અમદાવાદમાં ગાજવીજ સાથે ઝાપટા પડવા માટેની આગાહી

અમદાવાદ માં આજે વાદળછાયુ વાતાવરણ હોવા છતાં બપોરના ગાળામાં લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કરવો પડ્યો હતો. બીજી બાજુ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. નિચલી સપાટી ઉપર દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાં પવનો ફુંકાઈ રહ્યા છે. તાપમાનમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભાવનગરમાં ૪૨.૧ ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ અમદાવાદમાં પારો ૪૧.૪ અને ગાંધીનગરમાં પારો ૪૧ ઉપર રહ્યો હતો. વીવીનગરમાં ૪૦.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું. ગરમીમાં તીવ્ર વધારો હવે થાય તેવા કોઇ સંકેત દેખાઈ રહ્યા નથી. કારણ કે મોનસુનની એન્ટ્રી થવાની હવે રાહ જોવામાં આવી રહી છે. કેરળમાં મોનસુની વરસાદની શરૃઆત થઇ ચુકી છે અને આની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી ચુકી છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં પણ વરસાદની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. આંશિક વાદળછાયુ વાતાવરણ અમદાવાદમાં જોવા મળે તેવી શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈમાં પણ મોનસુન પહેલા વરસાદી ઝાપટા પડી ચુક્યા છે. ગુજરાતમાં મોનસુન પહેલાના મોનસુની ઝાપટા હજુ સુધી પડ્યા નથી. રાજ્ય માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ ગુજરાત, દમણ, દાદરાનગર હવેલીમાં હળવા વરસાદી ગાજવીજ સાથે છાંટા પડી શકે છે.

મોનસુનની એન્ટ્રી કોઇપણ સમયે થઇ શકે છે. કારણ કે, કેરળ અને દેશના અન્ય ભાગોમાં મોનસુનની પ્રગતિ ઝડપથી થઇ રહી છે. જેના લીધે તાપમાન વધે તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. સવારમાં વરસાદી વાદળા જોવા મળી રહ્યા છે. લોકોની ઉત્સુકતાનો હજુ અંત આવ્યો નથી. ગરમીથી ચોક્કસપણે રાહત થઇ છે. કારણ કે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઇ ચુક્યો છે. થોડાક દિવસ પહેલા જ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૮થી ઉપર પહોંચ્યો હતો અને ગરમીના રેકોર્ડ સર્જાયા હતા. છેલ્લા તમામ વર્ષોની સૌથી વધારે ગરમીનો અનુભવ હાલના દિવસોમાં લોકોએ કર્યો હતો પરંતુ હવે રાહત થઇ ચુકી છે. અમદાવાદમાં હજુ પણ લોકોને રાહત આપવા માટે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને તંત્ર દ્વારા જુદી જુદી જગ્યાઓએ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના લીધે લોકો રાહત મેળવી રહ્યા છે. આને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. અમદાવાદ ઉપરાંત પાટનગર ગાંધીનગરમાં પણ પારો હજુ ૪૦થી ઉપર રહ્યો છે જેથી બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગાંધીનગરમાં આજે પારો ૪૧ થયો હતો. રવિવાર હોવાના કારણે લોકો ઘરથી બહાર નિકળ્યા ન હતા અને ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope