‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ નો દિગાંગના સૂર્યવંશી ભાગ નહીં બને

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં ખૂબ જલ્દી લીપ આવવાનો છે અને તેવી પણ ચર્ચા છે કે ઘણા નવા એક્ટર્સ શોમાં એન્ટ્રી કરશે. મોહસિન ખાન અને શિવાંગી જાેશી લીપ બાદ શોનો ભાગ નહીં ને તેવી પણ ઘણા સમયથી ચર્ચા છે. થોડા દિવસ પહેલા, તેવા રિપોર્ટ્‌સ હતા કે દિગાંગના સૂર્યવંશી શો જાેઈન કરવાની છે. જ્યારે એક્ટ્રેસનો સંપર્ક કર્યો ત્યારે તેને તરત જ ન્યૂઝને નકારી દીધા હતા. મને ઘણા ટીવી રોલ ઓફર થઈ રહી છી, પરંતુ અત્યારે મેં મારું સંપૂર્ણ ધ્યાન ફિલ્મો તરફ ફેરવી લીધું છે. તેથી હું દૈનિક ધારાવાહિક સીરિયલમાં જઈ રહી છું તેવા સમાચાર ખોટા છે. મારી દરેક ડેટ બ્લોક છે. હું બેક ટુ બેક ચાર અલગ-અલગ ફિલ્મો અને ઓટીટી પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છું. મને ડિજિટલ પ્લેટફોર્મ એક્સપ્લોર કરીને ખુશ છું. દિગાંગનાએ જ્યારે તે સાત વર્ષની હતી ત્યારે ટેલિવિઝન શો ક્યા હાદસા ક્યા હકીકત’માં કામ કરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં શો એક વીર કી અરદાસ વીરામાં તેના પાત્રને લઈને પોપ્યુલર થઈ હતી. બાદમાં ૨૦૧૮માં એક્ટ્રેસે ફ્રાઈડે અને જલેબી જેવી ફિલ્મોથી બોલિવુડમાં શરૂઆત કરી હતી. ટીવી ઈન્ડસ્ટ્રીને અલવિદા કેમ કર્યું તેમ પૂછતાં તેણે જણાવ્યું ‘ટેલિવિઝનમાં કામ ન કરવું તે સભાન ર્નિણય છે. કારણ કે, હું દૈનિક શો સાથેના કમિટમેન્ટ પાળી શકતી નથી. સીરિયલોમાં તમારે નિયમિત જવું પડે છે. મેં જ્યારે બિગ બોસ કર્યું ત્યારે મારી ઉંમર ૧૮ વર્ષ હતી. તે બાદ હું નવું કરવા માગતી હતી અને જાણવા માગતી હતી કે ફિલ્મો મારા માટે કેવી રહેશે. મને લાગે છે કે ખૂબ નાની ઉંમરમાં મેં મારા જીવનનો ઘણો બધો ભાગ ટેલિવિઝનને આપી દીધો. મને હજી પણ ટીવી ગમે છે અને જાે ટેલિવિઝન ન હોત તો આજે હું અહીંયા પહોંચી ન હોત’.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope