રોહિત શેટ્ટીના સ્ટંટ આધારિત રિયાલિટી શૉ ખતરોં કે ખિલાડી ૧૧નો ફિનાલે એપિસોડ આ વીકેન્ડ પર પ્રસારિત થવાનો છે, પરંતુ વિનરના નામની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. અત્યારથી સામે આવી ગયું છે કે આ સીઝનનો વિજેતા ટીવી અભિનેતા અર્જુન બિજલાણી હશે. અર્જુન બિજલાણીને લોકોએ શુભકામના પાઠવવાની પણ શરુઆત કરી દીધી છે. અર્જુનની પત્નીએ પોસ્ટ કરેલી એક તસવીર પણ ઈશારો કરે છે કે વિજેતા અર્જુન જ હશે. ફિલ્મ અને ટીવી ક્રિટીક સલીલ કુમાર સંદે ટિ્વટર પર ખતરોં કે ખિલાડી ૧૧ના સેટ પરનો અર્જુન બિજલાણીનો એક ફોટો શેર કર્યો છે. ફોટોની સાથે તેમણે લખ્યું છે કે, ખતરોં કે ખિલાડી ૧૧ અર્જુન બિજલાણીએ ટ્રોફી જીતી છે. ખૂબ ખૂબ શુભકામનાઓ. આટલું જ નહીં, અર્જુન બિજલાણીએ પોતે પણ આ ટિ્વટને લાઈક કરી છે, જેના આધારે લોકોને ખાતરી થઈ ગઈ છે કે વિજેતા અર્જુન બિજલાણી જ છે. આ ટિ્વટ જાેતજાેતામાં વાયરલ થઈ ગઈ. અર્જુન બિજલાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ખતરોં કે ખિલાડી ૧૧ના ફિનાલે શૂટની અમુક તસવીરો શેર કરી છે. આ પોસ્ટની નીચે પણ લોકોએ કમેન્ટ બોક્સમાં અર્જુનને શુભકામનાઓ પાઠવી છે. અર્જુન બિજલાણીની એક તસવીર પર અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ પણ શુભકામનાઓ પાઠવી છે. આ બધી વાતોને જાેઈને કન્ફર્મ થઈ ગયું છે કે ખતરોં કે ખિલાડી ૧૧નો વિજેતા અર્જુન બિજલાણી જ હશે. જાે કે હજી આ વાતની કોઈ સત્તાવાર પૃષ્ટિ નથી થઈ. પરંતુ અર્જુનની પત્ની નેહા સ્વામી બિજલાણીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પાર્ટીની તસવીરો શેર કરી છે જેમાં તેઓ ઉજવણી કરી રહ્યા છે. તેણે ડાન્સના વિડીયો શેર કર્યા છે અને સાથે સાથે ખતરોં કે ખિલાડી ૧૧ની ટ્રોફીની તસવીર પણ શેર કરી છે. નેહા સ્વામીએ પતિ અર્જુન સાથેની એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, મને તારા પર ગર્વ છે. ઉલ્લેખનીય છે કે ખતરોં કે ખિલાડી ૧૧નો ગ્રાન્ડ ફિનાલે એપિસોજ ૨૫ અને ૨૬ સપ્ટેમ્બરના રોજ કલર્સ ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. ટ્રોફી માટે ફિનાલેમાં પાંચ સભ્યોની ટક્કર થશે, જેમાં અર્જુન બિજલાણી, દિવ્યાંકા ત્રિપાઠી, રાહુલ વૈદ્ય, વિશાલ આદિત્ય સિંહ અને શ્વેતા તિવારીનું નામ શામેલ છે. રિપોર્ટ્સ અનુસાર, ફિનાલે પહેલા આ પાંચમાંથી ૨ કન્ટેસ્ટન્ટ્સને એવિક્ટ કરવામાં આવશે. દિવ્યાંકા ત્રિપાઠીને જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી. તેણે અત્યાર સુધી બધા સ્ટંટ ઘણી સારી રીતે કર્યા છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...