ભારત અગ્નિ-૫ મિસાઈલનો આજે ઓપન ટેસ્ટ કરશે

ભારત પોતાની સૌથી ઘાતક અગ્નિ-૫ મિસાઈલનો ૨૩ સપ્ટેમ્બર, ગુરૂવારે ઓપન ટેસ્ટ કરવા જઈ રહ્યુ છે. એ પછી આ મિસાઈલને સેનામાં સામેલ કરી દેવામાં આવશે. આ મિસાઈલ સેનામાં સામેલ થશે તે બાદ ભારત પણ એવા દેશોની ક્લબમાં સામેલ થઈ જશે જેની પાસે ન્યુક્લિયર હથિયારોથી સજ્જ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છે. ભારતના ડીઆરડીઓ દ્વારા તેને ડેવપલ કરવામાં આવ્યુ છે. ૨૦૦૮માં તેને વિકસિત કરવાનુ શરૂ કરવામાં આવ્યુ હતુ. ૨૦૧૨માં તેનો સોલિડ ફ્યુલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એ પછી ૨૦૧૩થી લઈને ૨૦૧૮ સુધી તેના અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરાયા છે. હવે ૨૩ સપ્ટેમ્બરે ભારત પહેલી વખત તેનો ઓપન ટેસ્ટ કરવા માટે જઈ રહ્યુ છે. અગ્નિ-૫ દોઢ ટન સુધીના ન્યુક્લિયર વેપન્સનુ વહન કરી શકે છે.તે અવાજ કરતા ૨૪ ગણી ઝડપે ઉડનારૂ મિસાઈલ છે અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી ટ્રાન્સપોર્ટ કરી શકાય છે. તેની રેન્જ ૫૦૦૦ કિલોમીટરની છે. તે એક સાથે ઘણા હથિયારો લઈ જવા માટે પણ સક્ષમ છે. ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ તેનો છેલ્લો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ મિસાઈલના સાત ટેસ્ટ પૈકી તમામ સફળ રહ્યા છે. આમ તો અગ્નિ-૫ને ૨૦૨૦માં જ ઓપન ટેસ્ટ કરીને સેનામાં સામેલ કરવાનુ હતુ પણ કોરોનાના કારણે તેના પરિક્ષણમાં મોડુ થયુ છે. આ મિસાઈલના પગલે ચીનના પેટમાં તેલ રેડાયુ છે. કારણકે એક વખત અગ્નિ-૫ મિસાઈલ સેનામાં સામેલ થશે તે પછી ચીનના મહત્વના શહેરો પણ તેની રેન્જમાં આવી જશે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope