થાઇરોઇડની છુપી બીમારીથી ૨.૪ કરોડ ભારતીયો પિડિત
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૧૩
આજના આધુનિક યુગમાં ચટાકેદાર ખાવા-પીવાને કારણે શરીરમાં અનેક બીમારીઓ ઘર કરી જાય છે, તો કેટલાકને જન્મથી જ શરીરમાં અમુક ખામી કે વિકાર હોય છે.પરંતુ તે વ્યક્તિના વિકાસની સાથે સાથે પરિવર્તન પામે છે. શરીરમાં હોર્મોન્સ એ અગત્યનો ભાગ ભજવે છે, માણસના શરીરમાં યોગ્ય માત્રામાં હોર્મોન્સ હોવા જરૂરી છે અને કેટલીક વખતે એવું પણ જોવા મળે છે કે, હોર્મોન્સ ઓછા હોય કે વધુ હોય તો પણ કેટલીક સામાન્ય છતાં ગંભીર બીમારી ઉત્પન્ન કરે છે એવી જ એક બીમારી છે થાઇરોઇડ.
થાઇરોઇડ એ ગળાની પાસે આવેલી એક નાની એવી ગ્રંથિ હોર્મેનનો સ્ત્રોવ કરે તો કોઇવાર સ્ત્રાવ કરી શકતી નથી અને તેવા સમયે વ્યક્તિ થાઇરોઇડ વિકારથી ગ્રસ્ત હોય છે, અને જો આ ગ્રંથિ લોહીમાં વધુ પ્રમાણમાં હોમેનનો સ્ત્રોવ કરે તો હાઇપર થાઇરોડિઝમ અને જો ઓછા પ્રમાણમાં સ્ત્રોવ કરે તો હાઇપો થાઇરોડિઝમ કહેવાય છે. આ અંગે વિશેષ માહિતી આપતા ડો.સુશિલ કહે છે, થાઇરોઇડ ગ્રંથિમાંથી અનિયમિત સ્ત્રાવને કારણે વિકાર ઉત્પન્ન થાય છે, જે ધીમે ધીમે સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લઇને એક મોટી સમસ્યા બનતી જાય છે. એક અનુમાન મુજબ આજે ૨.૪ કરોડ ભારતીયો થાઇરોઇડની છુપી બીમારીથી પીડાય છે, છુપી એટલા માટે કેમકે આ બીમારી ના લક્ષણો સામાન્ય લાગે પરંતુ તેનું પરિણામ ગંભીર સાબિત થાય છે. એક રિપોર્ટ અનુસાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓમાં થાઇરોઇડની સમસ્યા વધુ જોવા મળે છે થાઇરોઇડના અસરગ્રસ્તોમાં ૮૦ ટકા સ્ત્રીઓ હોય છે અને આ બીમારીની
ાંખ્યા એ ડાયાબિટીસના દર્દી જેટલી છે, પણ તેની જાણ થતી નથી. આજે ૪૦ મિલિયન લોકો થાઇરોઇડગ્રસ્ત છે, એમાંથી લગભગ ૮૨ની જ ઓળખ થઇ શકે છે, કેમકે તેના લક્ષણો જ સામાન્ય લાગે છે, હાઇપર થાઇરોડિઝમ અને હાઇપો થાઇરોડિઝમ બમેનના લક્ષણ ધીમે ધીમે પ્રગટ થાય છે, અને પ્રારંભમાં એ એટલા બધા ક્ષીણ હોય છે કે એ તરફ કોઇનું ધ્યાન જતું નથી. હાઇપર થાઇરોડિઝમમાં જયાં વજન ઘટવા લાગે છે, ત્યાં જ હાઇપો થાઇરોડિઝમમાં અકારણ વજન વધવા લાગે છે, ઉપરાંત ગર્ભધારણ ન થવું, વાળ ખરવા, ડિપ્રેશન, થાક, ત્વચા શુષ્ક થવી, આંખની આસપાસ કે શરીરમાં સોજા આવવા, માસિક અનિયમિત થવું, ઉંઘ ન આવવી વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે એને વધુ પડતી ભાગદોડ, વધુ પડતું કામ કે ઓફિસની તાણ સાથે જોડી દેવાય છે, જેથી આ વિકાર વધતો જ જાય છે. થાઇરોઇડ પ્રત્યે જાગૃત કરવા અને એનો પરિચય કરાવવા માટે ૨૫મી મે એ વિશ્વ થાઇરોઇડ દિવસ ઉજવવામાં આવે છે, અને આ દિશામાં ભારતીય થાઇરોઇડ સોસાયટી એબટ ઇન્ડિયા જેવી સંસ્થાઓ પણ જાગૃત અભિયાન ચલાવે છે.
બિમારીના લક્ષણો સામાન્યઃ ૪૦ મિલિયન લોકો થાઇરોઇડગ્રસ્ત છે,એમાંથી ૮૨ની જ ઓળખ થાય છે
થાઇરોઇડની સારવાર
ડો.સુશિલ જણાવે છે કે, જો થાાઇરોઇડની સારવાર સમયસર કરવામાં ન આવે તો એ બીજી અનેક સમસ્યાઓને જન્મ આપે છે જેમકે ગર્ભવતી માતા થાઇરોટેક ગ્રસ્ત હોય તો બાળકમાં ઓછું આઇક્યૂ હોઇ શકે છે, સ્ત્રીઓમાં માસિકધર્મ સંબંધી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય અથવા તો એ શરીરનાં અનેક મુખ્ય અંગો જેમકે, મગજ, હદ્ય કે પ્રજનનતંત્ર પર પણ અવળી અસર કરે છે. આની સારવાર અત્યંત સરળ છે, કોઇપણ સામાન્ય ડોક્ટર તમને માત્ર એક નાની દવા ખાવાની સલાહ આપી શકે છે. એકવાર આ વિકરા અટકી ગયા પછી વર્ષમાં એકવાર તેનો ટેસ્ટ કરાવવાની જરૂર પડે છે અને તમે સામાન્ય દિનચર્યા જીવી શકો છો.