઝ ખતરી અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૨૭. મુનાફ હલારી અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૨૮. મહંમદ સલીમ મુજાહીદ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૨૯. ઇરફાન ચોગુલે અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૦. ખાનબશીર અહમદ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૧. યાકુબ અદાખાન અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૨. ઇરફાન ચોગુલે અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૩. ફિરોઝ રશીદ ખાન અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૪. અલી મુસા અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૫. સગીર અલી શેખ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૬. આફતાબ બખ્તી અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૭. આઝમ ચીમા અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૮. સૈયદ ઝાબીયુદ્દીન અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૩૯. ઇબ્રાહીમ યથાથ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૦. જાહુર ઇબ્રાબીમ મિસ્ત્રી અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૧. અખ્તર સૈયદ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૨. મહોમ્મદસકીર અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૩. રઊફ અબ્દુલ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૪. સફિયાન મુફતી અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૫. નાચન અકમલ અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૬. પઠાણ યાકુબ ખાન અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૭. કામબશીર અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૮. અમીરાજાખાન અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૪૯. રશીદ અબ્દુલ્લા અંડરવર્લ્ડ/ત્રાસવાદી
૫૦. મેમણ ઇબ્રાહીમ અંડરવર્લ્ડ/ત્રાસવાદી

 

પેટ્રોલ, ડિઝલ અને LPG ભાવમાં ટૂંકમાં વધારો ઝકાશ

સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૩ 
વધતી જતી માઘવારી વચ્ચે પેટ્રોલ અને ડિઝલની કમતમાં ટૂંક સમયમાં જ વધારો ઝકવામાં આવે તેવી શકયતા છે. વિધાનસભાની ચુંટણી પૂર્ણ થઇ ગયા બાદ કોઇ પણ સમયે ભાવ વધારો ઝકવામાં આવશે. ભાવ વધારો હવે જરૂરી બની ગયો હોવાનું માનવામાં આવે છે. ભારત તેની ક્રૂડની જરૂરીયાતો પૈકી ૭૫ ટકા જરૂરીયાત આયાતથી પૂર્ણ કરે છે. આ ઊપરાંત વૈશ્વિક બજારોમાં હાલમાં ઊથલપાથલની સ્થિતિ સર્જાઇ રહી છે. ઓઇલ માર્કેટગ કંપનીઓને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કમતોમાં ફયુઅલ વેચવાના કારણે વર્ષ ૨૦૧૦-૨૦૧૧માં ૧૭૪૦૦ કરોડથી વધુનું નુકસાન થઇ ચુકયુ છે. ઓઇલ માર્કેટગ કંપનીઓને પેટ્રોલ, ડિઝલ, કેરોસિન અને રાધણ ગેસ સહિતની તમામ ઊપયોગી ચીજોને વેચવામાં ભારે નુકશાન ઊઠાવી પડી રહ્યુ છે. ડિઝલ પર લિટરદિઠ ૧૬.૭૬ રૂપિયાનુ નુકશાન ઊઠાવી પડી રહ્યુ છે.  સિલેન્ડર પર ૩૧૫.૮૬ રૂપિયાનુ નુકશાન થઇ રહ્યુ છે. પેટ્રોલ પર લિટરદિઠ ૪.૫૦ રૂપિયાનુ નુકશાન થઇ રહ્યુ છે. પેટ્રોલને સત્તવાર રીતે નિયંત્રિત મુકત બનાવી દીધા બાદ પણ સ્થિતિમાં સુધાર થયો નથી. સરકાર પાસે ભાવ વધારો ઝકવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી. ક્રૂડ બેરલ દિઠ ૧૦૦ ડોલરથી નીચી સપાટી પર પહાચે તેવી શકયતા ઓછી દેખાઇ રહી છે.
આવી સ્થિતિમાં ભાવ વધારો જરૂરી બની ગયો છે. ન્યૂયોર્કના લાઇટ સ્વીટ ક્રૂડનો ભાવ ૧૧૧.૩૮ ડોલર છે. આવી જ રીતે બ્રેન્ડ નોર્થ સી ક્રૂડનો ભાવ ૧૨૧.૬૭ ડોલર છે. અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે કેટલાક રાજયોમાં હાલ વિધનસભાની ચુંટણી ચાલી રહી છે આવી સ્થિતિમાં નિર્ણય લઇ શકાશે નહ પરંતુ સરકાર ઊપર દબાણ સંકટ વધી રહ્યુ છે. તાજેતરમાં જ ઈન્ડિયન ઓઇલે પેટ્રોલીયમ પ્રધાન એસ જયપાલરેડ્ડીને અહેવાલ સાપ્યો હતો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે એકસચેન્જ રેટમાં રૂપિયા એકના ફેરફારથી ઓઇલ માર્કેટગ કંપનીઓના નુકશાન પર ૮૬૦૦ કરોડની અસર થાય છે. આવી જ રીતે ઓઇલની કમતમાં દરેક એક ડોલરના ફેરફારથી ૩૨૦૦ કરોડ રૂપિયાની અસર થાય છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope