૩૦ જૂન બાદ છ્‌સ્થી કેશ ઉપાડવાના નિયમો બદલાશે

છ્‌સ્ ટ્રાન્જેક્શન લિમિટ સાથે જોડાયેલો નિયમ

કોઈપણ બેંકના છ્‌સ્થી કેશ ઉપાડી શકાશે જેમાં ટ્રાન્જેક્શન ચાર્જ નહીં આપવો પડે એ નિયમ લોકડાઉન સુધી મર્યાદિત હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
કોરોના વાયરસને ધ્યાને લઈ દેશભરમાં લોકડાઉનની લાગુ થયાના તરત બાદ નાણા મંત્રી નિર્મલા સીતારમણે ૨૪ માર્ચે જણાવ્યું હતું કે, એટીએમ ચાર્જિસને ૩ મહિના માટે હટાવી દેવામાં આવી રહ્યા છે. નાણા મંત્રીની જાહેરાત બાદ એટીએમ કાર્ડહોલ્ડર્સને આ સુવિધા મળી કે તેઓ કોઈપણ બેન્કના એટીએમથી કેશ ઉપાડી શકશે. તે મુજબ તેમને વધારાના ટ્રાન્જેક્શન માટે કોઈ ચાર્જ નહીં આપવો પડે. આ છૂટ એપ્રિલ, મે અને જૂન મહિના સુધી હતી. આ છૂટની ડેડલાઇન હવે ખતમ થઈ રહી છે. નાણા મંત્રાલય કે બેન્કો તરફથી તેને લંબાવવા માટે કોઈ જાણકારી નથી આપવામાં આવી. આ જાહેરાતની સાથે નાણા મંત્રીએ બેન્ક સેવિંગસ એકાઉન્ટમાંં સરેરાશ ન્યૂનતમ બેલેન્સ રાખવાની મર્યાદાને પણ ત્રણ મહિના માટે હટાવવાની જાહેરાત કરી હતી. જોકે, ભારતીય સ્ટેટ બેન્કે ૧૧ માર્ચે જ પોતાના ગ્રાહકો માટે ન્યૂનતમ બેલેન્સ રાખવાની અનિવાર્યતાને ખતમ કરી દીધી હતી. નાણા મંત્રીએ આગળ એવી પણ જાહેરાત કરી હતી કે, કોઈપણ રીતે ડિજિટલ ટ્રેડ ટ્રાન્જેક્શનને પણ હટાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન નાણા રાજ્યમંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી કેશ ઉપાડવા માટે ઓછામાં ઓછી સંખ્યામાં લોકો બેન્કની બ્રાન્ચોમાં જાય. દેશની સૌથી મોટી બેન્કે ૧૧ માર્ચે એક નિવેદન જાહેર કર્યું કે, એસબીઆઈના તમામ ૪૪.૫૧ કરોડ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટમાં સરેરાશ ન્યૂનતમ બેલેન્સ નહીં રાખવા પર કોઈ ચાર્જ નહીં લેવામાં આવે. આ પહેલા મેટ્રો શહેરોમાં એસબીઆઈ સેવિંગ્સ એકાઉન્ટમાં ન્યૂનતમ ૩,૦૦૦ રૂપિયા અનિવાર્ય હતા. આવી જ રીતે અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે આ રકમ ક્રમશઃ ૨,૦૦૦ રૂપિયા અને ૧,૦૦૦ રૂપિયા હતી. મિનિમમ બેલેન્સ નહીં રાખવા પર એસબીઆઈ

ગ્રાહકો પાસેથી ૫-૧૫ રૂપિયા તથા ટેક્સી વસૂલતી હતી. સામાન્ય રીતે કોઈપણ બેન્ક એક મહિનામાં પાંચ વાર ફ્રીમાં લેવડ-દેવડની સુવિધા આપે છે. અન્ય બેન્કોના એટીએમ માટે આ મર્યાદા ત્રણ વારની જ હોય છે. આ મર્યાદાથી વધુ વાર એટીએમ ટ્રાન્જેક્શન કરવા માટે બેન્ક ગ્રાહકો પાસેથી ૮થી ૨૦ રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ વસૂલે છે. આ ચાર્જ એ વાત પર આધાર રાખે છે કે, ગ્રાહકે કેટલી રકમની લેવડ-દેવડ કરી છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope