All posts by news

પત્ની નહાતી ન હોવાથી પતિએ છૂટાછેડા માંગ્યા

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મુસ્લિમ દંપતી અજીબોગરીબ કારણે તલાક સુધી પહોંચી ગયા હતા. આ મામલો મહિલા પ્રોટેક્શન સેલ સુધી પહોંચી ગયા છે. બંનેનું લગ્ન જીવન ટકાવી રાખવા માટે દંપતીનું કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યું છે. કાઉન્સલિંગ દરમિયાન બધા હેરાન થઈ ગયા હતા પતિએ પોતાની પત્ની પાસે છૂટાછેડા લેવા માટે કારણ આપ્યું હતું કે પત્ની ન્હાતી નથી. પતિએ કાઉન્સિલરને કહ્યું કે મેડમ મારી પત્ની ન્હાતી નથી. હું તેની સાથે ન રહી શકું. મહેરબાની કરીને છૂટાછેડા અપાવો. આ મામલો અલીગઢના ચંડોસા વિસ્તારનો છે. માનવામાં આવી રહ્યું છે કે બે વર્ષ પહેલા ચંડોસાના એક યુવકના નિકાહ ક્વાર્સીની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ શરુ શરૂમાં તે ઠીક ચાલી રહ્યો હતો. પરંતુ દંપતીમાં મનભેદ અને ઝઘડા થવાના શરૂ થયા હતા. બંને એકબીજાની આદતો અને રહન-સહનને લઈને કોમેન્ટ કરવા લાગ્યા હતા. આ વચ્ચે નવ મહિના પહેલા બંનેને એક પુત્ર થયો હતો. પરંતુ પરિવારમાં ઝઘડાનો સિલસિલો રોકાયો ન હતો. ઘરમાં તૂં-તૂં, મૈં-મૈં જ્યારે હદ પાર કરી ગઈ તો આ મામલો પોલીસ અને વૂમન પ્રોટેક્શન સેલના પગથિયે પહોંચ્યો હતો. કાઉન્સિલરે પતિ અને પત્ની બંને સમજાવવાની કોશિશ કરી હતી. આ વચ્ચે પતિ, પત્ની ન્હાતી ન હોવાની વાતને આગળ ધરીને તલાક અપાવવા માટે મદદની ગુહાર લગાવી હતી. પતિએ કહ્યું કે તે પત્નીની એટલા માટે પરેશાન છે. કારણ કે તે રોજ ન્હાતી નથી. તેના શરીરમાંથી ગંધ આવે છે. હવે તે તેની પત્ની સાથે રહેવા માંગતો નથી. બીજી તરફ પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના આરોપ પાયાવિહોણા છે. પતિ તેને વારંવાર પરેશાન કરે છે. બે વર્ષ પહેલા પટનાના મસૌઢી વિસ્તારમાં પણ આવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે પત્નીએ પતિ ઉપર મારપીટ અને ઘરેથી કાઢી મૂકવા માટે આરોપ લગાવ્યો હતો. ઘરેલૂં હિંસાની ફરિયાદ ઉપર મહિલા આયોગે પતિને નોટિસ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે સમાજમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા સામાન્ય બાબત છે. પરંતુ ક્યારે એવા કારણો સાથે ઝઘડા થાય ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બનતા હોય છે. આવી સ્થિતિમાં અલીગઢનો આ કિસ્સો ચર્ચાના એરણે ચડ્યો છે.

 

દેશમાં કોરોના સંક્રમણના ૩૧૯૨૩ નવા કેસ

ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ગુરૂવારે ફરી ઉછાળો નોંધાયો છે. ૨૪ કલાકમાં ૩૧ હજારથી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે. બીજી તરફ, એક્ટિવ કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ૧૮૭ દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, કેરળમાં એક દિવસમાં ૧૯,૬૭૫ કેસ નોંધાયા છે અને ૧૪૨ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના કેસોમાં આંશિક વધારો જાેવા મળ્યો છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુરૂવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૧,૯૨૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૮૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૫,૬૩,૪૨૧ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૮૩,૩૯,૯૦,૦૪૯ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૧,૩૮,૨૦૫ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૮ લાખ ૧૫ હજાર ૭૩૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૧,૯૯૦ દર્દીઓ સાજા થયા છે. હાલમાં ૩,૦૧,૬૦૪ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૬,૦૫૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. આ ઉપરાંત, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૫,૮૩,૬૭,૦૧૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૫,૨૭,૪૪૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૦ કેસ નોંધાયા છે. જેની સામે ૨૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. રાજ્યમાં ફક્ત ૧૩૩ એક્ટિવ કેસ છે આ પૈકીના ૦૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૧૩૦ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી ૮,૧૫,૫૩૬ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ ૧૦૦૮૨ દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં એક પણ મોત થયું નથી. ગુજરાતમાં બુધવારની સાંજે ૨૮ જિલ્લા અને ૫ મનપામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે બાકીના નવા કેસ ફક્ત ૫ જિલ્લા અને ૪ શહેરમાં નોંધાયા છે.

 

શહેનાઝે દિલજીત સાથેની ફિલ્મનું શૂટિંગ રદ્દ કર્યું

ટીવી એક્ટર અને બિગ બોસ ૧૩ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું ૨ સપ્ટેમ્બરે હાર્ટ અટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થના મોતના સમાચારે દેશભરના તેના ફેન્સ, મનોરંજન ઈન્ડસ્ટ્રી ઉપરાંત પરિવાર અને મિત્રોને આંચકો આપ્યો હતો. સિદ્ધાર્થના મોત બાદ તેની ખાસ ફ્રેન્ડ શહેનાઝ ગિલ ભાંગી પડી હતી. સિદ્ધાર્થના અંતિમ સંસ્કાર વખતે સ્મશાને પહોંચેલી શહેનાઝની હાલત કોઈની પણ આંખમાં આંસુ લાવી દે તેવી હતી. ત્યારબાદ શહેનાઝને મળનારા દરેક સેલિબ્રિટીનું કહેવું હતું કે, હંમેશા હસતી રહેતી શહેનાઝ મૂરઝાઈ ગઈ છે. ત્યારે શહેનાઝની પંજાબી ફિલ્મના મેકર્સને એ ચિંતા સતાવી રહી છે કે તે સેટ પર પાછી ક્યારે ફરશે. શહેનાઝ ગિલ એક્ટર-સિંગર દિલજીત દોસાંજ સાથે પંજાબી ફિલ્મ ‘હોંસલા રખ’માં જાેવા મળશે. આ ફિલ્મના મેકર્સે ૧૫ સપ્ટેમ્બરે ફિલ્મનું પ્રમોશનલ સોન્ગ શૂટ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. પરંતુ શહેનાઝ શૂટિંગ કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમણે શૂટિંગ મુલતવી રાખ્યું છે. હવે ફિલ્મના મેકર્સ ચાલુ મહિનાના અંતે શૂટિંગ રાખવાનું વિચારી રહ્યા છે અને તેમને આશા છે કે, ત્યાં સુધીમાં શહેનાઝ શૂટ કરવાની સ્થિતિમાં આવી જશે. ફિલ્મના પ્રોડ્યુસર દિલજીત થીંડે જણાવ્યું કે, તેના પર જે અસહ્ય દુઃખ આવી પડ્યું છે તેમાંથી તે બહાર નીકળે અને સ્વસ્થ થાય તેની અમે રાહ જાેઈ રહ્યા છીએ. અમે ૧૫ સપ્ટેમ્બરે લંડનમાં ગીતનું શૂટિંગ કરવાના હતા પરંતુ દેખીતા કારણોસર ના કરી શક્યા. અમે નવી તારીખ જલદી જ નક્કી કરીશું અને અમે ઈચ્છીએ છીએ કે, શહેનાઝ તેનો ભાગ બને કારણકે તે ફિલ્મનો મહત્વનો ભાગ છે. હું શહેનાઝના મેનેજરના સંપર્કમાં છું અને અપેક્ષા છે કે, તે થોડા દિવસમાં અમને સામેથી સંપર્ક કરશે. સિદ્ધાર્થના મોત બાદ ભાંગી પડેલી શહેનાઝ ગિલને મનોરંજન ઈન્ડસ્ટ્રીમાંથી ઘણાં કલાકારોએ સહારો આપ્યો છે. ‘બિગ બોસ ૧૪’માં જાેવા મળેલી એક્ટ્રેસ પવિત્રા પુનિયાએ તાજેતરમાં જ મીડિયાના ફોટોગ્રાફર્સ સાથે સિદ્ધાર્થના ઓચિંતા અવસાન અને શહેનાઝ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “સિદ્ધાર્થ આ દુનિયામાં નથી રહ્યો તે વાત પચાવી મુશ્કેલ છે. મેં શહેનાઝ સાથે વાત નથી કરી. મને લાગે છે અત્યારે આપણે તેને શાંતિથી રહેવા દેવી જાેઈએ. મને નથી લાગતું કે હાલ તે કોઈપણ જવાબ આપી શકે તેવી સ્થિતિમાં હોય. કેમ છે? એવું પૂછવું પણ ખોટું છે કારણકે તે સારી સ્થિતિમાં નથી તે દેખાય છે. હું ઈચ્છું છું કે, શહેનાઝ જલદી જ નોર્મલ જિંદગી જીવવાની શરૂ કરી દે કારણકે સિદ્ધાર્થ હોત તો તેના માટે આ જ ઈચ્છત.

 

સિદ્ધાર્થે કિયારાની સાદગીના ખૂબ વખાણ કર્યા

પાછલા ઘણાં સમયથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના રિલેશનશિપની ખબરો સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. અનેક પ્રસંગો પર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને સાથે જાેવામાં આવ્યા હતા. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ શેરશાહ પછી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની જાેડીના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. ફેન્સને આ જાેડી ખૂબ પસંદ આવી છે. ફેન્સ જાણવા માંગે છે કે શું ખરેખર આ બન્ને રિલેશનશિપમાં છે, અને તેઓ ક્યારે લગ્ન કરવાના છે? ઉલ્લેખનીય છે કે ફિલ્મ શેરશાહમાં સિદ્ધાર્થ મલ્હોત્રાએ કારગિલ યુદ્ધના હીરો કેપ્ટન વિક્રમ બત્રાનું પાત્ર ભજવ્યુ હતું, જ્યારે કિયારા અડવાણીએ વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ડિંપલ ચીમાનું પાત્ર ભજવ્યુ હતું. તાજેતરમાં જ સિદ્ધાર્થે પોતાના લગ્નના પ્લાન વિષે ચર્ચા કરી હતી. તેણે કિયારા સાથે લગ્ન કરવાના પ્રશ્નનો પણ જવાબ આપ્યો હતો. સિદ્ધાર્થ મલ્હોત્રાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે લગ્ન ક્યારે કરવાનો છે તો સિદ્ધાર્થે જવાબ આપ્યો કે, મને નથી ખબર હું ક્યારે પરણીશ. હું કોઈ જ્યોતિષ નથી. લગ્ન ક્યારે થશે તેના કરતા વધારે મહત્વની વાત એ છે કે લગ્ન કોની સાથે થશે. તો લગ્ન જ્યારે પણ અને જેની સાથે પણ થશે, હું જરુર જાણ કરીશ. જ્યારે સિદ્ધાર્થને પૂછવામાં આવ્યું કે, શું તે ૪૦ વર્ષની ઉંમર પહેલા લગ્ન નહીં કરે? તો સિદ્ધાર્થે કહ્યું કે, મને ખરેખર નથી ખબર. આવી કોઈ ટાઈમલાઈન નથી. મારું માનવું છે કે લગ્ન યોગ્ય સમયે અને યોગ્ય રીતે થવા જાેઈએ. વધારે પડતી ઉતાવળ અથવા વધારે પડતું મોડું ના કરવું જાેઈએ. સિદ્ધાર્થ મલ્હોત્રાને જ્યારે પૂછવામાં આવ્યું કે કિયારા અડવાણીની કઈ વાત તેને પસંદ છે અને કઈ વસ્તુ તે બદલવા માંગે છે? આના જવાબમાં સિદ્ધાર્થે કહ્યું, મને કિયારાની સૌથી વધારે જે વાત પસંદ છે તે એ છે કે કિયારા ઓફ કેમેરા ઘણી અલગ છે. તેને જાેઈને કોઈ કહી ના શકે કે આ ફિલ્મ એક્ટ્રેસ છે. તે ઘણી જ રેગ્યુલર અને નોર્મલ છે અને તેની આ ખુબી મને પસંદ છે. હું પોતે પણ ઓફ કેમેરા ઘણો રેગ્યુલર છું. શું તમે કિયારા અડવાણીમાં કોઈ બદલાવ નથી ઈચ્છતા? આ પ્રશ્નના ઉત્તરમાં સિદ્ધાર્થે કહ્યું કે, એક વસ્તુ હું ચોક્કસપણે બદલવા માંગીશ, કે કિયારા સાથે મારી કોઈ લવ સ્ટોરી નથી. એટલે કે હું આશા કરુ છું કે કિયારા સાથે હું એક લવ સ્ટોરી ફિલ્મમાં કામ કરું.

 

સારા અલીની દરગાહ, ચર્ચ, ગુરુદ્વારા,મંદિરની મુલાકાત

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અત્યારે મિત્રો સાથે કાશ્મીર ટ્રિપ પર ગઈ છે. સારા અલી ખાન કાશ્મિરથી પોતાની તસવીરો શેર કરે છે. સારાએ સોશિયલ મીડિયા પર કેમ્પિંગની તસવીરો પણ શેર કરી હતી. હવે તેણે પોતાની બીજી તસવીરો શેર કરીને સર્વધર્મ સમભાવનો સંદેશ આપ્યો છે. સારાએ કાશ્મિરમાં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી છે. સારાએ દરગાહ, ચર્ચ, ગુરુદ્વારા અને મંદિરમાં પ્રાર્થના કરી હતી. સારા અલી ખાને તસવીરની સાથે કેપ્શનમાં ફારસી ભાષામાં એક શાયરી લખી છે. આ શાયરીનો ઉપયોગ ઘણાં લોકો દ્વારા કાશ્મીર માટે કરવામાં આવે છે. આ શાયરી છે, ગર ફિરદૌસ બર રુએ ઝમીં અસ્ત, હમીં અસ્ત, હમી અસ્ત, હમી અસ્ત. આ ફારસી શાયરીનો અર્થ છે કે, જાે ધરતી પર ક્યાંય સ્વર્ગ છે, તો તે અહીં જ છે, અહીં જ છે, અહીં જ છે. અને આ જ પોસ્ટમાં નીચે સારાએ લખ્યું છે કે, સર્વધર્મ સમભાવ. ઉલ્લેખનીય છે કે સારા પોતાના મિત્રો સાથે કાશ્મીર ફરવા ગઈ છે. તેણે પોતાની પોસ્ટમાં મસ્જિદમાં દુઆ માંગતી તસવીર શેર કરી છે. આ સાથે જ તેણે દરગાહમાં મન્નતનો દોરો પણ બાંધ્યો. ત્યારપછી તેણે ચર્ચ, ગુરુદ્વારા અને મંદિરની મુલાકાત પણ લધી અને આ તમામ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. આ પહેલા એક પોસ્ટમાં સારાએ મિત્રો સાથે કેમ્પિંગની તસવીરો શેર કરી હતી. સારાએ શેષનાગમાં ઝરણાંના કિનારે રાત પસાર કરી હતી. તેણે ચાંદની રાતની તસવીરો પણ શેર કરી હતી. સારાને હરવા ફરવાનો ઘણો શોખ છે. આ પહેલા તે માલદીવ ટ્રિપ પર હતી. માલદીવથી પણ સારાએ પોતાની અનેક ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. થોડા સમય પહેલા સારા પોતાની મિત્ર રાધિકા મદાન સાથે લદ્દાખ પ્રવાસ પર ગઈ હતી. આ પ્રવાસ પર તેમની સાથે સિંગર જસલીન પણ હતી. સારાએ ત્યારે પણ ધાર્મિક સ્થાનોની મુલાકાત લીધી અને લદ્દાખની સુંદરતા સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો સારા ટુંક સમયમાં ફિલ્મ અતરંગી રેમાં જાેવા મળશે. આ ફિલ્મમાં સારા અલી ખાનની સાથે અક્ષય કુમાર અને સાઉથ ઈન્ડિયન એક્ટર ધનુષ પણ જાેવા મળશે. આ પહેલા સારા કેદારનાથ, સિમ્બા, લવ આજ કલ અને કૂલી નંબર વન ફિલ્મમાં કામ કરી ચૂકી છે.

 

KKK – 11નો વિજેતા અર્જુન બિજલાણી છે?

રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શૉ ખતરોં કે ખિલાડી ૧૧નો ફિનાલે એપિસોડ આ વીકેન્ડ પર પ્રસારિત થવાનો છે, પરંતુ વિનરના નામની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. અત્યારથી સામે આવી ગયું છે કે આ સીઝનનો વિજેતા ટીવી અભિનેતા અર્જુન બિજલાણી હશે. અર્જુન બિજલાણીને લોકોએ શુભકામના પાઠવવાની પણ શરુઆત કરી દીધી છે. અર્જુનની પત્નીએ પોસ્ટ કરેલી એક તસવીર પણ ઈશારો કરે છે કે વિજેતા અર્જુન જ હશે. ફિલ્મ અને ટીવી ક્રિટીક સલીલ કુમાર સંદે ટિ્‌વટર પર ખતરોં કે ખિલાડી ૧૧ના સેટ પરનો અર્જુન બિજલાણીનો એક ફોટો શેર કર્યો છે. ફોટોની સાથે તેમણે લખ્યું છે કે, ખતરોં કે ખિલાડી ૧૧ અર્જુન બિજલાણીએ ટ્રોફી જીતી છે. ખૂબ ખૂબ શુભકામનાઓ. આટલું જ નહીં, અર્જુન બિજલાણીએ પોતે પણ આ ટિ્‌વટને લાઈક કરી છે, જેના આધારે લોકોને ખાતરી થઈ ગઈ છે કે વિજેતા અર્જુન બિજલાણી જ છે. આ ટિ્‌વટ જાેતજાેતામાં વાયરલ થઈ ગઈ. અર્જુન બિજલાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ખતરોં કે ખિલાડી ૧૧ના ફિનાલે શૂટની અમુક તસવીરો શેર કરી છે. આ પોસ્ટની નીચે પણ લોકોએ કમેન્ટ બોક્સમાં અર્જુનને શુભકામનાઓ પાઠવી છે. અર્જુન બિજલાણીની એક તસવીર પર અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ પણ શુભકામનાઓ પાઠવી છે. આ બધી વાતોને જાેઈને કન્ફર્મ થઈ ગયું છે કે ખતરોં કે ખિલાડી ૧૧નો વિજેતા અર્જુન બિજલાણી જ હશે. જાે કે હજી આ વાતની કોઈ સત્તાવાર પૃષ્ટિ નથી થઈ. પરંતુ અર્જુનની પત્ની નેહા સ્વામી બિજલાણીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પાર્ટીની તસવીરો શેર કરી છે જેમાં તેઓ ઉજવણી કરી રહ્યા છે. તેણે ડાન્સના વિડીયો શેર કર્યા છે અને સાથે સાથે ખતરોં કે ખિલાડી ૧૧ની ટ્રોફીની તસવીર પણ શેર કરી છે. નેહા સ્વામીએ પતિ અર્જુન સાથેની એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, મને તારા પર ગર્વ છે. ઉલ્લેખનીય છે કે ખતરોં કે ખિલાડી ૧૧નો ગ્રાન્ડ ફિનાલે એપિસોજ ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરના રોજ કલર્સ ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. ટ્રોફી માટે ફિનાલેમાં પાંચ સભ્યોની ટક્કર થશે, જેમાં અર્જુન બિજલાણી, દિવ્યાંકા ત્રિપાઠી, રાહુલ વૈદ્ય, વિશાલ આદિત્ય સિંહ અને શ્વેતા તિવારીનું નામ શામેલ છે. રિપોર્ટ્‌સ અનુસાર, ફિનાલે પહેલા આ પાંચમાંથી ૨ કન્ટેસ્ટન્ટ્‌સને એવિક્ટ કરવામાં આવશે. દિવ્યાંકા ત્રિપાઠીને જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. તેણે અત્યાર સુધી બધા સ્ટંટ ઘણી સારી રીતે કર્યા છે.

 

સાયલી કાંબલેએ બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરી

ઈન્ડિયન આઈડલ ૧૨ની સેકન્ડ રનર અપ બનેલી સાયલી કાંબલેનું નામ શો દરમિયાન નિહાલ તોરો સાથે જાેડાયું હતું. સાયલી કાંબલે અને નિહાલ તોરો વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાનું રિયાલિટી શોના હોસ્ટ અને જજ જ નહીં પરંતુ ફેન્સનું પણ માનવું હતું. જાે કે, બંનેએ આપેલા ઘણા ઈન્ટરવ્યૂમાં તેઓ માત્ર મિત્રો હોવાની વાત કહી હતી. હવે, સાયલી કાંબલેની લવ લાઈફને લઈને સમાચાર સામે આવ્યા છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરી છે. સાયલી કાંબલેના બોયફ્રેન્ડનું નામ ધવલ છે. બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરીને સાયલીએ લખ્યું છે ‘ચલો જી આજ સાફ સાફ કહેતી હું ઈતની સી બાત હૈ મુજહે તુમપે પ્યાર હૈ સાયલીએ આ સાથે બોયફ્રેન્ડને ટેગ કર્યો છે અને રેડ હાર્ટ ઈમોજી પણ મૂક્યું છે. સાયલી કાંબલેની પોસ્ટ પર કો-કન્ટેસ્ટન્ટ અંજલી ગાયકવાડે રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે. તો સામે તેણે પણ જવાબ આપ્યો છે. સાયલી કાંબલે પોતે રિલેશનશિપમાં હોવાની જાહેરાત કરતાં ફેન્સ પણ ખુશ થયા છે. એક ફેને બંનેની જાેડીને ક્યૂટ ગણાવી છે. તો એક ફેને મજાક કરતાં લખ્યું છે ‘આજે ઘણા દિલ તૂટી જશે. આ સિવાય એકે અભિનંદન પાઠવ્યા છે. સાયલી કાંબલે મુંબઈની રહેવાસી છે અને ગણેશ ચતુર્થી નિમિત્તે તેણે કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે સાડીમાં જાેવા મળી હતી. આ તસવીરોમાંથી એક બોયફ્રેન્ડ સાથેની પણ હતી. સાયલી કાંબલે જ્યારે સેકન્ડ રનર અપ બની ત્યારે ધવલે તેની ટ્રોફી સાથેની તસવીર શેર કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. તેણે લખ્યું હતું કે ‘હાર્ડ વર્ક અને શિસ્તતાની સાથે ધ્યાય પ્રાપ્ત કરવા બદલ અભિનંદન સાયલી કાંબલે. હું મારા તમામ મિત્રો અને પરિવારનોનો સાયલીને વોટ કરવા બદલ આભાર માનુ છું. તમારા સપોર્ટ અને મહેનતથી તે ટોપ-૩માં પહોંચી છે’. સાયલી કાંબલેએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી કે ‘આભાર લવ. તારા પ્રેમ અને વિશ્વાસ વગર મારી આ જર્ની અશક્ય હતી. આશા છે કે તું હંમેશા આવો જ રહીશ. લવ યુ. ઈન્ડિયન આઈડલ ૧૨ દરમિયાન સાયલી કાંબલે અને નિહાલ વચ્ચે સારું બોન્ડિંગ જાેવા મળ્યું હતું. ત્યારે હાલમાં જ વાતચીત કરતાં નિહાલ સાથેની અફેરની ખબરો પણ તેણે રિએક્શન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘પ્રામાણિકતાથી કહું તો, હું કોઈને પણ આ પ્રશ્નનો જવાબ આપવા માટે જવાબદાર નથી. જાે મારા માતા-પિતા મને પૂછશે કે તે મારા માટે કોણ છે અને હું તેના માટે કોણ છું, તો હું તેમને જવાબ આપીશ. લોકોનું મગજ એક દિશામાં દોડે છે. પરંતુ મને લાગે છે કે, લોકો મારા વિશે એટલા માટે ચર્ચા કરતા હતા કારણ કે તેમણે મને નોટિસ કરી હતી અને નિહાલ સાથેની મારી કેમેસ્ટ્રી તેમને ગમી હતી.

 

સંબંધીઓ શક્તિ મોહનને બોજારૂપ માનતા હતા

શક્તિ મોહનને નાનપણથી જ ડાન્સ કરવાનો શોખ હતો, પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું ક તે એક દિવસ તેમાં જ કરિયર બનાવશે અને નવી ઉડાન ભરશે. મુશ્કેલ સ્થિતિ અને લોકોના ટોણાનો સામનો કરતા શક્તિ મોહન જે રીતે આગળ વધી અને આપબળે ઓળખ બનાવી તે પ્રશંસાને પાત્ર છે. હાલ તે ડાન્સ પ્લસની છઠ્ઠી સીઝનને લઈને ચર્ચામાં છે. રેમો ડિસૂઝા ડાન્સ પ્લસ ૬નો સુપર જજ છે, જ્યારે શક્તિ મોહન, સલમાન ખાન અને પુનિત પાઠક કેપ્ટન છે. વાતચીતમાં શક્તિ મોહને પોતાના કરિયરના સ્ટ્રગલથી લઈને ડાન્સને કરિયર તરીકે પસંદ કરવા બદલ લોકો તરફથી સાંભળવા મળેલા ટોણાં તેમજ ડાન્સ પ્લસ ૬ વિશે વાત કરી હતી. શક્તિ મોહને જણાવ્યું કે, ડાન્સને કરિયર તરીકે પસંદ કરતા તેના સંબંધીઓએ તેના માતા-પિતાને મહેણા-ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું અને ખરાબ-ખરાબ વાતો પણ કરતા હતા. ‘મારા પરિવાર અને બહેનોએ મારા ર્નિણયને સપોર્ટ આપ્યો હતો. તેઓ ફોરવર્ડ છે. અમે આર્થિક રીતે સધ્ધર નહોતા, તેમ છતાં પરિવારે મને કહ્યું હતું કે, તું એ કર જેમાં તને ખુશી મળે છે. અમારા માટે અથવા પૈસા માટે કંઈ ન કર, તેમ શક્તિ મોહને જણાવ્યું. કોરિયોગ્રાફરે ઉમેર્યું કે ‘પરંતુ અમારા સંબંધીઓ અને આસપાસના જે લોકો હતા, તેઓ એટલા સપોર્ટિવ નહોતા. તેમને લાગતું હતું કે, આ લોકો કેમ નાચી રહ્યા છે? અમારા પરિવાર માટે આ સારું નથી. મારા માતા-પિતાને ઘણા ટોણાં સાંભળવા પડ્યા હતા. પરંતુ તેઓ ક્યારેય અમને જણાવતા નહોતા. બાદમાં જ્યારે રિયાલિટી શો જીત્યો ત્યારે તેમણે લોકો શું કહેતા હતા તે અંગે જણાવ્યું હતું. શક્તિ મોહને આગળ કહ્યું કે, દરેક વ્યક્તિએ એ જ કામ કરવું જાેઈએ, જેમાં તેમને ખુશી મળે છે. કારણ કે, પોતાની ખુશી સૌથી વધારે જરૂરી છે. ‘ઘણા એવા માતા-પિતા હોય છે, જે પોતાના બાળકો માટે કહે છે કે અમારે તેમને ડાન્સ નથી કરાવવો. ડાન્સર કરતાં તો એન્જિનિયર બની જાય, ડોક્ટર બની જાય. હું તેમને કહું છું કે, તે પણ સારું જ છે. તેઓ પૈસા કમાઈ લેશે અથવા સમાજમાં સારું નામ થઈ જશે. પરંતુ શું તેઓ ખુશ થઈ શકશે? તમે કોઈને ખુશી લાવીને આપી શકતા નથી’. શક્તિનું માનવું છે કે, ખુશીને ક્યારેય ઓછી આંકવી જાેઈએ નહીં. સમાજને તમે શું ઉપલબ્ધ કર્યું તેના કરતાં તમારી ખુશી જરૂરી છે.

 

અભિનેતા રેશમ અરોરા આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે

જ્યારે કોઈ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે આપણી નજર લીડ રોલના એક્ટર્સ પર હોય છે. તે સમયે ચર્ચા પણ મુખ્ય પાત્રોની જ કરવામાં આવે છે. પરંતુ હકીકત તો એ છે કે ફિલ્મના ગણતરીના લીડ એક્ટર્સની સાથે સાથે એવા અનેક નાના-મોટા કલાકારો હોય છે, જે ફિલ્મની સ્ટોરીને આગળ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. ઘણીવાર આ સપોર્ટિંગ એક્ટર્સને તે ઓળખ અને પ્રસિદ્ધિ નથી મળતી. આવા જ એ કલાકાર છે રેશમ અરોરા જેમણે ખુદા ગવાહ, અગ્નિપથ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, અને અત્યારે ઘણો કપરો સમય પસાર કરી રહ્યા છે. ૭૧ વર્ષીય રેશમ અરોરાએ અનેક ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા, પરંતુ અત્યારે તેમની નાણાંકીય સ્થિતિ ઘણી ખરાબ છે. તેમણે એવી વાત શેર કરી છે જે સાંભળીને કાળજુ કાંપી જાય. ફિલ્મ અગ્નિપથમાં રેશમ અરોરાએ તે ડોક્ટરનું પાત્ર ભજવ્યુ હતું જેમણે મિથુન ચક્રવર્તીની સારવાર કરી હતી. રેશમ અરોરા ફિલ્મ ખુદા ગવાહમાં જેલની ભૂમિકા ભજવી ચૂક્યા છે. પરંતુ આજે તેમની સ્થિતિ એવી છે કે અહીં તહીં ભટકી રહ્યા છે પણ કોઈ કામ આપવા તૈયાર નથી. વાતચીતમાં રેશમ અરોરાએ જણાવ્યું કે, મારા માટે કોઈ કામ નથી. જ્યારથી લોકડાઉન શરુ થયુ ત્યારથી જ આ સ્થિતિ છે. લોકો કહે છે કે વસ્તુઓ નોર્મલ થઈ રહી છે, પરંતુ મને તો કામની કોઈ પણ તક દેખાઈ નથી રહી. આ સાથે જ તેમણે પોતાના જીવનના અમુક કડવા અનુભવો પણ ઈટાઈમ્સ સાથે શેર કર્યા. રેશમ અરોરાએ જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા હું ટ્રેનમાંથી પડી ગયો હતો. ત્યારપછી અશ્વિની ધીરના શૉ ચીડિયા ઘરના સેટ પર મને એક વિચિત્ર જીવજંતુએ કરડી ખાધુ હતુ, જેના કારણે થોડા સમય માટે હું હરી-ફરી પણ નહોતો શકતો. જ્યારે મારા પત્નીને દેખાવવાનુ બંધ થઈ ગયું ત્યારે મારી સમસ્યામાં વધારો થઈ ગયો. મારા પત્નીને એક્યુટ ગ્લૂકોમાની ફરિયાદ હતી. મને ખરેખર અત્યારે કામની અત્યંત વધારે જરૂર છે. ઝ્રૈંદ્ગ્‌છછએ મારી થોડી મદદ કરી હતી. પરંતુ તે મદદ એટલી નહોતી કે મારી સ્થિતિ સુધરી શકે. હું ટૂટી ગયો છું, મને નાણાંકીય મદદની જરુર છે.

 

ન્યૂયર વખતે આરાધ્યાએ મને ગિફ્ટ આપી હતી : અમિતાભ

અમિતાભ બચ્ચનનું સોશિયલ મીડિયા અકાઉન્ટ જૂની-નવી અને ખાસ યાદોથી ભરેલું જાેવા મળે છે. અમિતાભ બચ્ચન આજકાલ ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’માં જાેવા મળી રહ્યા છે. શોમાં એક કન્ટેસ્ટન્ટે બિગ બીના સ્ટાઈલિશ કપડાં અને તેમની પસંદગીના વખાણ કર્યા હતા. ખાસ કરીને અમિતાભ બચ્ચનનું રેઈનબો જેકેટ ખૂબ પસંદ આવ્યું હતું. ત્યારે બિગ બીએ આ જેકેટ પાછળની વાત જણાવી હતી. અમિતાભ બચ્ચને રેઈનબો જેકેટ પહેરેલી તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. આ જેકેટ કન્ટેસ્ટન્ટને ખૂબ પસંદ આવ્યું હતું. ત્યારે બિગ બીએ ખુલાસો કર્યો કે, આ જેકેટ તેમને દીકરા અભિષેક બચ્ચને બર્થ ડે પર ભેટ આપ્યું હતું. કન્ટેસ્ટન્ટે અમિતાભના ઈન્સ્ટાગ્રામ પરથી વધુ એક તસવીર બતાવી જે ન્યૂયર સેલિબ્રેશનની હતી. આ તસવીરમાં અમિતાભ ફંકી ગોગલ્સ પહેરેલા જાેવા મળે છે. બિગ બીએ ખુલાસો કર્યો કે, આ ગોગલ્સ તેમની પૌત્રી આરાધ્યા બચ્ચન ન્યૂયર સેલિબ્રેશન માટે ખરીદીને લાવી હતી. તાજેતરમાં જેકી શ્રોફ કૌન બનેગા કરોડપતિમાં મહેમાન બનીને આવ્યા હતા. ત્યારે અમિતાભ બચ્ચને જેકીને પોતાના ઓટોગ્રાફવાળી બૉ ટાઈ ભેટ આપી હતી. આ અંગે જેકીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને લખ્યું, અમિતાભ બચ્ચન સર થોડા વર્ષો પહેલા હું તમારો ઓટોગ્રાફ લેવા માગતો હતો પરંતુ અમુક કારણોસર ના લઈ શક્યો. કેબીસીમાં મને આ તક મળી અને હું મારી જાતને રોકી ના શક્યો. આટલા ઉદાર અને પ્રેમાળ હોવા માટે અને મને તમારી નેકટાઈમાંથી એક સહી કરીને આપવા માટે આભાર. આ ક્ષણ હું હંમેશા વાગોળીશ. વર્કફ્રંટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચન પાસે ઘણી ફિલ્મો છે. અમિતાભ બચ્ચન આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટાટરર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં મહત્વના રોલમાં જાેવા મળશે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ સાય-ફાઈ ડ્રામા ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા, મૌની રોય અને નાગાર્જુન પણ ખાસ ભૂમિકામાં દેખાશે. અમિતાભ બચ્ચન અજય દેવગણ અને રકુલ પ્રીત સાથે ‘મેડે’માં દેખાશે. આ સિવાય તેમની પાસે નાગરાજ મંજુલેની ‘ઝૂંડ’ પણ છે. પીઢ અભિનેતા દીપિકા પાદુકોણ અને પ્રભાસ સાથે એક ફિલ્મ કરી રહ્યા છે. આ સિવાય તેઓ દીપિકા પાદુકોણ સાથે હોલિવુડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિન્દી રિમેકમાં જાેવા મળશે. આ ફિલ્મમાં અગાઉ ઋષિ કપૂરને લેવામાં આવ્યા હતા પરંતુ તેમનું અવસાન થતાં બિગ બીને ફિલ્મ ઓફર કરાઈ.