અન્ય ૧૦ની હાલત ગંભીર બની
(સંપૂર્ણ સમાચાર સેવા) ઓરંગાબાદ, તા.૧૦
બિહારના ઓરંગાબાદ નજીક મજુરોથી ખીચોખીચ ભરેલી ટ્રેક પલટી ખાઇ જતા ઓછામાં ઓછા ૨૫ મજુરોના મોત થયા છે અને અન્ય ૧૦ મજુરો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાક મજુરોની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેથી મોતનો આંકડો વધવાની દહેશત દેખાઇ રહી છે. પોલીસની પ્રાપ્ત અહેવાલ મુજબ બિહારના ઓરંગાબાદ જિલ્લામા મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના તીતાઈબિગહા ગામમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૧૩૯ ઉપર મજૂરોને લઈને જતી ટ્રક સવારે પલટી ગઈ હતી. ટ્રક પલટીને રોડની બાજુમા આવેલા ખાડામા પડતા ટ્રકમા બેસેલા ૨૫ લોકોની મો થઇ ગયા હતા. પોલિસ અધીક્ષક (એસપી) દલજીત સિંહના જણાવ્યા પ્રમાણે તિતાઈબિગહા ગામની પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવી દેતા આ બનાવ બન્યો હતો. આવી હતી.