ઝારખંડ ઃ માર્ગ અકસ્માત સર્જાતા ૧૨ લોકોના મોત

ઝારખંડમાં શ્રદ્ધાળુઓમાં ટ્રેલર-ટ્રક ઘુસી જતાં ૧૨ શ્રદ્ધાળુઓના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ બનાવથી શ્રદ્ધાળુઓમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. સરસ્વતી માતાના વિસર્જન સરઘસની અંદર ટ્રેલર-ટ્રક ઘુસી ગયા હોવાની ઘટના બની છે. પોલીસ અધિકારીઓએ માહિતી આપતા કહ્યું છે કે, ડ્રાઇવરે કાબૂ ગુમાવતા ટ્રેલર-ટ્રક શ્રદ્ધાળુઓના કાફલામાં ઘુસી ગઈ હતી. આ બનાવમાં અન્ય ૧૫ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. કેટલાક શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાગોદર હોસ્પિટલમાં આઠ લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી રઘુવર દાસે બનાવ અંગે દૂખવ્યક્ત કરીને એક એક લાખ રૃપિયાની આર્થિક સહાયતાની જાહેરાત કરી છે. રાહત કામગીરીમાં મદદરુપ થવા માટેનો આદેશ પણ કરવામાં આવ્યો છે. સ્થાનિક ધારાસભ્યો પણ તપાસ અર્થે પહોંચી ગયા છે. શ્રદ્ધાળુઓ સરસ્વતી પૂજા માટે એકત્રિત થયા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope