ફરી એકવાર વિદ્યાર્થીનીઓએ બાજી મારી
રાજ્યમાં ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી કુલ ૨.૮૩ લાખ વિદ્યાર્થીઓ જ ઉત્તીર્ણ થયા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ , તા. ૧૫
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી)ના ધો-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહી અને સંસ્કૃત માધ્યમનું પરિણામ આજે વહેલી સવારે ૫.૦૦ વાગે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ ુુુ. ખ્તજીહ્વ.ર્િખ્ત પરથી વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પરિણામની કોપી ડાઉનલોડ કરી શકશે. અમદાવાદમાંથી અંદાજે ૬૨,૦૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપવા માટે કુલ ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું. જણાવી દઈએ કે, ૩.૭૧ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨.૮૩ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ ૧૨ આટ્ર્સ અને કોમર્સની સ્ટ્રીમની પરીક્ષા ૫ માર્ચથી ૧૨ માર્ચ વચ્ચે લેવાણી હતી, પરંતુ કોરોના વાયરસ મહામારીને પગલે પરિણામ જાહેર થવામાં મોડું થયું હતું. બધા વિદ્યાર્થીઓએ પાસ થવા માટે ૩૩ ટકા લાવવા જરૂરી છે અને બધા વિષયમાં ઓછામાં ઓછા ૩૩ માર્ક હોવા જરૂરી છે. આ વર્ષે ૭૬.૨૯ ટકા પરિણામ આવ્યું છે જ્યારે ગત વર્ષે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું ૭૩.૨૭ ટકા પરિણામ જાહેર થયું હતું. ગત વર્ષની સરખામણી કરતા પરિણામ વધુ સારું આવ્યું છે. તેમજ જે છેલ્લા ૮ વર્ષનું સૌથું ઊંચુ પરિણામ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું ૮૬.૬૭ ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું ૫૮.૨૬ ટકા આવ્યું છે. ૨૬૯ શાળાઓની પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૨.૨૦ ટકા છે જ્યારે કુમાર વિધાથીઓ પરિણામ ૭૦.૯૭ ટકા છે. સુરત શહેરમાં એ-૧ ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં ૧૮૬ જ્યારે રાજકોટમાં ૧૦૮ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર ૪૦ વિદ્યાર્થીઓ જ એ-૧ ગ્રેડમાં પાસ થયા છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં આ વર્ષે વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં ૮૨.૨૦ ટકા વિદ્યાર્થિનીઓ અને ૭૦.૯૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા ૩ ટકા પરિણામ વધુ આવ્યું છે. ૨૦૧૯માં ૭૩.૨૭% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે ૭૬.૨૯% પરિણામ જાહેર થયું છે.