૯૨ કેસોનો ઝડપી નિકાલ કરવા હાઈકોર્ટનો નિર્દેશ
સુપ્રીમે કરેલી ટકોર બાદ હાઈકોર્ટે પેન્ડીંગ કેસો ચલાવી નિકાલ કરવાનો આદેશ કરતા રાજકારણીઓમાં હડકંપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૨
રાજ્યના સંસદસભ્યો અને ધારાસભ્યો તેમજ ભૂતપૂર્વ સભ્યો અને રાજ્યની વિવિધ અદાલતોમાં ચાલી રહેલ ૯૨ જેટલા કેસોને ઝડપી ચલાવવા માટે સુપ્રિમ કોર્ટે કરેલ ટકોર બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ પેન્ડીંગ કેસો ચલાવી નિકાલ કરવાનો આદેશ કરતા રાજકારણીઓમાં હડકંપ મચી ગયો છે. ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારે ૩૦મી સપ્ટેમ્બરે તમામ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ જજને લખેલ પત્રમાં જણાવ્યું છે કે સુપ્રિમ કોર્ટે ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ આપેલ આદેશ મુજબ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસે આપેલ સૂચના મુજબ તમામ ચાલુ સંસદસભ્ય અને ધારાસભ્યો તેમજ ભૂતપૂર્વ સભ્ય સામેના ક્રિમિનલ પેન્ડીંગ કેસો રોજ ચલાવી તેનો વહેલીતકે કેસોનો નિકાલ લાવો. આ તમામ ચાલી રહેલ કેસની માહિતીનો દરરોજ રિપોર્ટ મેળવો અને કોઈ કેસમાં જો કોઈ કેસ પડતર રાખવામાં આવે તો તેની માહિતી મેળવો. આ અંગે દર પંદર દિવસે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સામે રિપોર્ટ મુકવામાં આવશે. આ સાથે ગુજરાત હાઈકોર્ટે ૧૧મી સપ્ટેમ્બરે રાજ્યની વિવિધ અદાલતમાં ધારાસભ્ય અને સંસદસભ્ય સહિત ભૂતપૂર્વ નેતાઓની સામે ચાલી રહેલ કેસનું લિસ્ટ પણ મોકલી આપેલ છે.
ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ આદેશ બાદ સીટીંગ ધારાસભ્ય, સંસદસભ્યો અને ભૂતપૂર્વ રાજકારણીઓની સામે ૯૨ જેટલા કેસો વિવિધ અદાલતોમાં ચાલી રહ્યા છે. આ સમાચાર વહેતા થતા તમામ રાજકારણીઓમાં હડકંપ મચી ગયો છે. હાઈકોર્ટના રજિસ્ટ્રારે જાહેર કરેલ ૯૨ કેસોમાં ૫૦થી વધુ ધારાસભ્યો અને સાંસદોના નામ લિસ્ટમાં આવ્યા છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...