એગિ્રકલ્ચર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ફોરેન્ટ્રી મેને. કોર્સ, સંરક્ષણ ક્ષેત્રે, હેલ્થ અને મેડીકલ ટુરીઝમ મહત્વના કોર્સ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૩
ધો. ૧૨ બોર્ડ સાયન્સનું ગઇકાલે પરિણામ જાહેર થઇ ગયા બાદ વિદ્યાર્થીઓ ફક્ત એન્જિનીયરીંગ, ફાર્મસી અને મેડીકલ ક્ષેત્રે જ કારકિર્દી ઘડવાનું મુનાસીબ સમજે છે પરંતુ આ ત્રણ ક્ષેત્ર સિવાય એનિમલ ન્યૂટિ્રશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, અર્થ સાયન્સિસ અને ફોરેસ્ટ મેનેજમેન્ટ સહિત રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા દ્વારા પણ કારકિર્દી ઘડી શકે છે.
ધો. ૧૨ સાયન્સ પછી શું કરવું ? તેને લઇ વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે. વાલીઓ પોતાના બાળકોની માર્કશીલ લઇ તજજ્ઞો પાસે સલાહ લેવા પહોંચી જાય છે. અને ફક્ત એન્જિ., ફાર્મસી અને મેડીકલમાં જ પ્રવેશની ચર્ચાઓ કરે છે. પરંતુ આ ત્રણ ક્ષેત્ર સિવાય અન્ય ક્ષેત્રમાં પણ નોકરી મોટી તક છે. સાથો સાથ ઉંચા પગાર મળે છે. વિદ્યાર્થીઓને એગિ્રકલ્ચરલ યુનિર્વિસટીના અભ્યાસક્રમોમાં, રેઇન વોટર હાર્વેસિંગ, અર્થ સાયન્સિસ, પબ્લિક હેલ્થ, ફાર્માકોવિવિલન્સ, ક્લિનિકલ એન્જિ., મેડીકલ ટુરીઝમ, ફોરેન્ટ્રી મેનેજમેન્ટનો કોર્સ સહિત રાષ્ટ્રીય પ્રવેસ પરીક્ષા આપી વિવિધ ક્ષેત્રે પ્રવેશ લઇ કારકિર્દી ઘડી શકાય છે. આ ઉપરાંત ઇન્ડિયન આર્મી, એવિએશન મેનેજમેન્ટ અને સંરક્ષણ ક્ષેત્રે એરમેનની કારકિર્દી પણ ઘડી શકાય છે. વિદ્યાર્થી-વાલીઓના માર્ગદર્શન માટે પ્રદેશ કોંગ્રેસ ભવન ખાતે ખાસ વ્યવસ્થા કરાઇ છે. દરરોજ મોટી સંખ્યામાં વાલીઓ માર્ગદર્શન મેળવે છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ આવી શકે છે.