સિંગર, મ્યૂઝિક કમ્પોઝર અને ઈન્ડિયન આઈડલ ૧૨નો જજ હિમેશ રેશમિયા હાલ પોતાના નવા આલ્બમ ‘હિમેશ કે દિલ સે’ને લઈને ચર્ચામાં છે. આ આલ્બમમાં તે નવા-નવા સિંગર્સને તક આપી રહ્યો છે. પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ અત્યારસુધીમાં આ આલ્બમ માટે ‘તેરી ઉમીદ’, ‘તેરે બગેર’ અને ‘ઓ સૈયોની’ એમ ત્રણ સોન્ગ ગાઈ ચૂક્યા છે અને ત્રણેય સુપર હીટ થયા હતા. આ સિવાય સવાઈ ભાટે આલ્બમમાં ‘ઓ સજના’ સોન્ગ ગાયું હતું. હિમેશ રેશમિયાએ હવે ઈન્ડિયન આઈડલ ૧૨ના ફાઈનાલિસ્ટ્સમાંથી એક નિહાલ તોરો પાસે એક સોન્ગ ગવડાવ્યું છે, જેનું ટાઈટલ ‘અગર તુમ ના હોતે’ છે. નિહાલ તોરોનું સોન્ગ આજે (૨૦ સપ્ટેમ્બર) રિલીઝ થયું છે અને ફેન્સને પસંદ પણ આવ્યું છે. નિહાલ તોરોના સોન્ગને અત્યારસુધીમાં (લખાઈ રહ્યું છે ત્યારસુધીમાં) ૧,૯૭,૨૫૪ વ્યૂઝ મળ્યા છે. નિહાલ તોરોએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નાનકડી ક્લિપ શેર કરી છે. તેના પર કોમેન્ટ કરીને ફેન્સ નિહાલના વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે ‘સુપર્બ સુપર્બ સુપર્બ નિહાલ સર. તમે જેવા છો તેવા મને પસંદ છો’. એક ફેને લખ્યું છે ‘તમે જાદુઈ સિંગર છો’. નિહાલના ફેન પેજે લખ્યું છે ‘શબ્દો નથી, અત્યારે ઈમોશનલ છું. મારું મનપસંદ સોન્ગ’. એક ફેન પેજે લખ્યું છે ‘અત્યારસુધીમા સાંભળેલા સૌથી શ્રેષ્ઠ લિરિક્સ. તે આ સોન્ગને ખાસ બનાવી દીધું. તે એકદમ સરળતાથી સોન્ગના દરેક ઈમોશન દેખાડ્યા’. નિહાલનું સોન્ગ તેની ખાસ ફ્રેન્ડ સાયલી કાંબલેને પણ પસંદ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નિહાલ તોરો સાયલી કાંબલે સાથેની ફ્રેન્ડશિપના કારણે ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો. જાે કે, ઈન્ડિયન આઈડલ ૧૨ના ફિનાલે વખતે નિહાલે સ્પષ્ટ કર્યું હતું કે તેની અને સાયલી વચ્ચે કોઈ રોમેન્ટિક એંગલ નથી. સાયલી તેમની ભાઈ છે તેમ નિહાલે જણાવ્યું હતું. ‘અમે સાયલીને ભાઈ કહીએ છીએ અને તે મને પોતાનો નાનો ભાઈ માને છે. અમે બંને એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ અને તે મારી બહેન નથી પણ મોટો ભાઈ છે (હસે છે). અમારા બંનેની વચ્ચે કોઈ રોમેન્ટિક એંગલ નથી. અમારી વચ્ચેનું બોન્ડ જાેઈને કોઈને પણ એવું લાગે કે અમારી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે પરંતુ મારો વિશ્વાસ કરો અમારા રોમેન્ટિક એંગલની સ્ટોરીમાં કોઈ તથ્ય નથી.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...