વધારાની ફાજલ જાહેર કરેલી જમીન અંગે સત્તાનું વિકેન્દ્રીકરણ

શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ
જમીન સંપાદનના વળતર સંબંધી રેફરન્સ કેસોનો ઝડપી અને પારદર્શી નિકાલ : ૩ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજોની વરણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૩૦
મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે આજે વધુ એક કિસાન હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં જમીન સંપાદનના ૨૦૧૩ ના કાયદા હેઠળ સંપાદન કરવામાં આવતી જમીનનું વળતર નક્કી કરવાની જોગવાઇ કરવામાં આવેલ છે. કલમ ૨૩ હેઠળ નિયત કરવામાં આવેલ વળતરની રકમથી કોઇ ખેડૂત ખાતેદાર અથવા હિતધારકોને અસંતોષ હોય તો કલમ ૬૪ હેઠળ વધારાના વળતર માટે રેફરન્સ અરજી કરવાની જોગવાઇ છે. અગાઉ જમીન સંપાદન કાયદામાં આવી વધારાના વળતર સંબંધી અરજીઓ જિલ્લા અદાલત સમક્ષ કરવાની જોગવાઇ હતી જેનો નિકાલમાં ઘણો સમય વ્યતિત થતો હતો. આ રેફરન્સ હવે નવા કાયદા હેઠળ ઓથોરીટી સમક્ષ કરવાના થાય છે. રાજયના ખેડૂતોને રેફ. અરજીઓના સંદર્ભે દૂર દૂરથી ગાંધીનગર અથવા અમદાવાદ સુધી આવવું નહીં પડે. આ ઓથોરીટીએ ફકત વળતર સંબંધી કેસોનો જ નિકાલ કરવાનો હોવાથી આવા કેસોનો ઝડપથી નિકાલ થશે.મંત્રીશ્રી ઉમેર્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દિર્ધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની રહ્યું છે. રાજ્યના સુગ્રથિત વિકાસ માટે જમીન સંપાદનના વળતરના પ્રશ્નો સંદર્ભેની પ્રક્રિયા વધુ સરળ બને તે માટે આ નિર્ણય મહત્વનો પુરવાર સાબિત થશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા મહેસૂલી પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કરાયો છે. જેના પરીણામે અનેકવિધ મહેસૂલી સુધારા રાજ્ય સરકારે કર્યા છે જેના ખુબ જ સારા પરીણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે ત્યારે આ નિર્ણયના કારણે સંપાદન થતી ખેડૂતોના વળતર સંબંધી પ્રશ્નો સંદર્ભે ત્રણ નિવૃત્ત ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં ઝડપથી નિકાલ થશે.મહેસૂલ મંત્રીશ્રીએ જણાવ્યું કે, શહેરી જમીન (ટોચ મર્યાદા અને નિયમન) અધિનિયમ, ૧૯૭૬ અંતર્ગત રાજયના અમદાવાદ, સુરત, વડોદરા, રાજ્કોટ, જામનગર અને ભાવનગર શહેરી સંકુલોમાં ટોચ મર્યાદા કરતાં વધારે જમીન ધારણ કરતા ઇસમોએ ભરેલ ડેકલેરેશન ફોર્મ સંબંધે કલમ – ૮(૪) થી કલમ – ૧૦(૬) સુધીની કાયદાની કાર્યવાહી હાથ ધરી વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો સરકાર હસ્તક કબજો સંભાળવામાં આવતો હતો. અત્યાર સુધી જે કેસોમાં કાયદાની કલમ – ૧૦(૩) સુધીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ હોય અને વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય તેવા કેસો સાથે સંબંધીત જ્મીનોને “ના વાંધા પ્રમાણપત્ર” આપવાની / આખરી નિર્ણય કરવાની કાર્યવાહી સરકારશ્રી કક્ષાએથી કરવામાં આવતી હતી. મહેસૂલી ક્રાંતિ હેઠળ મહેસૂલ વિભાગ દ્વારા ૨૨ જેટલી સેવાઓ ઓનલાઇન કરીને વહીવટી કાર્ય પદ્ધતિમાં ઝડપ અને પારદર્શક્તા લાવવામાં આવી છે. તે સંદર્ભે “ના વાંધા પ્રમાણપત્ર” આપવાની કામગીરીમાં ઝડપ અને સરળતા માટે રાજ્ય સરકારે સત્તાનું વિકેંદ્રીકરણ કરીને કલેકટરશ્રીઓને નીચે મુજબની વધુ સત્તા આપવા માટે નિર્ણય કરેલ છે. અધિનિયમ હેઠળ જે કેસોમાં કાયદાની કલમ ૧૦(૫) સુધીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ હોય પરંતુ વધારાની ફાજલ જાહેર કરેલ જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય તેમજ કોઇ કોર્ટ લીટીગેશન થયેલ ન હોય તેવા કેસો,અધિનિયમની કલમ ૨૦ અન્વયેની ખેતી મુક્તિ અને કલમ ૨૧ અન્વયેની આવાસ યોજના અંગેના પ્રકરણોમાં જમીનનો કબજો સરકાર હસ્તક સંભાળવામાં આવ્યો ન હોય અને કોઇ કોર્ટ કેસ થયેલ ન હોય ઉપર મુજબના બન્ને કેસોમાં આખરી નિર્ણય કરવાની સત્તા કલેકટરશ્રીઓને આપવામાં આવી છે. મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની સેવા વિષયક બાબતોમાં સરળ અને ઝડપી કાર્યવાહી માટે તા.૧૭.૦૭.૨૦૨૦ થી લોકઅદાલત જેવું તંત્રની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. જે અન્વયે મહેસૂલ વિભાગના ૩૩ જિલ્લા કલેકટરશ્રીઓ કક્ષાએ, સેટલમેન્ટ કમિશ્નર અને જમીન દફતર નિયામકશ્રી, સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પશ્રી તથા નોંધણી સર નિરીક્ષકની ખાતાના વડાઓની કક્ષાએ એમ કુલ ૩૬ ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરાઈ છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope