(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા. ૧૨
નરેન્દ્ર મોદીએ ગામડાની બધી જ ર્આિથક શકિતને સંપૂટ કરીને ગુજરાતના ગામડાને સુખી અને સમાૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. એક મહિનાના કાૃષિ મહોત્સવના અભિયાનને આગળ ધપાવતાં મુખ્યમંત્રીએ ગુજરાતને કાૃષિક્રાંતિ નેતાૃત્વ અપાવવા આહ્વાન કર્યું હતું. અખાત્રીજથી ગુજરાતમાં શરૂ થયેલા કાૃષિ મહોત્સવના ભાગરૂપે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓનો વિશાળ કાૃષિમેળો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપાઢા ગામે મુખ્યમંત્રીએ ખુલ્લો મુકયો હતો. વનવાસી કિસાન શકિતના સામર્થ્યની પ્રતિતીરૂપે આદિવાસીઓના કાૃષિ અને પશુપાલન આધારિત સમાૃદ્ધિના સપના સાકાર કરવા તાલુકા કાૃષિ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ઊનાળામાં ખેડૂતોની અને ખેતીની ચતા કરનારી આ સરકારની પ્રતિબદ્ધતાની રૂપરેખા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કાૃષિ મહોત્સવની સફળતાને ગુજરાતને ભારતમાં કાૃષિક્રાંતિના નેતાૃત્વનું ગૌરવ અપાવ્યું છે. ખેડૂતની અનેકવિધ પ્રકારની મૂંઝવણો અને મુશ્કેલીઓનો ઊકેલ આ કાૃષિ મહોત્સવના અભિયાનથી ગુજરાત સરકાર લાવી શકી છે. ચાર કાૃષિ યુનિર્વિસટીઓના ૭૦૦ જેટલા કાૃષિ વૈજ્ઞાનિકો અને એક લાખ જેટલા સરકારી કર્મયોગીઓ ખેતરો ખૂંદી રહ્યા છે. તેના પરિણામે સાત-સાત વર્ષથી ગુજરાતના કિસાનોએ ખેતીનું ઊત્પાદન અગાઊ રૂ।. ૧૪,૦૦૦ કરોડની કાૃષિની આવક હરણફાળ ભરીને રૂ।. ૫૯,૦૦૦ કરોડ ઊપર પહાચી છે અને આ વર્ષે તો રૂ।. ૭૦,૦૦૦ કરોડનો ખેત ઊત્પાદનનો વિક્રમ સર્જાશે.