કલેગનર ટીવીને ૨૦૦ કરોડ રૂપિયા પહાચાડવાનાં મામલે ૯૦ મિનિટ સુધી કરૂણાનિધીની પુત્રીની પૂછપરછ કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચેન્નઈ, તા. ૧૨
તમિળનાડુનાં મુખ્યમંત્રી એમ. કરૂણાનિધીની પુત્રી કાનીમોઝીની ઇન્કમટેકસ વિભાગનાં અધિકારીઓ દ્વારા ૨જી કૌભાંડનાં સંબંધમાં આકરી પૂછપરછ કરવામાં આવી હતી. કલેગનગર ટીવીને શાહિદ બલવાની માલિકીની ડીબી રિયાલીટી તરફથી મળેલા ૨૦૦ કરોડ રૂપિયાનાં મામલે કાનીમોઝીની ૯૦ મિનિટ સુધી આકરી પૂછપરછ કરવામાં આવી હતી. કલેગનર ટીવીમાં કાનીમોઝી પર હિસ્સેદારી ધરાવે છે.
૪૩ વર્ષીય સાંસદ કાનીમોઝી સમન્સ અપાયા બાદ ઊપસ્થિત રહ્યા હતાં. આઈઠી સૂત્રોનાં જણાવ્યા મુજબ ડીએમકે સાંસદ કાનીમોઝી અને કલાઈગીર ટીવીના એમડી શરદકુમારને અગાઊ ૨૦૦ કરોડ રૂપિયાના ટ્રાન્સફર અંગે સ્પષ્ટતા કરવા સમન્સ ફટકારવામાં આવ્યું હતું. ઈન્કમટેકસ વિભાગે ગુરુવારે હાજર રહેવા સમન્સ પાઠવ્યું હોવાથી પોસાબા હાઊસ કોર્ટમાં ગેરહાજર રહેવા મંજૂરી આપવા કાનીમોઝી અને શરદ કુમારે વિનંતી કરી હતી. પૂર્વ એડીશનલ સોલીસીટર જનરલ આસીફ એહમદ કનિમોઝી વતી કોર્ટને જાણ કરી હતી કે કાનીમોઝી અને શરદકુમારને ચેન્નાઈના નુનગામ બાકામ ખાતેની આઈટી ઓફિસમાં ૧૨મીના રોજ અનુક્રમે ૧૧ અને સાડાબાર વાગે હાજર રહેવાનું રહેશે. નાધનીય છે કે, કાનીનેઝીની અગાઊ સીબીઆઈ દ્વારા પણ ૩૬૩ પૂછપરછ કરવામાં આવી હતી. ટ્રાન્સફરનો મુદ્દો જ કેન્દ્ર સ્થાને હતો. જેના સંદર્ભે આઈટીએ પણ પૂછપરછ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.આઇટીનાં સૂત્રોએ કહ્યું છે કે, કાનીમોઝીની જો જરૂર પડશે તો ફરી પૂછપરછ કરવામાં આવશે. શરદ કુમારની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ બંનેની ડેપ્યુટી ડિરેકટર સ્તરનાં અધિકારીઓ દ્વારા પૂછપરછ કરાઇ હતી. આશરે દોઢ કલાકનાં ગાળા બાદ કાનીમોઝી આઇટીની ઓફિસથી રવાના થઇ ગયા હતાં. દિલ્હી કોર્ટે અંગત હાજરીમાંથી કાનીમોઝી અને કુમારને હાલમાં મુકિત આપી હતી. તેમની જામીન અરજી પર ચુકાદો ૧૪મી મેનાં દિવસે જાહેર કરવામાં આવશે.
ઇડીએ કલેગનગર ટીવીને જંગી નાણાંની ટ્રાન્સફરનાં મામલે પૂછપરછ માટે તેમની સામે સમન્સ જારી કર્યા હતાં. કલેગનર ટીવીમાં કાનીમોઝી અને કુમાર બંને ૨૦-૨૦ ટકાની હિસ્સેદારી ધરોવ છે. કરૂણાનિધીની પત્ની દયાલુઅમ્મલનું નામ પણ સીબીઆઇની પૂરક ચાર્જશીટમાં આવી ચૂકયું છે. કરૂણાનીધીની પત્ની કલેગનર ટીવીમાં ૬૦ ટકા હિસ્સેદારી ધરાવે છે.
આવતીકાલે તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થનાર છે તેથી પણ અસર થવાની શકયતા છે. કાનીમોઝી ૨જી કૌભાંડનાં કારણે વિવાદોના ઘેરામાં પહેલેથી જ આવી ચૂકયા છે. આગામી દિવસોમાં પણ રાહત મળવાની શકયતા છે.
સીબીઆઇ-આવકવેરા વિભાગ અને ઇડી દ્વારા ટુજી કૌભાંડમાં જુદી જુદી રીતે તપાસ કરવામાં આવી રહી છે. ડીએમકેનાં વરિષ્ઠ નેતા ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન રાજા પહેલેથી જ જેલનાં સળીયા પાછળ પહાચી ચૂકયા છે.
કાનીમોઝી મુશ્કેલીમાં
(સંપૂર્ણ સમાચાર સેવા) ચેન્નઇ,તા. ૧૨
· કરૂણાનિધીની પુત્રી કાનીમોઝીની ૯૦ મિનિટ સુધી પૂછપરછ
· ૨૦૦ કરોડની લેવડદેવડના મામલે આકરા પ્રશ્નો કરાયા
· આઇટી દ્વારા સમન્સ જારી કરાયા બાદ ઊપસ્થિત થયા
· જરૂર પડશે તો કાનીમોઝીની ફરી પૂછપરછ પણ કરવામાં આવશે
· કલેગનર ટીવીનાં એમડી શરદ કુમારની પણ પૂછપરછ કરાઇ
· પૂછપરછ કરાયા બાદ કાનીમોઝી આઇટીની ઓફિસમાંથી ગુપ્ત રીતે રવાના થઇ ગયા
· કાનીમોઝીની જામીન અરજી પર ૧૪મીએ ચુકાદો આવશે
· કાનીમોઝી અને શરદ કુમાર નવીદિલ્હીમાં ૨જી કાંડનાં સંબંધમાં ઇડીની સમક્ષ ઊપસ્થિત થઇ ચૂકયા છે
· કાનીમોઝી કલેગનર ટીવીમાં હિસ્સેદારી ધરાવે છે