પૂછપરછ માટે મને સમન્સ તો કરનને કેમ નહીં : કંગના

સુશાંત સિંઘ રાજપૂત આત્મહત્યાનો મામલો
કંગનાની ટીમે સવાલ કર્યા છે કે, કરન જોહરની જગ્યાએ તેનાં મેનેજરને કેમ સમન્સ મોેકલીને બોલાવવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત, તા.૨૭
મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખનું કહેવું છે કે, સુશાંત સિંઘ રાજપૂતની મોત મામલે કરન જોહરનાં મેનેજર સાથે પૂછપરછ થશે. કંગના રનૌતની ટીમે આ મામલે મુંબઇ પોલીસનો ઉથડો લઇ લીધો છે અને બેશર્મ ભાઇ ભત્રીજાવાદનો આરોપ લાગ્યો છે. સીરીઝમાં ટિ્વટ્સમાં કંગનાની ટીમે સવાલ કર્યો કે, કરન જોહરની જગ્યાએ તેનાં મેનેજરને સમન્સ જારી કરીને બોલાવવામાં કેમ આવ્યો? કંગના ટીમ આરોપ લગાવ્યો કે કરન જોહરને તપાસથી દૂર કેમ રાખવામાં આવ્યો છે? કારણ કે તે મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરેનાં દીકરા આદિત્ય ઠાકરેનાં સૌથી સારા મિત્ર’ છે. કંગનાની ટીમે એમ પણ લખ્યુ છે કે, મુંબઇ પોલીસ એસએસઆરની હત્યાની તપાસનો મજાક બનાવવાનું બંધ કરે. કંગનાની ટીમે મુંબઇ પોલીસ પર સમન્સ જારી કરવામાં પણ બેશર્મીથી ભાઇ ભત્રીજાવાદ કરવાનો આરોપ લગાવ્યો હતો. ટીમે ટિ્વટમાં લખ્યુ છે કે, ’કંગનાને પૂછપરછ માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે. ન કે તેનાં મેનેજરને… જ્યારે બીજી તરફ કરન જોહરની જગ્યાએ તેનાં મેનેજરને સમન્સ જારી કરવામાં આવ્યાં છે કારણ કે તે સીએમ ઉદ્ધવ ઠાકરેનાં દીકરાનો સારો મિત્ર છે. એટલે કે સાહેબને કોઇ પરેશાની ન થાય. મહારાષ્ટ્રનાં ગૃહમંત્રીએ રવિવારે જણાવ્યું કે, કાલે મહેશ ભટ્ટને પૂછપરછ માટે બોલાવવામાં આવશે જે બાદ અમે કરન જોહરનાં મેનેજરને બોલાવીશું. જરૂર પડી તો સુશાંત સિંઘ રાજપૂત મામલે કરન જોહરની પણ પૂછપરછ થઇ શકે છે. ’ તેમણે પહેલાં જ કહ્યું હતું કે, પોલીસ તે આરોપો ધ્યાનમાં લેશે જેમાં સુશાંત સિંઘ રાજપૂતને ફિલ્મ ઉદ્યોગમાં બ્લેકલિસ્ટ કરી દેવામાં આવ્યાં હતાં. સુશાંતની ફિલ્મ જાણી જોઇને નેટફ્લિક્સ પર ડંપ કરવામાં આવી- હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ કરન જોહર પર સુશાંતને ફ્લોપ સ્ટાર જાહેર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે, કરને નેટફ્લિક્સ પર સુશાંતની ફિલ્મ ’ડ્રાઇવ’ જાણી જોઇને ડંપ કરી હતી. સુશાંતને ફક્ત એમ દર્શાવવા માટે કે તેની ફિલ્મનો કોઇ ખરીદારમળી રહ્યો નથી.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope