(સંપૂર્ણ સમાચાર સેવા)
લંડન, તા.૧૨
તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે બાળકના જન્મ બાદ થોડાક મહિનાઓ સુધી નવજાત શિશુને સ્તનપાન કરાવનાર મહિલાઓના બાળકો બાળપણમાં વધુ સારુ વર્તન કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે નવજાત શિશુની વર્તનમાં બોટલથી દૂધ પીનાર બાળકોનું વર્તન પ્રમાણમાં ઓછુ સારુ રહે છે. આની સરખામણીમાં નવજાત શિશુના ગાળામાં માતાનું દૂધ પીનાર બાળકોનું વર્તન વધારે સારુ રહે છે. આશરે ૧૦૦૦૦ માતાઓ અને તેમના બાળકોને આવરીલઇને કરવામાં આવેલા નવા અભ્યાસમાં આ મુજબની બાબત સપાટી પર આવી છે. આમાં જાણવા મળ્યુ છે કે નવજાત શિશુના ગાળા દરમિયાન ઓછામાં ઓછા ચાર મહિનાઓ સુધી સ્તનપાન કરાવનાર મહિલાઓના બાળકો બાળપણમાં પ્રમાણમાં વધુ સારુ વર્તન કરે છે. આની સરખામણીમાં બોટલથી દૂધ પીનાર બાળકોનું વર્તન અયોગ્ય રહે છે. એક તાૃત્યાંશ જેટલા બાળકોનું વર્તન પાંચ વર્ષની વય સુધી વધુ સારુ રહ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. દૂધની બોટલની ફોરમ્યુલાના આધાર પર ઊછરેલા બાળકોમાં હાઇપર એકિટવિટી, નારાજગીના સંકેત વધુ જોવા મળ્યા છે. આ ઊપરાંત ચોરીના બનાવોમાં પણ આ પ્રકારના બાળકો નાની વયમાં સામેલ થઇ જાય છે. ઓકસફોર્ડ યુનિર્વિસટીના મારિયા કિવગ્લીએ આ સંશોધનનું નેતાૃત્વ કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે પરિણામ એકદમ નક્કર નથી પરંતુ તેના તારણો ચોક્કસપણે પ્રોત્સાહનજનક છે. વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે માતાના દૂધમાં રહેલા ફેટીએસિડ દ્વારા પણ કેટલીક બાબતો સાબિત થાય છે. સ્તનના દૂધમાં રહેલા તત્વો બાળકોના વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. માતા અને બાળક વચ્ચે સંબધોમાં પણ તેની ભૂમિકા રહે છે. જેથી તે શિખવાનું વર્તન ઝડપથી મેળવે છે.
બિ્રટનમાં તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસનું તારણ બોટલના દૂધથી ઊછરેલા શિશુનું વર્તન અયોગ્ય રહે છે