(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ઉપક્રમે છેલ્લાં પાંચ વર્ષમાં નિવૃત્ત થયેલ માજી સૈનિકોને અથવા સ્વ. માજી સૈનિકોના ધર્મપત્નીઓ અથવા તેમના એક સંતાનને ર્આિથક રીતે પગભર થવાના ઉદ્દેશથી સી.સી.સી. સમકક્ષ કમ્પ્યુટર કોર્સની વિના મૂલ્યે તાલીમ આઇ.ટી.આઇ., કુબેરનગર, અમદાવાદ ખાતે આપવામાં આવશે. તેમજ તાલીમ સફળ રીતે ત્રણ મહિના પુરી કરનારને રૂા. ૫૪૦૦/ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં કમ્પ્યુટરની તાલીમ લેવા ઇચ્છતા વ્યક્તિઓએ પોતાનું નામ અને મોબાઇલ નંબરની માહિતી ફોન દ્વારા અથવા રૂબરૂ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, થલતેજ અમદાવાદ ખાતે નોંધાવવાની રહેશે.