આવકવેરા વિભાગે પેન નંબરને આધારકાર્ડ સાથે જાડવા માટે એક નવી ઈ-સુવિધા શરૂ કરી દીધી છે. સરકારે આવકવેરા રિટર્ન દાખલ કરવા માટે પેન નંબરની સાથે સાથે આધારકાર્ડની સંખ્યાને ફરજિયાત કરવાનો નિર્ણય પહેલાથી જ કરી દીધો છે. આવકવેરા વિભાગે ઈ-ફાઈલીંગ વેબસાઈટ ઈન્કમટેક્સ ઈન્ડિયા ઈફાઈલીંગ ડોટ જીઓવી ડોટ ઈન પર એક નવા લીંકની શરૂઆત કરી છે. આનાથી લોકોને પોતાના બંને ખાસ ઓળખપત્રોને જાડી દેવામાં સરળતા રહેશે.
આ લીંક ઉપર પહોંચી ગયા બાદ કોઈ વ્યક્તિને પોતાની પેન સંખ્યા અને આધાર સંખ્યા આપી દીધા બાદ આધારકાર્ડમાં નામ નોંધાવવાની જરૂર રહેશે. આની સાથે જ આ તમામ વચ્ચે જાડાણ થઈ જશે. જા કોઈ ગેરરીતિ થાય છે તો યુઆઈડીએઆઈ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડની જરૂર રહેશે જે આધાર ઉપર નોંધવામાં આવેલા મોબાઈલ નંબર ઉપર મોકલવામાં આવશે. આ સુવિધાનો પ્રયોગ કરવા માટે આવકવેરા વિભાગની ઈ ફાઈલીંગ વેબસાઈટ ઉપર નોંધણી કરાવવાની જરૂર રહેશે. તેનો કોઈપણ ઉપયોગ કરી શકે છે. કો
ઈપણ પ્રકારની નિષ્ફળતાથી બચવા માટે બંને ઓળખપત્રો પર ઉલ્લેખ કરવામાં આવેલી જન્મ તારીખ એકસમાન રહે તે ખૂબ જરૂરી છે. સરકારે નાણાકીય અધિનિયમ ૨૦૧૭ હેઠળ પેન અને આધારને પારસ્પરીક રીતે જાડી દેવાની બાબતને ફરજિયા બનાવી દીધી છે. પહેલી જુલાઈ ૨૦૧૭થી આને અમલી કરવાનો નિર્ણય કરાયો છે.પેન નંબર સાથે આધારકાર્ડને જાડવાને લઈને આવકવેરા વિભાગ દ્વારા નવી સુવિધા શરૂ કરવામાં આવ્યા બાદથી આની હિલચાલ શરૂ થઈ ચુકી છે. આવકવેરા વિભાગ દ્વારા આગામી દિવસોમાં આને લઈને વધુ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે.