તોડફોડમાં સમય ના લાગ્યો, જવાબ આપવા સમય જોઈએ? કંગનાની ઓફિસ તોડવામાં બીએમસીએ સ્ફૂર્તિ બતાવ્યા બાદ જવાબ માટે સમય માગતા કોર્ટે લાલ આંખ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૨૫
કંગના રનૌતની ઓફિસમાં થયેલી તોડફોડ મામલે બોમ્બે હાઈકોર્ટે બીએમસી પાસે જવાબ માગ્યો છે. કંગનાએ મ્સ્ઝ્ર સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે કહ્યું કે મકાન તોડી પાડવામાં જે સ્ફૂર્તિ બતાવી હતી તેના સમારકામમાં સુસ્તી શા માટે? આ કેસની સુનાવણી આજે ટાળી દેવામાં આવી છે. કંગનાએ બીએમસી સામે વળતરની માગણી કરી હતી. કંગનાના વકીલે કહ્યું છે કે તેમનું નિર્માણ ગેરકાયદેસર હતું. બીએમસીએ સમય આપ્યા વગર જ ઓફિસમાં તોડફોડ કરી દીધી છે. જેના પર કોર્ટે જવાબ માગ્યો છે, તો બીએમસીએ જવાબ આપવા માટે સમય માગ્યો છે. કોર્ટે કહ્યું કે તોડવામાં તમને સમય નથી લાગતો અને જવાબ માગવામાં આવે તો સમય જોઈએ છે? કોર્ટે ઈમારત તોડી પાડવા અંગે પણ બીએમસી સામે લાલ આંખ કરી છે. કહ્યું કે મકાન તોડી પાડવામાં સ્ફૂર્તિ બતાવી તો તેના સમારકામમાં સુસ્તી શા માટે દર્શાવવામાં આવી રહી છે. કંગનાના વકીલે કોર્ટમાં કાગળ રજૂ કર્યા છે. તેઓ આવતીકાલે પોતાનો પક્ષ રજૂ કરશે. આ મામલે સંજય રાઉત, કંગના અને બીએમસીના લોકો પોતાનો પક્ષ રજૂ કરશે. કંગનાએ આ મામલે બીએમસી પાસે ૨ કરોડ રુપિયાનું વળતર માગ્યું હતું. જ્યારે બીએમસી દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું કે કંગનાની અરજી ખોટી છે. કાયદાનો દુરુપયોગ કરવા બદલ કંગનાએ પોતે દંડ ભરવો જોઈએ.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...