ભારતે આજે સ્વદેશીરીતે વિકસિત પરમાણુ સક્ષમ પૃથ્વી-૨ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભૂમિથી ભૂમિમાં પ્રહાર કરવામાં સક્ષમ આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં સંરક્ષણ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલી આ મિસાઇલ ૩૫૦ કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. બેલાસોર નજીક ચંદીપુર ખાતે ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેંજ (આઈટીઆર)ના લોંચ કોમ્પ્લેક્ષ-૩થી મોબાઇલ લોન્ચર મારફતે આ મિસાઇલનું સફળ પરીક્ષણ બપોરે ૧૦.૦૦ વાગે કરાયું હતું. સ્ટેટેજીક ફોર્સ કમાન્ડ દ્વારા મિસાઇલનો ટ્રાયલ ડેટા કરવામાં આવ્યા બાદ તેના પરિણામ હકારાત્મક રહ્યા છે. સંરક્ષણ સુત્રોએ કહ્યું છે કે, આકિલોગ્રામથી ૧૦૦૦ કિલોગ્રામ વોરહેડને લઇને ત્રાટકવાની ક્ષમતા ધરાવે છે. આજે સવારે ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેંજના લોંચ કોમ્પ્લેક્ષ-૩થી મોબાઇલ લોંચર મારફતે તેનું પરીક્ષણ કરાયું હતું. મિસાઇલ ટેકનોલોજી ખુબ જ અતિઆધુનિક છે. આમા ઇલેક્ટ્રો ઓપ્ટિકલ પેકિંગ સિસ્ટમની વ્યવસ્થા છે. પૃથ્વી-૨ મિસાઇલ ૨૦૦૩માં એસએફસીમાં સામેલ કરવામાં આવી હતી. ભારતના પ્રતિષ્ઠાજનક ઇન્ટેગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ડીઆરડીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલી આ પ્રથમ મિસાઇલ છે. તેની ટેકનોલોજી હવે અસરકારક પુરવાર થઇ છે. આજના લોંચ કાર્યક્રમને લઇને જણાવવામાં આવ્યું છે કે, એસએફસીમાં નિયમિત ટ્રેનિંગકાર્યક્રમ તરીકે આને ગણવામાં આવે છે. પૃથ્વી-૨ મિસાઇલનું છેલ્લે ૧૪મી નવેમ્બર ૨૦૧૪ના દિવસે પરીક્ષણ કરાયું હતું. આ પહેલા પરીક્ષણ સાતમી જાન્યુઆરી ૨૦૧૪ના દિવસે અને ત્યારબાદ ૨૮મી માર્ચ ૨૦૧૪ના દિવસે આ મિસાઇલનું પરીક્ષણ કરાયું હતું. મિસાઇલના પરીક્ષણ બાદ વૈજ્ઞાનિક અને સંરક્ષણ નિષ્ણાતો ખુશખુશાલ દેખાયા હતા. સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલી આ બેલાસ્ટિક મિસાલિ ખુબ જ શક્તિશાળી છે. ડિરેક્ટર કેવી પ્રસાદે કહ્યું હતું કે, પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું છે.