કોરોનાની દવા ન શોધાય ત્યાં સુધી હળવાશથી ન લોઃ મોદી

સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ખુબ જરૂરી : મોદી
બિહારમાં લોકાર્પણ કાર્યક્રમ વેળા વડાપ્રધાન મોદીનું સૂચન
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૩
કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે અને દેશમાં રોજ એક લાખ જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોનાથી સાવચેત રહેવા માટે લોકોને સંદેશો આપ્યો હતો. બિહારમાં પેટ્રોલિયમ યોજનાઓનું લોકાર્પણ કરતી વખતે પીએમ મોદીએ કોરોનાનો ઉલ્લેખ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, કોરોના આપણી વચ્ચે જ છે. જ્યાં સુધી તેની દવા શોધાય નહીં ત્યાં સુધી તેને હળવાશથી લેવાની જરુર નથી.
તેમણે લોકોને સંદેશો આપ્યો હતો કે, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવુ જરુરી છે, સાબુથી નિયમિત હાથ ધોવા જોઈએ. ગમે ત્યાં થુંકવુ જોઈએ નહી અને ચહેરા પર માસ્ક પહેરવો જરુરી છે.આ તમામ બાબતોનું પોતે પાલન કરો અને બીજાને પણ તેનુ પાલન કરવા માટે યાદ દેવડાવતા રહો.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.ભારત કોરોનાનુ એપી સેન્ટર બનવા જઈ રહ્યુ હોય તેવી સ્થિતિ છે.હાલમાં ભારતમાં કોરોનાના ૯.૫૮ લાખ એક્ટિવ કેસ છે.જ્યારે ૩૬ .૨૪ લાખ લોકો સાજા થઈ ચુક્યા છે.દેશમાં અત્યાર સુધીમાં ૭૭૦૦૦ લોકો કોરોનાથી જીવ ગુમાવી ચુક્યા છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope