વીડિયો કોન્ફરન્સથી વિચારવિમર્શ કરાશે
મોદી સમક્ષ લોકડાઉનમાં વધુ રાહત માગીશું : યેદિયુરુપ્પા
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
દેશભરમાં કોરોનાના પ્રકોપને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિચારવિર્મશ કરનાર છે. વિડિયો કોન્ફરસથી થનારા સંવાદ પૂર્વે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ જણાવ્યું કે અમે વડાપ્રધાન સમક્ષ કાલે લોકડાઉનમાં રાહત વધારવાની માગણી કરીશુ. તેની સાથે તેમણે જણાવ્યુ કે લોકડાઉનને વધારવાનો કોઈ પ્લાન પણ નથી. તેની સાથે સપ્તાહના અંતમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવે નહીં. યેદિયુરપ્પાએ વધુમાં જણાવ્યુ કે કર્ણાટકમાં બીજા પ્રદેશમાંથી આવેલા લોકો જ વધારે ચેપગ્રસ્ત જોવા મળ્યા છે. આવા લોકોના માટે કોરન્ટાઈનના નિયમને પણ સમાપ્ત કરવાની જરૂર છે. મહારાષ્ટ્રથી કર્ણાટક આવનારા લોકોને ૭ દિવસ વિશેષ સેન્ટરમાં તેમજ ૭ દિવસ હોમ કોરન્ટાઈનમાં રહેવું પડશે. દિલ્હી અને તામિલનાડુથી આવનારા લોકો માટે જુદી વ્યવસ્થા કરાશે. તેમને ૩ દિવસ સેન્ટરમાં અને ૧૧ દિવસ હોમ કોરન્ટાઈનમાં રાખવામાં આવશે. તેઓ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનો પણ દાવો કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬મી જૂને એવા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સંવાદ કરશે, જ્યાં હાલ કોરોના વાયરસના ફેલાવાની ગતિ ધીમી છે. તેમજ આ રાજ્યોમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ સારો છે. આ રાજ્યોમાં પંજાબ, આસામ, કેરળ, ઉત્તરાખંડ, કર્ણાટક અને ઝારખંડ જેવા અન્ય રાજ્યો પણ સામેલ છે.