છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૧૪ કેસ : ૨૮ વ્યક્તિનાં મોત થયા


અમદાવાદામાં નવા ૩૨૭ કેસ સપાટીએ આવ્યા
૩૩૯ દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે : ૭૧ લોકો વેન્ટીલેટર પર : અત્યાર સુધીમાં ૨૯૨૯૦૯ ટેસ્ટ કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૫
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવના નવા દર્દીઓ ઉમેરાયા અને રાજ્યમાં કુલ સંક્રમિતનો આંકડો ૨૪૧૦૪ પર પહોંચ્યો. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદના ૨૩ સહિત ૨૮ વ્યક્તિના મોત થયા અને કુલ મૃત્યુઆંક પંદરસોને પાર થઈ ૧૫૦૬ મૃત્ુ નોંધાયા છે. રાજ્યમાં આજે ૩૩૯ દર્દીઓ સાજા થઈ ઘરે ગયા, વેન્ટીલેટર પર ૭૧ દર્દીઓ સારવાર વ્યક્તિઓ ડિસ્ચાર્જ લઈ ઘરે રવાના થયા. રાજ્યમાં ૧લી જુનથી અનલોક કર્યા બાદ આજે બીજીવારના સૌથી વધારે એક દિવસમાં કોરોના પોઝિટિવના ૫૧૪ કેસ નોંધાયા. જે ગત ૧૩મી જુને નોંધાયેલ ૫૧૭ પછીના છે. જૂન ૧૪ ૫૧૧ કેસ, જુન મહિનાની ૫મી, ૧૦મી અને ૧૧મી તારીખે ૫૧૩ કેસ નોંધાયા છે. જેને તબીબ વર્તુળો સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાનું જણાવી રહ્યા છે. રાજ્યમાં આજે ૨૮ વ્યક્તિઓ કોરોનાને કારણે ૨૪ કલાકમાં મૃત્યુ પામ્યા છે. જેમાં અમદાવાદમાં ૨૩, સુરતમાં ૪ અને અરવલ્લીમાં ૧ વ્યક્તિનું મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક રાજ્યમાં ૧૫૦૬ નોંધાયા છે. કોરોના પોઝિટિવના આજે નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં ૩૨૭, સુરતમાં ૬૪, વડોદરામાં ૪૪, ગાંધીનગરમાં ૧૫, જામનગર અને ભરૂચમાં ૯-૯, રાજકોટમાં ૮, પંચમહાલમાં ૭, સાબરકાંઠા અને જુનાગઢમાં ૪-૪, પાટણ અને સુરેન્દ્રનગરમાં ૩-૩, મહેસાણા, અરવલ્લી અને વલસાડમાં ૨-૨, બનાસકાંઠા, આણંદ, કચ્છ, ખેડા, બોટાદ, નવસારી, નર્મદા અને અમરેલીમાં ૧-૧ અને અન્ય રાજ્યમાં ૩ સાથે કુલ આંક ૫૧૪ થયો છે. રાજ્યમાં આજે ૫૯૨૬ કુલ કેસ નોંધાયા છે. જેમાં વેન્ટીલેટર પર ૭૧ અને સ્ટેબલ ૫૮૫૫ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨૯૨૯૦૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના જુદા જુદા જિલ્લામાં આજની તારીખે કુલ ૨૧૧૮૬૭ વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૨૦૭૨૯૦ વ્યક્તિઓ હોમ ક્વોરોન્ટાઈન છે અને ૪૬૫૮ વ્યક્તિને ફેસીલીટી ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope