જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી એક વ્યક્તિનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને આ મૃતદેહ એક વર્ષ પહેલા લાપતા થયેલા ટેરિટોરિયલ આર્મીના જવાનનો છે. આ જવાનનુ આતંકીઓએ ગયા વર્ષે અપહરણ કર્યુ હતુ. પોલીસનુ કહેવુ છે કે, કુલગામ જિલ્લામાંથી મળી આવેલો મૃતદેહ શાકિર મંજૂર વાગેનો હોઈ શકે છે. ગયા વર્ષે મંજૂર વાગેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. બકરી ઈદ નિમિત્તે ઘરે આવેલા આ જવાનને આંતકીઓએ ઉઠાવી લીધો હતો અને તેની કાર પણ ફૂંકી મારી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતુ. જાેકે એ પછી પણ તેનો પતો લાગ્યો નહોતો. હવે એક વર્ષ પછી તેનો મૃતદેહ મળી આવ્યો છે અને આ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી છે. લાપતા જવાન વાગેના પરિવારજનોનુ કહેવુ છે કે ,અમે મૃતદેહની ઓળખ કરી છે અને આ મૃતદેહ શાકીર મંજૂર વાગેનો જ છે.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...