તાજેતરમાં પડેલા ભારે વરસાદથી ગુજરાત ભરમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. જેનાં પગલે બનાસકાંઠા જીલ્લામાં પણ વધારે અસર જાવા મળી હતી જેનાં પગલે રાજયનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સતત પાંચ દિવસ પુરનાં અસરગ્રસ્તોની સાથે રહી તેમને વધુમાં વધુ સહાય થાય અને બનાસકાંઠો જીલ્લો ફરી બેઠુ થાય તેનાં પ્રયત્નો મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં દ્વારા કરાયા હતા અને પાંચ દિવસ પોતાની સમગ્ર કાર્યાલય બનાસકાંઠા ને બનાવી હતી.
આજે વિજય રૂપાણી પોતાના પાંચ દિવસ બનાસકાંઠાના પૂર્ણ કરી પરત ગાંધીનગર ફરતાં પહેલા આજે વહેલી સવારે પોતાના પરીવાર સાથે યાત્રાધામ અંબાજી ખાતેમાં અંબા ને નત્તમસ્તક થવાં પહોંચ્યા હતા. જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું અને નીજ મંદિરમાં માતાજીની પૂજા અર્ચના કરી કપુર આરતી ઉતારી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીની પ્રતીમા સ્મૃર્તી ચિન્હ સ્વરૂપે ભેટ અપાઈ હતી અને ત્યાર બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ તેમનાં એક મિત્ર હેતલરાજગુરુ સાથે પરીવાર સહીત માતાજીની ધજા ચઢાવી હતી અને ત્યાર બાદ પોતે ગાંધીનગર જવા માટે રવાના થયા હતા અને તેમનાં ધર્મપત્ની તથા પરીવારજનો ગબ્બરનાં દર્શનાર્થે જવા નિકળ્યા હતાં.
અંબાજીની આ મુલાકાત દરમિયાન તેમને માતાજીને પ્રાર્થના કરી હતી કે રાજયભરમાં આવો પ્રકોપ ન થાય અને બનાસકાંઠા જીલ્લો સતવરે બેઠુ થાય જ્યારે રાહુલ ગાંધી આજે બનાસકાંઠા મુલાકાતે છે ત્યારે વિજય રૂપાણી એ તે બાબતે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી બનાસકાંઠાની અસરગ્રસ્ત પ્રજા વચ્ચે રાજકારણ ન કરે તથા આગામી રાજય સભાની ચૂંટણીમાં ત્રણે સભ્યો ભાજપાનાં વિજય બને તેવી આશા વ્યક્ત કરી હતી અને બેગલુરુ ગયેલાં ગુજરાતનાં ધારાસભ્યો બાબતે જણાવ્યું હતું કે, સોનીયા ગાંધી એ પુત્ર પ્રેમમાં કોંગ્રેસ ડુબાડી છે. જ્યારે અહેમદ પટેલ પોતાના વિજય ને લઈ ગુજરાતનાં કોંગ્રેસી ધારાસભ્યો ને ડુબાડશે.