ગાંધીધામ : તનિષ્કના શો રૂમ પર ટોળાનો હુમલો, માફી લખાવી

વિરોધ બાદ તનિષ્કે વિવાદાસ્પદ જાહેરાત પાછી ખેંચી
ઝવેરાતની કંપનીની જાહેરાત લવ જેહાદને પ્રોત્સાહન આપતી હોવાનો આરોપ લગાવી તેનો ભારે વિરોધ થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ,તા.૧૪
પ્રખ્યાત બ્રાન્ડ તનિષ્કની નવી એડવર્ટાઝમેન્ટમાં એક હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવક સાથે લગ્ન બતાવ્યાં છે જેને પરિવાર પહેલાં અપનાવતું નથી પણ જ્યારે યુવતી ગર્ભવતી થાય છે ત્યારે તેને પરિવાર દ્વારા અપનાવી લેવામાં આવે છે. આ એડવર્ટાઇઝમેન્ટને લવ જેહાદ સાથે જોડવામાં આવી છે અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધના વંટોળ પછી તનિશ્ક દ્વારા આ એડને સત્તાવાર રીતે પાછી ખેંચવામાં આવી અને એક ખુલાસો પણ આપવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાના પડઘાં આખા દેશ સાથે રાજ્યના કચ્છમાંમાં પણ પડ્યા છે. ગઈકાલે કચ્છના ગાંધીધામમાં આવેલા તનિશ્કના શો-રૂમમાં સામાજિક કાર્યકર પોતાની રજૂઆત કરવા ગયેલા હતા અને તેમણે શોરૂમ સંચાલકો પાસે માફીની માંગણી કરાવી હતી. જોકે, તેમનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જે સામાજિક કાર્યકર છે તે સામજીભાઈ આહિર હોવાની વિગતો બહાર આવી છે. જોકે, શામજી ભાઈ આહિરના વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયામાં કચ્છ શોરૂમમાં તોડફોડ થઈ હોવાના મેસેજ વાયરલ થયા હતા. જોકે, આ મામલે શામજી ભાઈ આહીરે જણાવ્યું હતું કે ’શોરૂમમાં જઈને ફક્ત રજૂઆત કરી હતી. તોડફોડ નથી કરી અને એવી કોઈ ઘટના ઘટી નથી. જોકે, આ મામલે તનિશ્ક કંપનીએ રાષ્ટ્રીય સ્તરે પોતાનો ખુલાસો આપ્યો છે પરંતુ કચ્છમાં તેના પડઘાં પડ્યા બાદ શોરૂમના મેનેજમેન્ટ બહાર એક માફી આપતો ખુલાસો મૂક્યો છે. આ મામલે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે દેશમાં ઇન્ટરનેટ બે ભાગમાં વહેચાઈ ગયું છે. આ મામલે જાણીતી અભિનેત્રી કંગનાએ તનિષ્કની એડ જોતા કંગના રનૌત ભડકી અને તેણે ટિ્‌વટર પર લખ્યું છે કે, હિન્દુ હોવાને કારણે આપણે ઘણું સતર્ક રહેવાની જરૂર છે. ક્રિએટિવ આતંકવાદીઓ આપણાં મગજમાં શું ઘુસાડી રહ્યાં છે. આપણે આવા વિષય પર ચર્ચા મુલ્યાંકન કરવાની જરૂર છે. જે આપણાં મગજમાં ખોટું ભરતા જઇ રહ્યાં છે. આ તમામની શું અસર હોય છે. આપણી આ સભ્યતાને બચાવવાનો એક માત્ર ઉપાય છે આ તમામનો વિોરધ કરવો.’ કંગનાએ બીજી એક ટિ્‌વટ કરીને લખ્યું હતું કે, ’આ એડ ઘણી ખરી રીતે ખોટી છે. જેમ તેમાં દર્શાવવામાં આવ્યું છે કે, લાંબા સમય સુધી હિન્દૂ વહુ તેમની સાથે રહે છે પણ તેને સ્વીકાર ત્યારે થાય છે જ્યારે તે ઘરને વારિસ આપવાની છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope