નિહાલનું સોન્ગ અગર તુમ ના હોતે રિલીઝ થતાં હિટ થયું

સિંગર, મ્યૂઝિક કમ્પોઝર અને ઈન્ડિયન આઈડલ ૧૨નો જજ હિમેશ રેશમિયા હાલ પોતાના નવા આલ્બમ ‘હિમેશ કે દિલ સે’ને લઈને ચર્ચામાં છે. આ આલ્બમમાં તે નવા-નવા સિંગર્સને તક આપી રહ્યો છે. પવનદીપ રાજન અને અરુણિતા કાંજીલાલ અત્યારસુધીમાં આ આલ્બમ માટે ‘તેરી ઉમીદ’, ‘તેરે બગેર’ અને ‘ઓ સૈયોની’ એમ ત્રણ સોન્ગ ગાઈ ચૂક્યા છે અને ત્રણેય સુપર હીટ થયા હતા. આ સિવાય સવાઈ ભાટે આલ્બમમાં ‘ઓ સજના’ સોન્ગ ગાયું હતું. હિમેશ રેશમિયાએ હવે ઈન્ડિયન આઈડલ ૧૨ના ફાઈનાલિસ્ટ્‌સમાંથી એક નિહાલ તોરો પાસે એક સોન્ગ ગવડાવ્યું છે, જેનું ટાઈટલ ‘અગર તુમ ના હોતે’ છે. નિહાલ તોરોનું સોન્ગ આજે (૨૦ સપ્ટેમ્બર) રિલીઝ થયું છે અને ફેન્સને પસંદ પણ આવ્યું છે. નિહાલ તોરોના સોન્ગને અત્યારસુધીમાં (લખાઈ રહ્યું છે ત્યારસુધીમાં) ૧,૯૭,૨૫૪ વ્યૂઝ મળ્યા છે. નિહાલ તોરોએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નાનકડી ક્લિપ શેર કરી છે. તેના પર કોમેન્ટ કરીને ફેન્સ નિહાલના વખાણ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે ‘સુપર્બ સુપર્બ સુપર્બ નિહાલ સર. તમે જેવા છો તેવા મને પસંદ છો’. એક ફેને લખ્યું છે ‘તમે જાદુઈ સિંગર છો’. નિહાલના ફેન પેજે લખ્યું છે ‘શબ્દો નથી, અત્યારે ઈમોશનલ છું. મારું મનપસંદ સોન્ગ’. એક ફેન પેજે લખ્યું છે ‘અત્યારસુધીમા સાંભળેલા સૌથી શ્રેષ્ઠ લિરિક્સ. તે આ સોન્ગને ખાસ બનાવી દીધું. તે એકદમ સરળતાથી સોન્ગના દરેક ઈમોશન દેખાડ્યા’. નિહાલનું સોન્ગ તેની ખાસ ફ્રેન્ડ સાયલી કાંબલેને પણ પસંદ આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, નિહાલ તોરો સાયલી કાંબલે સાથેની ફ્રેન્ડશિપના કારણે ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો. જાે કે, ઈન્ડિયન આઈડલ ૧૨ના ફિનાલે વખતે નિહાલે સ્પષ્ટ કર્યું હતું કે તેની અને સાયલી વચ્ચે કોઈ રોમેન્ટિક એંગલ નથી. સાયલી તેમની ભાઈ છે તેમ નિહાલે જણાવ્યું હતું. ‘અમે સાયલીને ભાઈ કહીએ છીએ અને તે મને પોતાનો નાનો ભાઈ માને છે. અમે બંને એકબીજાને ખૂબ પસંદ કરીએ છીએ અને તે મારી બહેન નથી પણ મોટો ભાઈ છે (હસે છે). અમારા બંનેની વચ્ચે કોઈ રોમેન્ટિક એંગલ નથી. અમારી વચ્ચેનું બોન્ડ જાેઈને કોઈને પણ એવું લાગે કે અમારી વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે પરંતુ મારો વિશ્વાસ કરો અમારા રોમેન્ટિક એંગલની સ્ટોરીમાં કોઈ તથ્ય નથી.

 

રાકેશ અને શમિતાના સંબંધો ક્યુટ લાગે છે : Kashmira Shah

બિગ બોસ ઓટીટીનો ભલે અંત આવી ગયો હોય, પરંતુ તેના સભ્યો અને સભ્યો વચ્ચે જાેડાયેલા સંબંધોની ચર્ચા હજી પણ ચાલી રહી છે. બિગ બોસ ઓટીટીની પહેલી સીઝનની વિજેતા દિવ્ય અગ્રવાલ બની છે. આ સીઝનમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ પણ મજબૂત ઉમેદવાર હતા. શમિતા અને રાકેશના સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. જ્યારે આ સીઝન ચાલી રહી હતી ત્યારે ટીવી અભિનેત્રી કાશ્મિરા શાહે બન્નેની જાેડી પર એક કમેન્ટ કરી હતી. પરંતુ હવે તે આ જાેડીના વખાણ કરી રહી છે. પહેલા કાશ્મિરા શાહે રાકેશ અને શમિતાની જાેડી પર નકારાત્મક ટિપ્પણી કરી હતી, પરંતુ હવે તેના સુર બદલાયેલા લાગે છે. હવે કાશ્મિરાએ રાકેશ અને શમિતાની જાેડીના વખાણ કર્યા છે અને તેમને શુભકામનાઓ પણ પાઠવી છે. કાશ્મિરાએ ટિ્‌વટ કરીને લખ્યું કે, રાકેશની જર્નીનો વીડિયો જાેઈને હું કહીશ કે શમિતા શેટ્ટી અને તે એક સાથે ઘણાં ક્યુટ લાગે છે. આશા છે કે તેઓ એકબીજાના પ્રેમને શોધી કાઢશે અને બિગ બોસના ઘરની બહાર પણ પોતાના સંબંધોને જીવતા રાખશે.ઉલ્લેખનીય છે કે શૉ દરમિયાન પણ કાશ્મિરાએ શમિતા અને રાકેશ પર કમેન્ટ કરી હતી. તેણે કહ્યુ હતું કે રાકેશ જાેરુનો ગુલામ બનવાની તૈયારીમાં છે, કારણકે શમિતા થોડી દબંગ લાગે છે. કાશ્મિરાની આ કમેન્ટ પર રાકેશ બાપટની પૂર્વ પત્ની રિદ્ધિ ડોગરાએ જવાબ આપ્યો હતો. રિદ્ધિએ લખ્યુ હતું કે, મહેરબાની કરીને આવી અભદ્ર કમેન્ટ્‌સ ના કરો. ઉલ્લેખનીય છે કે રાકેશ અને શમિતાના બિગ બોસના ઘરમાં ઘણાં સારા સંબંધો હતા. તેમની વચ્ચે તકરાર પણ જાેવા મળી હતી, પરંતુ તેમના રોમાન્સની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. તેમની જાેડીએ લાકો લોકોનાં દિલ જીત્યા છે. ફિનાલે એપિસોડમાં પણ રાકેશ અને શમિતાએ એક રોમાન્ટિક પર્ફોમન્સ આપ્યુ હતું જેના ખૂબ વખાણ થયા હતા. લોકો આ જાેડીને પસંદ કરી રહ્યા છે. હવે બિગ બોસના ઘરમાંથી બહાર નીકળ્યા પછી તેમના સંબંધો કેવા રહે છે તે જાેવાની વાત છે.

 

કૃષ્ણાને જાેઈને ગોવિંદાની યાદ આવી ગઈ : Udit Narayan

ટીવી જગતનો હિટ કોમેડી શો ધ કપિલ શર્મા શો ૬ મહિનાના બ્રેક બાદ ફરી દર્શકોને હસાવવા માટે પાછો આવી ગયો છે. આ સાથે શોમાં જુદા-જુદા સેલિબ્રિટીની એન્ટ્રીનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. નવી સિઝનના પહેલા એપિસોડથી જ કપિલ શર્મા અને તેની કોમેડિયન ટીમ દર્શકોનું મનોરંજન કરતી આવી છે. શો ના નવા એપિસોડમાં જાણીતાં ગાયક ઉદિત નારાયણ, કુમાર સાનૂ અને અનુરાધા પૌડવાલ ગેસ્ટ તરીકે જાેવા મળ્યા છે. તેઓ આ શોમાં સંગીત સાથે જૂની યાદો લઈને પણ આવશે. ધ કપિલ શર્મા શોનો આ લેટેસ્ટ એપિસોડ સંગીત, રસપ્રદ કિસ્સા અને હાસ્યથી ભરપૂર રહ્યો. એપિસોડની શરૂઆત કુમાર સાનૂના ગીત ‘ધીરે ધીરે સે મેરી ઝિંદગી મેં આનાથી થઈ જેના પર કપિલ શર્માએ ડાન્સ કર્યો હતો. ત્રણેય ગાયકોએ ‘ચાંદ સિતારે, મેં નિકલા ગડ્ડી લેકે અને ‘તમ્મા તમ્મા’ સહિત પોતાના હિટ ગીત પર પરફૉર્મ કર્યું હતું. અનુરાધા પૌડવાલે ઉદિત નારાયણ સાથે માધુરી દિક્ષિતનું લોકપ્રિય ગીત ‘ધક ધક’ પણ ગાયું. તેમણે પોતાના વ્યક્તિગત જીવન સાથે જાેડાયેલા રસપ્રદ કિસ્સા પણ શેર કર્યા. કપિલે કુમાર સાનૂને પૂછ્યું કે તેમણે પોતાનું નામ કેદારનાથ ભટ્ટાચાર્ય કેમ બદલી નાખ્યું? ત્યારે કુમાર સાનૂએ કપિલને કહ્યું કે, ‘કલ્યાણજી-આણંદજીની સંગીતકાર જાેડીમાંથી કલ્યાણજીએ તેમને આ નામ એટલે આપ્યું કેમ કે તેમણે બંગાળી લહેકા સાથે વાત કરી હતી અને સંગીતકાર તેમને અસ્પષ્ટ નામ આપવા માગતા હતા, જેથી ઇન્ડસ્ટ્રીમાં તેઓ ટાઈપકાસ્ટ ન થાય. તો ઉદિત નારાયણે મજાકમાં અનુરાધા પૌડવાલને કહ્યું કે જાે હું તમારા લગ્ન પહેલા તમને મળ્યો હોત તો શું થાત? અનુરાધાએ જવાબ આપ્યો કે- ‘તો કદાચ મારું નામ અલકા જ રહેત.’ બીજી તરફ કપિલે મસ્તીમાં કહ્યું કે ઉદિત નારાયણે પાંચ મિનિટમાં ૧૦ વખત પૌડવાલનો હાથ સ્પર્શ્યો. ઉદિત નારાયણે કહ્યું કે યાજ્ઞિક અને પૌડવાલ સાથે રોમાન્સ કરીને તેમના ગીતો પર રોમાન્સ કરવો જરૂરી છે. તો સપનાં તરીકે કૃષ્ણા અભિષેકની એન્ટ્રી શોની સૌથી આકર્ષક ક્ષણમાંથી એક હતી. કૃષ્ણાએ આવીને આગવા અંદાજમાં મહેમાનોને હસાવવાનું શરુ કરી નાખ્યું હતું. કૃષ્ણાએ ઉદિત નારાયણને જાેઈને કહ્યું કે, તમને જાેઈને મામાજી યાદ આવી ગયા. આમ કહેતા જ કપિલ અને અર્ચના પૂરણ સિંહ હસવા લાગ્યા હતા.

 

રેમો ડિસૂઝાની પત્નીએ ૪૦ કિલો વજન ઉતાર્યું

રેમોનો તેની પત્નીની ઉપલબ્ધિ પર ગર્વ છે. તેણે તેની તસવીર શેર કરતાં તેનાં વજન ઘટાડવાની સફર અંગે જણાવ્યું છે અને વખાણ કર્યા છે. રેમોની પત્ની લીઝેલે બે વર્ષમાં ૪૦ કિલો જેટલું વજન ઉતારી દીધુ છે. રેમોએ ૧૯ સ્પટેમ્બરની એક પોસ્ટ લખવામાં આવી છે. અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડે છે. પણ સૌથી મોટી લડાઇ પોતાની જાત સાથે લડવી પડે છે.અને મે લિઝેલને આ લડાઇ લડતા જાેઇ છે. અને અશક્ય લાગતા આ લક્ષ્યને હાંસેલ કરતાં જાેઇ છે. રેમો વધુમાં લખે છે કે, ‘હું હમેશાં કહેતો હતો કે, આ જે આપનું મગજ છે તેને આપે મજબૂત બનાવવાનું છે અને લિઝ તે આ કરી દેખાડ્યું છે. મને તારા પર ગર્વ છે. આપ મારાથી વધુ મજબૂત છો. આપ મને પ્રેરિત કરો છો, તને પ્રેમ. લિઝેલે રેમોને જવાબ આપતાં કહ્યું છે કે, ઓહ, આઇ લવ યૂ બેબી. આ બાદ, તેમણે ઘણી હાર્ટ ઇમોજી શેર કરી છે. વરૂણ ધવન પહેલો સેલિબ્રિટી છે જેણે રેમોની પોસ્ટ પર કમેન્ટ કરી છે. તે લખે છે કે, વાહ લિઝ એક્ટર જય ભાનુશાળી, આમિર અલી અને સાકિબ સલીમ સમેત ઘણાં સ્ટાર્સને લિઝેલને તેનાં અચીવમેન્ટ પર વધામણી આપી છે. લિઝેલે પણ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર ફોટોઝ અને કોલાજ શેર કરી છે. અને લખ્યું છે કે, આઇ લવ યૂ. તુ સાચો છે. આ બધુ જ આપનાં મગજમાં હોય છે. અને તારા વગર આ સંભવ ન હતું. લિઝેલે પોસ્ટમાં આગળ લખ્યું છે કે, આપની ટ્રેનરનો આભાર માન્યો. તે તેની વેટ લોસની જર્નીથી નેટિઝને પ્રેરિત કરી રહી છે. અને જણાવી રહી છે કે, જાે આપ કંઇક નક્કી કરી લો છો તો, કંઇપણ અશક્ય નથી.

 

અંગુરી ભાભીએ બોલ્ડ ફોટો શેર કર્યા

ટીવી શો ભાભી જી ઘર પર હૈની અંગુરી ભાભી રિયલ લાઈફમાં ઘણી બોલ્ડ છે અને તે વાતની સાબિતી તેમને હાલમાં શેર કરેલા ફોટોગ્રાફ્સ આપે છે. એક્ટ્રેસ પોતાના પતિની સાથે ફરવા ગઈ હતી અને તે દરમિયાન તેમને અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેને ખુબ પસંદ કરાઈ રહ્યા છે. ભાભી જી ઘર પર હૈ માં અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને જબરદસ્ત લોકપ્રિયતા મેળવનારી શુભાંગી અત્રે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં, તેમને ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેમની સ્ટાઈલ જાેઈને ફેન્સ ચોંકી ગયા. શુભૂંગી અત્રે, જે અંગૂરી ભાભીની ભૂમિકામાં સાડીમાં જાેવા મળે છે, તે તેના નવા નવતારમાં ખૂબ જ અલગ જાેવા મળી રહી છે. તે ગ્લેમરસ ફ્લોરલ થાઈ સ્લિટ ડ્રેસમાં જાેવા મળી રહી છે. શુભાંગી હરિયાળીની વચ્ચે એક પહાડ પર ઉભેલી જાેવા મળે છે. ફોટોમાં શુભાંગીએ ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસની હાઈ સ્લિટને કારણે શુભાંગીની હોટનેસ વધી ગઈ છે. દરેક ફોટામાં શુભાંગીની અલગ સ્ટાઈલમાં જાેવા મળી રહી છે અને તેનો આ લૂક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. શુભાંગીનીના આ ફોટા તેમના પતિ પીયૂષે પાડ્યા છે. શુભાંગીએ આ અદભૂત તસવીરો ક્લિક કરવા બદલ તેના પતિનો આભાર પણ માન્યો છે. તમને જણાવી દઈએ કે, શુભાંગી ૪૦ વર્ષની છે અને તેને આશી નામની એક પુત્રી પણ છે. શુભાંગીની કારકિર્દીની વાત કરીએ તો, તેણે પાંચ વર્ષ પહેલા ભાભીજી ઘર પર હૈ શોમાં એન્ટ્રી કરી હતી. તે શોમાં શિલ્પા શિંદેના સ્થાને અંગૂરી ભાભીનું પાત્ર ભજવીને આવી હતી જેણે શો અધવચ્ચે છોડી દીધો હતો. શુભંગીએ માત્ર આ ભૂમિકા સારી રીતે ભજવી નથી પણ પોતાની અલગ ઓળખ પણ બનાવી છે. તમને જણાવી દઈએ કે, એક ઈન્ટરવ્યુમાં શુભાંગીએ કહ્યું હતું કે, ફિલ્મો અથવા વેબસીરીઝમાં બોલ્ડ સીન આપવામાં તેને કોઈ જ સંકોચ નથી. શુભાંગીએ એમ પણ કહ્યું કે, તેને સ્ક્રીન પર બિકીની પહેરવામાં કોઈ સમસ્યા નથી. ફક્ત તેમને સંતોષ થવો જાેઈએ કે દ્રશ્ય અશ્લીલ નથી અને તેમની પુત્રી તેને જાેઈને એવું ન કહે છે કે મમ્મી શું કરે છે?

 

પવનદીપ અરુણિતા કાંજીલાલને પોતાના વતન લઈ ગયો

ઈન્ડિયન આઈડલ ૧૨ પૂરું થયા પછી શોનો વિજેતા પવનદીપ અને ફર્સ્‌ટ રનર અપ અરુણિતા કાંજીલાલ વિવિધ પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગયા છે. પવનદીપ અને અરુણિતા મ્યૂઝિકલ સીરીઝમાં સાથે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત હાલ તો તેઓ ઋષિકેશમાં છે. ગત અઠવાડિયે જ પવનદીપ અને અરુણિતા મ્યૂઝિક કોન્સર્ટ માટે ઋષિકેશ પહોંચ્યા હતા. હાલ સોશિયલ મીડિયા પર પવનદીપ અને અરુણિતાની પહાડી ટ્રીપની તસવીરો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પહાડી વિસ્તારની સુંદર વાદીઓના નજારા બતાવાની સાથે પવનદીપ અરુણિતાને ત્યાંના પોપ્યુલર ગીતોથી માહિતગાર કરી રહ્યો છે. કામની સાથે-સાથે પવનદીપ અને અરુણિતા ફરવાનો આનંદ પણ લઈ રહ્યા છે. પવનદીપ-અરુણિતાની ટ્રીપનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં પવનદીપ અને અરુણિતા ટ્રીપમાં કેટલી મજા આવી રહી છે તેની વાતો કરતાં જાેવા મળે છે. વિડીયોમાં પવનદીપ કહે છે, “હું તો પહાડી વિસ્તારનો જ છું, તને અહીં આવીને કેવું લાગે છે અરુણિતા?” જવાબમાં તેણી કહે છે, “આ સુંદર વાતાવરણ જાેઈને હું ઉત્સાહિત છું. શહેરની ભીડભાડથી દૂર અહીં આવીને સારું લાગે છે. બીજા એક વિડીયો કોન્સર્ટનો છે, જેમાં પવનદીપ અને અરુણિતા ‘ગાતા રહે મેરા દિલ’ ગીત ગાતા સંભળાય છે. અત્યાર સુધી જે પવનદીપ અને અરુણિતાને માત્ર ટીવીમાં ગાતા સાંભળ્યા હતા તેમને પ્રત્યક્ષ સાંભળીને શ્રોતાઓ પણ ઝૂમી ઉઠ્‌યા હતા. આ સિવાય પવનદીપ કેશિયો વગાડીને ‘સજના વે’ ગીત ગાતો સંભળાય છે. પવનદીપ અને અરુણિતાના કંઠે ગવાયેલા વિવિધ ગીતો સાંભળીને શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા. કોન્સર્ટ પૂરો થયા બાદ અરુણિતા અને પવનદીપે મિત્રો સાથે મહેફિલ જમાવી હશે તેવું લાગી રહ્યું છે. ફેનપેજ પર વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કલાકાર હેંગ ડ્રમ વગાડી રહ્યો છે અને પવનદીપ ગીત ગાઈ રહ્યો છે. અરુણિતા પવનદીપના ગીતને સાંભળવાની સાથે પોતાના વાળ સાથે રમતી જાેવા મળે છે. આ સિવાય બીજી કેટલીક તસવીર સામે આવી છે જેમાં અરુણિતા કાંજીલાલ અને પવનદીપ નીચે બેસીને જમતાં જાેવા મળે છે. આ જાેતાં અંદાજાે લગાવી શકાય છે કે પવનદીપે અરુણિતાને પહાડી વાનગીઓનો સ્વાદ ચખાડ્યો હશે!

 

બપ્પી લહેરી બોલી ન શકતાં હોવાની અફવા ઉડી

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વહેતા થયા હતા કે જાણીતા સિંગર અને મ્યૂઝિશિયન બપ્પી લહેરીએ અવાજ ગુમાવી દીધો છે. જાેકે, આ વાતો ખોટી સાબિત થઈ છે. બપ્પી લહેરીએ સોશિયલ મીડિયા પર આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બપ્પી લહેરીએ પોતાના અવાજ અંગેની અફવાઓને ફગાવી દેતાં લખ્યું, અમુક મીડિયા આઉટલેટ મારા અને મારા સ્વાસ્થ્ય વિશે જે ખોટું રિપોર્ટિંગ કરી રહ્યા છે તે જાેઈને દુઃખ થાય છે. મારા ફેન્સ અને શુભચિંતકોના આશીર્વાદથી મારી તબિયત એકદમ સારી છે. બપ્પીદા. જણાવી દઈએ કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં કોરોના થતાં બપ્પીદાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તકેદારીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને થોડા જ દિવસમાં તેઓ ડિસ્ચાર્જ થઈ ગયા હતા. તેમ છતાં મીડિયામાં એવા અહેવાલો હતા કે કોરોના મટ્યા પછી તેમની તબિયત નાદુરસ્ત રહે છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બપ્પી લહેરી જાતે હરી-ફરી નથી શકતાં અને વ્હીલચેરમાં છે. સરળતાથી ઉપર-નીચે જઈ શકે તે માટે તેમના જૂહુ સ્થિત બંગલે લિફ્ટ નંખાવામાં આવી છે. મીડિયા રિપોર્ટમાં એમ પણ કહેવાયું હતું કે, જે લોકો સિંગરની ખબર કાઢવા ગયા હતા તેમણે કહ્યું કે, તેમને ખૂબ અશક્તિ આવી ગઈ છે અને તેઓ બોલી નથી શકતા. બપ્પા લહેરી એપ્રિલ મહિનામાં લોસ એન્જેલસથી મુંબઈ આવ્યો હતા કારણકે તેમના પિતા બીમાર હતા. ત્યારથી બપ્પા મુંબઈમાં જ છે. બપ્પી લહેરીને કોરોના થતાં તેઓ ફેફસાની સારવાર લઈ રહ્યા હતા. બપ્પાના કહેવા અનુસાર, સિનિયર કમ્પોઝર રિકવર થઈ રહ્યા હોવાથી ડૉક્ટરોએ તેમને બોલવાની ના પાડી હતી. જેના કારણે ખબર જાેવા આવનારા લોકોને લાગ્યું હશે કે તેમણે અવાજ ગુમાવી દીધો છે. બપ્પાએ જણાવ્યું કે, તેના પિતા બપ્પી લહેરી એકદમ સ્વસ્થ છે અને તે દુર્ગા પૂજાનું ગીત બંગાળી એક્ટ્રેસ રિતુપર્ણા સેનગુપ્તા સાથે રેકોર્ડ કરવાના છે.

 

પોર્નોગ્રાફી કેસમાં રાજ કુંદ્રાને કોર્ટે જામીન આપ્યા

પોર્નોગ્રાફી કેસમાં એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાને જામીન મળી ગયા છે. મેજિસ્ટ્રેટ કોર્ટે ૫૦ હજાર રૂપિયાના બોન્ડ પર રાજ કુંદ્રાને જામીન આપ્યા. રાજ કુંદ્રા પર અશ્લીલ કન્ટેન્ટ બનાવવાનો અને તેને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો આરોપ છે. ૧૯ જુલાઈએ પૂછપરછ પછી રાજ કુંદ્રાની ધરપકડ કરાઈ હતી. રાજ ઉપરાંત ઘણા અન્ય લોકોની પણ પોલીસે ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે ફેબ્રુઆરી ૨૦૨૧માં કેસ દાખલ કરાયો હતો. તે પછીથી પોલીસે આ કેસની તપાસમાં લાગી ગઈ હતી.
આ કેસમાં પહેલા એક વ્હોટ્‌સએપ ગ્રુપની ચેટ સામે આવી હતી. આ ગ્રુપનું નામ એચ અકાઉન્ટસ હતું. ગ્રુપ એડમિન રાજ કુંદ્રા હતો. રિપોર્ટસ મુજબ, આ ગ્રુપમાં મોડલ્સના પેમેન્ટથી લઈને રેવન્યુ સુધીની વાતચીત થતી હતી.
રાજ કુંદ્રા કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનું નિવેનદ પણ લીધું હતું. શિલ્પા શેટ્ટીએ આર્મ્સપ્રાઈમ મીડિયા કંપનીના કામ વિશે જણાવ્યું હતું. તેના કહેવા મુજબ, આ કંપની શોર્ટ વિડીયોઝ બનાવતી હતી. જેમાં એક્ટ્રેસ પોતાની મરજીથી એક્સપોઝ કરતી હતી. શિલ્પાએ કહ્યું હતું કે, હું મારા કામમાં બિઝી હતી અને હું મારા પતિને એ પૂછતી ન હતી કે તે શું કરે છે. તે મને પોતાના કામ વિશે કંઈપણ જણાવતા ન હતા. મને આ અંગે કંઈ જાણ નથી.

 

આસ્થા ચૌધરીએ આદિત્ય બેનર્જી સાથે સગાઈ કરી

ટીવી એક્ટ્રેસ આસ્થા ચૌધરીને મનનો માણીગર મળી ગયો છે. ૧૦ સપ્ટેમ્બરે આસ્થા ચૌધરીએ આદિત્ય બેનર્જી સાથે સગાઈ કરી છે. આસ્થાનો થનારો પતિ આદિત્ય ડૉક્ટર છે. કપલની સગાઈ આદિત્યના વતન અલ્હાબાદમાં યોજાઈ હતી. છેલ્લે ટીવી સીરિયલ કેસરી નંદનમાં જાેવા મળેલી એક્ટ્રેસ આસ્થાએ બોમ્બે ટાઈમ્સ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં કહ્યું, “આદિત્ય મારા પરિવારને મળ્યો પછી અમે ઓગસ્ટ મહિનામાં જ સગાઈની તારીખ નક્કી કરી હતી. અમે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે સગાઈ કરવાનું નક્કી કર્યું હતું. ૧૦ સપ્ટેમ્બર (ગણેશ ચતુર્થી) સિવાય કોઈ સારું મુહૂર્ત પણ નહોતું. કમનસીબે મેં મારા સારા મિત્ર સિદ્ધાર્થ શુક્લાને ૨ સપ્ટેમ્બરે ગુમાવ્યો. સિદ્ધાર્થના મોત બાદ અમે સગાઈ વધારે શોરબકોર વિના કરવાનું નક્કી કર્યું હતું. આટલા દિવસ સુધી મેં સગાઈની કોઈ ચર્ચા ન કરી કે તસવીરો પોસ્ટ ન કરી તેનું કારણ એ જ હતું કે સિદ્ધાર્થના મોત બાદ આમ કરવાનું મને યોગ્ય ના લાગ્યું. સિદ્ધાર્થ શુક્લાનો પહેલો ટીવી શો હતો ‘બાબુલ કા આંગન છૂટે ના અને આસ્થાએ તેમાં સિદ્ધાર્થ સાથે કામ કર્યું હતું. ૨૦૦૮માં શરૂ થયેલી આ સીરિયલ પૂરી થયા પછી પણ સિદ્ધાર્થ અને આસ્થા વચ્ચે મિત્રતા હતી. આસ્થાએ સિદ્ધાર્થને પોતે સગાઈ કરવાની હોવાની વાત જણાવી હતી સાથે જ લગ્નના પ્લાન અંગે પણ ચર્ચા કરી હતી. “હું સિદ્ધાર્થની નજીક હતી. હકીકતે મારી છેલ્લેથી બીજી વાતચીતમાં હું સગાઈ કરવાની છું એ વાત સિદ્ધાર્થને જણાવી હતી. તે મારા માટે ખુશ હતો. તેણે પોતાના આગવા અંદાજમાં મને કહ્યું હતું- ‘સહી હૈ, હું તારા માટે ખુશ છું. ઘર વસાવી લે.’ આ વાતચીત બાદ મેં છેલ્લે ૧૭ ઓગસ્ટે સિદ્ધાર્થ સાથે વાત કરી હતી. મને હજી પણ ખૂબ જ દુઃખ છે અને વિશ્વાસ નથી આવતો કે સિદ્ધાર્થ આ દુનિયામાં નથી રહ્યો”, તેમ આસ્થાએ ઉમેર્યું. દરમિયાન આસ્થાની વાત કરીએ તો, તે ૨૦૨૨ની શરૂઆતમાં લગ્ન કરવાની યોજના બનાવી રહી છે. તેણે કહ્યું, “અમે હજી સુધી તારીખ નક્કી નથી કરી પરંતુ જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં લગ્ન કરવાનો વિચાર છે.” આદિત્ય અને આસ્થાની મુલાકાત જાન્યુઆરી મહિનામાં એક કોમન ફ્રેન્ડે કરાવી હતી. “અમે એકબીજા સાથે વાતો શરૂ કરી અને કંપની ગમવા લાગી. આદિત્ય કાળજી રાખનારો, દયાળુ અને ડાઉન-ટુ-અર્થ છે અને તેની જ આ બાબતો મને ગમી ગઈ.

 

મલાઈકા ઓફ શોલ્ડર જમ્પસૂટમાં દેખાઈ

મલાઈકા અરોરા સારી ડાન્સર, મોડલ,બિઝનેસ વુમન હોવાની સાથે-સાથે ફિટનેસ ફ્રીક પણ છે. એક્ટ્રેસ પોતાની ફિગર અને પર્સનાલિટીને ખૂબ મેન્ટેઈન રાખે છે. બોલીવુડની સુંદર અને બોલ્ડ અભિનેત્રી મલાઈકા અરોરાની અભિનય કારકિર્દી ખાસ નહોતી, પરંતુ તેણીએ પોતાની ફિટનેસ, બોલ્ડ અવતાર અને નૃત્ય શૈલીથી દરેકને દીવાના બનાવી દીધા છે. પોતાના મનમોહક અને કિલર લુકથી લોકોને દંગ કરવાવાળી મલાઈકા અરોરા હંમેશા સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કારણોથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવતી રહે છે. પોતના ચાહકો સાથે જાેડાયેલી રહેવા માટે મલાઈકા સોશલ મીડિયા પર સક્રિય રહે છે. અભિનેત્રી તેના ચાહકોને મળવાની કોઈ તક છોડતી નથી. તે સતત તેના ફોટોઝ અને વીડિયો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. અભિનેત્રીની એક ઝલક મેળવવા ચાહકો તલપાપડ છે. ફિલ્મોથી દૂર હોવા છતાં મલાઈકાની ફેન ફોલોઈંગમાં કોઈ ઘટાડો થયો નથી. મલાઈકા અરોરા સારી ડાન્સર, મોડલ,બિઝનેસ વુમન હોવાની સાથે-સાથે ફિટનેસ ફ્રીક પણ છે. એક્ટ્રેસ પોતાની ફિગર અને પર્સનાલિટીને ખૂબ મેન્ટેઈન રાખે છે. મલાઈકા અરોરા ફરી એક વખત ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે. જેમાં તે ૪૭ વર્ષની ઉંમરે સોશિયલ મીડિયાનો પારો વધારતી જાેવા મળી રહી છે. તેના લેટેસ્ટ ફોટોશૂટમાં મલાઈકા અરોરા ઓફ શોલ્ડર જમ્પસૂટમાં જાેવા મળી. તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ફોટોઝમાં જાેઈ શકાય છે કે તેણે મેટાલિક ફ્યુશિયા કલરનો ઓફ શોલ્ડર જમ્પસૂટ પહેર્યો છે, જેમાં તે સુંદર લાગી રહી છે. પોતાનો લુક પૂરો કરતા મલાઈકાએ ગોલ્ડ સ્ટેટમેન્ટ નેકપીસ, વેવી હેર, બ્લેક ફોર બેગ સાથે રાખી છે. ચાહકો તેની આ શૈલીને ખૂબ પસંદ કરે છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope