(સંપૂર્ણ સમાચાર સેવા) નવીદિલ્હી, તા. ૧૨
અંડરવર્લ્ડ ડોન દાઊદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં જ છૂપાયેલો છે તેવો દાવો કેન્દ્રીય ગાૃહ મંત્રી પી. ચિદમ્બરમે આજે કર્યો હતો. દાઊદનાં મામલે ભારત અને પાકિસ્તાન આમને-સામને આવી ગયા છે. બંને વચ્ચે ખચતાણની સ્થિતિ છે છતાં ભારતે હાલમાં પોતાનું વલણ જાળવી રાખ્યું છે. ગઇકાલે જ પાકિસ્તાનમાં છૂપાયેલા ૫૦ આતંકવાદીઓ અને ગુનેગારોની યાદી ભારતે જારી કરી હતી. આ યાદીમાં અંડરવર્લ્ડ ડોન દાઊદ ઇબ્રાહીમનો સમાવેશ થાય છે. ગઇકાલે જ પાકિસ્તાને દાઊદ પાકિસ્તાનમાં હોવાનો ઇન્કાર કર્યો હતો. પાકિસ્તાને રદિયો આપ્યો હોવા છતાં ભારતે કહ્યું છે કે, પાકિસ્તાનનું વલણ અયોગ્ય છે. દાઊદ પાકિસ્તાનમાં જ છે તેમાં કોઇ બેમત નથી.