(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
શાળાઓના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળ સંકલન સમિતિ દ્વારા રાજયના શાળા સંચાલકોનું મહાઅધિવેશન તા. ૨૫મી મેને બુધવારના રોજ પ્રેક્ષાભારતી હોલ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યું છે.
અમદાવાદ ગાંધીનગર હાઇવે કોબા સર્કલ પાસે પ્રેક્ષાભારતી ખાતે અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ નારણભાઇ પટેલ અને ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ અંબુભાઇ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ આપતી શાળાઓ સામે સરકારની અન્યાયી અને અવિશ્વાસ નીતિ-રીતિ લડતના મંડાણ કરવા માટે આ મહાઅધિવેશન બોલાવ્યું છે. જેમાં ૧૦ હજાર જેટલા શાળા સંચાલકો આ મહાઅધિવેશનમાં ઉપસ્થિત રહેશે.