૨૪મી માર્ચ બાદ નોકરી ગુમાવનારાને લાભ
રાજ્ય વીમા નિગમની શાખામાં અરજી કરવાની રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૩
કોરોના લોકડાઉનને કારણે ભારતની અર્થવ્યવસ્થા માંદી પડી છે અને એક રિપોર્ટ પ્રમાણે ૧.૯ કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. અર્થતંત્રમાં પડેલા ગાબડા બદલ સરકારની ટીકાઓ પણ થઈ રહી છે. હવે મોદી સરકારે નોકરી ગુમાવનારીઓની મદદ કરવાની જાહેરાત કરી છે.જે પ્રમાણે કર્મચારી રાજ્ય વીમા નિગમમાં જે કામદારો નોંધાયેલા છે અને આમાંથી જેમણે ૨૪ માર્ચ બાદ નોકરી ગુમાવી છે તેમને મોદી સરકાર અડધો પગાર અનએમ્પોલમેન્ટ બેનિફિટ તરીકે આપશે. જેનો અર્થ એ થાય છે કે, કોરોના સંકટમાં નોકરી ગુમાવનારા ઔદ્યોગિક કામદારોને ત્રણ મહિના સુધી અડધો પગાર બેકારી ભથ્થા તરીકે મળશે. આ ફાયદો એ કામદારોને મળશે જેમની નોકરી આ વર્ષે ૨૪ માર્ચથી ૩૧ ડિસેમ્બર વચ્ચે ગઈ છે. આ પહેલા બેકારી ભથ્થા તરીકે ૨૫ ટકા સેલેરી આપવાની જોગવાઈ હતી. જે હવે વધારીને ૫૦ ટકા કરાઈ છે. નવી જોગવાઈ એક વર્ષ સુધી લાગુ રહેશે. આ સુવિધા મેળવવા માટે કામદારે કર્મચારી રાજ્ય વીમા નિગમની કોઈ પણ શાખામાં અરજી કરવાની રહેશે.ચકાસણી બાદ તેમને અડધો પગાર બેન્ક ખાતામાં આપવામાં આવશે.આ માટે આધાર નંબરની મદદ લેવાશે.આ યોજનાથી કર્મચારી રાજ્ય વીમા નિગમ પર ૬૭૧૦ કરોડ રૂપિયાનો વધારાનો બોજો આવશે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...