નરેન્દ્ર મોદીની સરકાર ટેક્સ ઘટાડે તો

ગુજરાતમાં પેટ્રોલ ૧૪ અને ડીઝલ૧૨ સસ્તુ થઇ શકે છ

ગુજરાત સરકારને પેટ્રોલ અને ડીઝલમાં વેટની આવક રૂપિયા ૮૧૨૦ કરોડઃઅન્ય રાજયમાં ટેક્સ ઘટાડાયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૬

પેટ્રોલના ભાવ વધારા સામે કાગારોળ અને નિવેદન કરનારા ગુજરાત ભાજપના નેતાઓએ રાજય સરકાર પર દબાણ લાવીને પેટ્રોલ-ડીઝલ પર લેવાતા ટેક્સનું ભારણ ઘટાડવું જોઇએ. ગુજરાતમાં પેટ્રોલ ઉપર ૨૩ ટકાનો વેટ ઉપરાંત ૨ ટકાનો વધારાનો ટેક્સ ભાજપની રાજય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવી રહ્યો છે. જો ગુજરાત સરકારનો ટેક્સ પેટ્રોલ અને ડીઝલ ઉપર નાબુદ કરવામાં આવે તો પેટ્રોલ ૧૪ રૂપિયા અને ડીઝલ ૧૨ રૂપિયા સસ્તુ થઇ શકે છે તેમ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે આજે જણાવ્યું હતું.

તેમણે પત્રકારો સાથે વાતચીત કરતાં વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સામે પેટ્રોલના ભાવ વધારા સામે રાજકીય નિવેદનો અને કાદવ ઉછાળવાને બદલે ગુજરાતની ભાજપ સરકારે પેટ્રોલ-ડીઝલ પરના વેટના દરમાં ઘટાડો કરવો જોઇએ. દેશમાં સૌથી વધારે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ગુજરાતમાં લેવામાં આવે છે. કમસેકમ પેટ્રોલની વધેલી કિંમત પરથી વેટ દૂર કરવામાં આવે તો પણ ગુજરાતની જનતાને રૂા. ૧.૨૫ પૈસા પેટ્રોલ સસ્તું મળી શકે તેમ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમત બેરલના ૬૮ ડોલર હતા તે વધીને ૧૧૦ ડોલરની સપાટીએ પહોંચતા નાછૂટકે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલને નિયંત્રણમુક્ત કરીને ભાવવધારાની છૂટ તત્કાલીન એનડીએ સરકારે આપી હતી.

તેમણે કહ્યું હતું કે પેટ્રોલિયમ પેદાશોમાં ભાવ વધારો થતાં હરિયાણાના મુખ્યમંત્રી વેટના દરમાં ખાસ રાહતો આપી હતી. દિલ્હીની કોંગ્રેસ સરકારે ગેસના સિલિન્ડર ઉપર ૪૦ રૂપિયાની ખાસ સબસિડી જાહેર કરી હતી. જયારે ગુજરાતની ભાજપ સરકારે કોઇ જ રાહત આપી નથી. ગુજરાતમાં પેટ્રોલ ર્વાિષક ૨૫૦ કરોડ લિટર અને ડીઝલ ૩૩૦ કરોડ લિટર વપરાય છે. ગુજરાતની પ્રજા ઉપર અન્ય રાજયોના ૮ ટકાના ટેક્સની સરખામણીએ ગુજરાત સરકાર ૧૪ ટકા વધારાનો કર લઇ રહી છે. એની ગણતરી કરીએ તો ભાજપની સરકાર દર વર્ષે રૂા. ૮૧૨૦ કરોડ વધારે લઇ રહી છે. કેન્દ્રમાં ભાજપની આગેવાનીવાળી એનડીએ સરકારમાં ૬ વર્ષમાં ૧૭ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો હતો. કોંગ્રેસના શાસનમાં ૫ વર્ષમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો પણ કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળમાં તેમજ બિહારમાં પણ ભૂતકાળમાં પેટ્રોલ પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે.

 

ઇલેક્ટ્રીક થાંભલાઓ ઉપર : કિઓસ્ક મુકીને જાહેરાત કરવા કોન્ટ્રાક્ટ સોંપાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

મ્યુનિ. કોર્પોરેશનના હદ વિસ્તારમાં સ્પે. ઝોન એઠલે ેક મ્યુનિ. માલિકીના રીવરબિ્રજ, ઓવરબિ્રજ, અન્ડરબિ્રજ અને તેના એપ્રોચ રસ્તા પર આવેલા ઇલેક્ટ્રીક થાંભલાઓ ઉપર કિઓસ્ક મુકી જાહેરાત કરી શકાશે. આ માટે તાજેતરમાં મળેલી સ્ટે. કમિટીની બેઠકમાં કિઓસ્ક મુકી જાહેરાત કરવાના હક ત્રણ વર્ષની મુદત માટે એલોટ કરવાના સંદર્ભે ઓફરો મંગાવતા નક્કી કરેલ અપસેટ વેલ્યુ રૂા. ૪૨.૫૦ લાખ કરતાં વધુ ઓફરના એક માત્ર ઓફરદારને તેઓની ર્વાિષક લાયસન્સ ફી રૂા. ૫૧.૬૬ લાખની ઓફર સ્વીકારી જાહેરાત કરવાના હકની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. જેમાં ટેન્ડરની શરતોને આધીન ત્રણ વર્ષની મુદત માટે હક આપવા નિર્ણય કરાયો હતો.

 

ભાજપના જુઠ્ઠાણાને જાકારો : મોદી જયાં પણ સભા કરવા ગયા ત્યાં ભાજપનો પરાજય

દેશના મુખ્ય વિરોધ પક્ષ ગણાતા ભાજપને કુલ ૮૨૪માંથી માત્ર પાંચ જ બેઠકો મળી હોવાનો શક્તિસિંહે દાવો કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

દેશમાં યોજાયેલી પાંચ રાજયોની ચૂંટણીઓમાં દેશના મુખ્ય વિરોધપક્ષ ગણાતા ભાજપને કુલ ૮૨૪માંથી માત્ર પાંચ બેઠકો મળેલી છે. ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શક્તિસિંહે ગોહિલે પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ભાજપના જુઠાણાઓને દેશના પાંચ રાજયોની જનતાએ જાકારો આપ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી રાષ્ટ્રીય નેતા બનવાના પોતાના સ્વપ્નાઓ લઇને પાંચ રાજયોમાં ભાજપના મુખ્ય સ્ટાર પ્રચારક તરીકે સભાઓ કરવા ગયા હતા. પરંતુ તેઓએ જયાં જયાં સભાઓ કરી છે ત્યાં ત્યાં ભાજપના ઉમેદવારોનો પરાજય થયો છે. આસામમાં ગુજરાતના મુખ્યમંત્રીએ બેફામ વાણીવિલાસ કરવાના કારણે આસામના પ્રદેશ ભાજપના પ્રમુખ હારી ગયા છે. કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ બેફામ આક્ષેપો અને નીચલી કક્ષાની ભાષાનો પ્રયોગ કરનારા ભાજપને મતદારોએ સાથ આપ્યો નથી.

ભ્રષ્ટાચાર સામે ઝૂંબેશની વાત કરનારા ભાજપના બેવડા ધોરણોને પાંચ રાજયોની જનતા ઓળખી ચૂકી છે. કોંગ્રેસપક્ષે પોતાના પક્ષના કે પોતાના સાથી પક્ષના કોઇપણ મોટા નેતા સામે ભ્રષ્ટાચારનો સહેજ પણ આક્ષેપ આવ્યો તો તેમને નૈતિકતાના ધોરણે પદ પરથી દૂર કર્યા છે. તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપવાળા કોઇને પણ બચાવવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ક્યારેય પ્રયત્ન થયો નથી. ભાજપના કર્ણાટકના મુખ્યપ્રધાન હોય કે ગુજરાતમાં ચાલતો ભ્રષ્ટાચાર હોય, ભાજપ દ્વારા હંમેશા પોતાના ભ્રષ્ટાચારી નેતાઓને બચાવવાનો પ્રયત્ન થયો છે. જેને પાંચ રાજયોની જનતા બરોબર ઓળખી ચૂકી છે.

 

ત્રણ રાજયોના વિજયથી કોગીમાં આનંદનું મોજુ

ઉદ્યોગપતિ રતન ટાટા અને નીરા રાડિયાનો પાલવ પકડ્યા પછી ડાબેરીઓએ સત્તા ગુમાવી : અર્જુનભાઇ મોઢવાડિયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

અમદાવાદ, તા. ૧૩

પાંચ રાજયોની ચૂંટણીના આવેલ પરિણામોમાં ત્રણ રાજયોમાં કોંગ્રેસ અને તેના સહયોગી દળોએ વિજય મેળવ્યો છે. તે અંગે તે રાજયોના આગેવાનો, કાર્યકરો અને પ્રજાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાએ અભિનંદન આપ્યા છે.

મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું છે કે, આ પાંચ રાજયોમાં ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ ભૂંસાઇ ગયું છે. પશ્ચિમ બંગાળમાં ૨૯૪ બેઠકમાંથી માત્ર એક સીટ, આસામમાં ૧૨૬ માંથી ચાર બેઠક મળતાં ભાજપનો સંપૂર્ણ સફાયો થયો છે. જયારે કેરલમાં ૧૪૦માંથી અને તામિલનાડુમાં ૨૩૪ બેઠકમાંથી ભાજપને સમ ખાવા પૂરતી એક બેઠક પણ ન મળતાં તેનાં સૂપડા સાફ થઇ ગયાં છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, ગુજરાતના મુખ્યમંત્રીએ સ્ટાર પ્રચારક તરીકે આસામ અને પશ્ચિમ બંગાળની જે જે બેઠકો ઉપર પ્રચાર કરવા ગયા તે તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોએ ડીપોઝીટ ગુમાવી છે અને તેમનો સખત પરાજય થયો છે.

મોઢવાડિયાએ જણાવ્યું છે કે, પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના ગઠબંધનને ૨/૩ કરતાં પણ ભારે બહુમતિ મળી છે. અને ૩૪ વર્ષ બાદ બંગાળમાંથી ડાબેરીઓનો સફાયો થયો છે. પશ્ચિમ બંગાળમાં શ્રમજીવીઓ, કામદારો, ખેડૂતો, ખેતમજૂરો વગેરેને સાથ સહકારને કારણે વર્ષો સુધી ડાબેરીઓએ પશ્ચિમ બંગાળમાં સત્તા ટકાવી રાખી હતી. પરંતુ આ ખેડૂતો, શ્રમજીવી, મધ્યમવર્ગ અને યુવાનોને ભૂલીને ટાટા અને નીરા રાડિયાનો પાલવ પકડ્યા પછી પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓએ સત્તા ગુમાવી છે. ગુજરાતમાં પણ ખેડૂતો, ખેત મજૂરો, શ્રમજીવીઓ, બેકાર શિક્ષિત યુવાનો, ઝૂંપડપટ્ટીમાં રહેનાર ગરીબ લોકોના પ્રશ્નોને નજર અંદાજ કરીને ટાટા અને નીરા રાડિયાનો પાલવ પકડનાર ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ સરકારે પણ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. આજે સાંજે કોંગ્રસ ભવન ખાતે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope