નવરાત્રીમાં મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપવો પડશે

તહેવાર અંગે ભારે મૂંઝવણ બાદ સરકારની સ્પષ્ટતા
રાજ્યમાં સરકારે કોઈ મંદિર બંધ નથી કર્યા, મંદિર બંધ કરવાનો નિર્ણય જે-તે મંદિર ટ્રસ્ટો દ્વારા લેવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મંદિરોમાં પ્રસાદ આપી શકાશે. કોરોના વાયરસના સંક્રમણને કારણે પ્રસાંદ બંધ પેકિંગમાં આપવામાં આવે તેવી રાજ્ય સરકાર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. મંદિરમાં દર્શન બંધ અંગે પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સરકારે મંદિર બંધ નથી કર્યા. મંદિર બંધ કરવાનો નિર્ણય જે-તે મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં તમામ મંદિરો દર્શન માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે નવરાત્રિમાં કોઈપણ મંદિર દર્શન માટે બંધ કર્યા નથી. ભીડ નહીં થાય તે માટે જે તે મંદિરના ટ્રસ્ટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંદિરમાં પ્રસાદ બંધ પેકિંગમાં આપવાનો રહેશે. અગાઉ રાજ્ય સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મુક્યો હતો. જેની ગાઈડલાઈનમાં નવરાત્રી દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટે જણાવવામાં આવ્યું હતું. જો કે, આજે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, નવરાત્રીમાં પ્રસાદ માટેની એસઓપીમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે. એક તરફ રાજ્ય સરકાર ૧૭મી ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, ગીર અભ્યારણ, દાંડી ગાંધી સ્મારક વગેરેને ખોલી રહી છે તો બીજી તરફ નવરાત્રિ દરમિયાન રાજ્યના કેટલાંક પ્રસિદ્ધ મંદિરો બંધ રહેશે. જેમાં પાવાગઢ ખાતે આવેલું પ્રસિદ્ધ મહાકાળી મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ ઋષિ વિશ્વામિત્રના સમયનું આ મંદિર ઇતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે. જોકે, અંબાજી મંદિર નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. પરંતુ ચાચર ચોકમાં કોઈપણ ગરબાનું આયોજન નહીં થાય તેવું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope