જિંદગીના રંગમંચ પર દરેક રોલ બખુબી નિભાવું છું : સુશાંત સિંહ

રાબતાના પ્રમોશન માટે અમદાવાદની છેલ્લી મુલાકાત
મેં કુછ નહીં કરતા તબ ભી બહોત કુછ કરતાં હું, આ શબ્દોમાં સુશાંત સિંહનો આત્મવિશ્વાસ જોવા મળ્યો હતોે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૫
બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત હવે નથી રહ્યા. આ કહેવું જેટલું તેનાં પરિવાર માટે દુઃખદ છે તેટલું જ બોલિવૂડનાં તમામ સ્ટાર્સ ફેન ફોલોઅર્સથી લઈને મીડિયા જગત માટે આશ્વર્યજનક છે. કારણ કે બોલિવૂડનાં ચમકતા સિતારા સુશાંતે જ્યારે પણ મીડિયા સાથે વાત કરી છે ત્યારે તેમનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. ક્રિકેટરથી વોરિયરની સફર કરતાં સુશાંત સિંહ પોતાની ફિલ્મ રાબતાના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા પરંતુ કોને ખબર હતી કે સુશાંતની આ મુલાકાત તેમનાં જીવનની છેલ્લી મુલાકાત બની જશે. ૨૦૧૭માં અમદાવાદ આવેલાં સુશાંત સિંહ પોતાના ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તેઓ દરેક કિરદાર નિભાવતી વખતે તે કિરદારમાં બિલિવ કરે છે પછી તે મહેન્દ્ર સિંહ ધોનીનું હોય કે પછી કોઈ વોરિયરનું. કોઈપણ ફિલ્મ માટે સુશાંત ખૂબ જ મહેનત કરતાં હતા તેમણે એ પણ જણાવ્યું હતું કે, મારા દરેક કેરેકટર ઈન્ટ્રેસ્ટીંગ હોય છે. જેમ મહેન્દ્રસિંહ ધોનીમાં તેમણે ક્રિકેટથી પ્રેમ થયો તેવી જ રીતે ફિલ્મ માટે તેમને તલવારબાજીની પ્રેક્ટિસ કરવી પડી હતી. આજે દરેક વ્યક્તિ વિચારમાં પડી ગયું કે શું સુશાંત સિંહ આત્મહત્યા કરી શકે. અમદાવાદની મુલાકાત દરમિયાન તેમણે આપેલાં ઈન્ટરવ્યૂમાં સુશાંતે ખાસ કહ્યું હતું કે મેં કુછ નહીં કરતા તબ ભી બહોત કુછ કરતાં હૈ. આ શબ્દોમાં સુશાંત સિંહનો આત્મવિશ્વાસ જોવા મળે છે. સુશાંતે દરેક કેરેકટરમાં વિશ્વાસ રાખતાં હતા. સુશાંત આમ તો મીડિયા સામે આવે ત્યારે ખૂબ જ શરમાળ દેખાતા હતા પરંતુ અમદાવાદ મુલાકાત સમયે તેઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાની અંગત વાતો પણ શેર કરી હતી. સુશાંતે જણાવ્યું હતું કે તેમણે જયારે જયારે તેમને લાગે છે કે તેઓ કોઈ કેરેટર નહીં નિભાઈ શકે ત્યારે ત્યારે તેઓ તે કેરેકટર ચોક્કસથી

કરે અને સારી રીતે કરે છે. એટલું જ નહીં તેમણે કહ્યું કે તેમને ફિલ્મ રાબતાનું કેરેકટર માટે વિચાર્યુ કે તેઓ નહીં કરી શકે પરંતુ તેમણે તલવારબાજી શીખી લીધી જેને કારણે ફિલ્મ કોઈપણ જુએ ત્યારે તેને લાગે જ નહીં કે આ પહેલાં સુશાંતે ક્યારેય તલવાર હાથમાં નથી લીધી. ખૂબ જ સાહજિકતાથી કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાના ભૂતકાળને યાદ કરે ત્યારે ચોક્કસથી એ વ્યક્તિની નિખાલસતા સામે આવી જાય.. અને તમને ખબર નહીં હોય હું એકટર પહેલાં બેકગ્રાઉન્ડ ડાન્સર હતો અને શાહરૂખ શાહિદ રિતીક રોશનની પાછળ ડાન્સ પણ કર્યો હતો. સોંગ પંજાબી હોય કે બેંગોલી મને પહેલેથી જ ડાન્સ કરવો ખૂબ જ ગમે છે. આ બાદ તેમણે મુવીની વાત કરી કે ફિલ્મમાં પંજાબી સોંગ તેમણે ખૂબ જ એન્જોય કર્યુ છે. બોલિવૂડમાં કદમ મુકતાં જ સુશાંત ફિટનેસ માટે ખૂબ જ જાણીતો બની ગયો હતો. જેને લઈને તેનાં ફેન ફોલોઅર્સ પણ સુશાંત શું કરે છે તે જાણવા માંગતા હતા. તેમણે જણાવ્યું કે તેઓ ફિટનેસ માટે વર્કઆઉટ સ્ટ્રીક્ટ કરે છે પરંતુ જ્યારે ડાયટની વાત આવે ત્યારે તેઓ દિવસમાં ૧ વાર કંઈક ગળ્યું ખાઈ લે છે. સુશાંતે તેનાં કોચને રિકવેસ્ટ પણ કરી હતી કે તે ડાયટમાં ૧ ચીટ મિલ લેશે પરંતુ તેનું વર્કઆઉટ તે પ્રકારે શિડયુઅલ કરવામાં આવે જેથી તે ખાઈ પણ શકે અને તેની બોડી પણ બની શકે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope