Tag Archives: BJP

ભાજપ અને સંઘને ચારે બાજુ ત્રાસવાદ દેખાય છે

 

આસામના જોરહાટમાં ચૂંટણી પ્રચાર કરતા રાહુલ ગાંધીએ આજે ચૂંટણી સભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આસામમાં ચૂંટણી હોવાના પરિણામ સ્વરુપે ભાજપ અને સંઘના લોકો મેદાનમાં આવી ગયા છે. જેએનયુ વિવાદનો મુદ્દો અહીં પણ છવાયો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભાજપ અને સંઘને દરેક જગ્યાએ ત્રાસવાદ દેખાય છે. યુનિવર્સિટીમાં પણ ત્રાસવાદ દેખાય છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ અને સંઘના લોકો ભાષણબાજી કરવામાં અને ખોટા વચનો આપવા માટે જાણિતા રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ ભાષણબાજી કરી ચુક્યા છે. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મોટા મોટા ભાષણો આપી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા, ક્લિન ઇન્ડિયાની વાત દરરોજ કરી રહ્યા છે. નવા સ્લોગનો આપવામાં આવી રહ્યા છે. રાહુલે કહ્યું હતું કે, ચૂંટણી બાદ મોદી બિહારમાં દેખાતા નથી. મહાત્મા ગાંધીને ગોળી મારનાર લોકો પણ આજ પ્રકારનું વલણ ધરાવતા હતા. બ્રિટિશ શાસનનો મુદ્દો પણ રાહુલે ઉઠાવ્યો હતો.

આસામમાં અન્ય એક રેલીને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, ભાજપ અને સંઘના લોકો જુદા જુદા મુદ્દા ઉપર વાત કરી રહ્યા છે. આ લોકો વિભાજનની રાજનીતિ રમી રહ્યા છે. લોકોમાં ઘૃણા ફેલાવી રહ્યા છે. જેએનયુમાં હાલમાં બનેલી ઘટનાઓ તમામ લોકોને દેખાઈ રહી છે. લોકો ઉપર બિનજરૃરી અભિપ્રાય લાદવામાં આવી રહ્યા છે. આસામના સોનિતપુર જિલ્લામાં પક્ષની બેઠકને પણ તેઓએ સંબોધી હતી. દેશની સંસ્કૃતિ પ્રત્યે ભાજપ અને સંઘને કોઇ સન્માન નથી. ભાજપને દરેક બાજુ તેમના વચનો જ દેખાય છે અને તેમના અભિપ્રાયને લાગૂ કરવામાં આવે તેમ ઇચ્છે છે. તેમના અભિપ્રાય સાથે જે લોકો સહમત નથી તે લોકોને ત્રાસવાદ તરીકે ગણવામાં આવે છે. ભાજપે વર્ષો સુધી હિન્દુ અને મુસ્લિમો વચ્ચે વિભાજનની નીતિ અપનાવી છે. ત્રાસવાદનો તરીકો પણ પણ લોકોને ગણાવ્યા છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસ તમામ સંસ્કૃતિનું સન્માન કરે છે. ભાઈચારા અને એકતાને મહત્વ આપે છે.