(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
માનસિક રોગથી પીડાતા દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે સમાજ સુરક્ષા ખાતા દ્વારા સંચાલિત માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે સાયક્યાટ્રીકની વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. જેનો લાભ લેવા માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર અમદાવાદની યાદીમાં જણાવાયું છે. વિશ્વનાથ ભુવન, સંન્યાસ આશ્રમની બાજુમાં, આશ્રમ રોડ ખાતે કાર્યરત આ કેન્દ્ર ખાતે બાળકો માટેનું પ્લે-ગ્રુપ વિના મૂલ્યે કાર્યરત છે જેનો જરૂરિયાત મંદ લાભાર્થીઓને લાભ લેવા વધુમાં જણાવાયું છે.