પીએમ કેર ફંડના ૫૦૦૦૦ કરોડ ક્યાં ગયા? : કોંગ્રેસ

પીએમ કેર ફંડના મુદ્દાએ ફરી એક વખત રાજકીય મોરચે વંટોળ સર્જયો છે. કોંગ્રેસે આ મુદ્દે ફરી આરોપ લગાવીને સવાલ કર્યો છે કે, પીએમ કેર ફંડમાં આવેલા ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ કરોડ રૂપિયા ક્યાં ગયા? કોંગ્રેસના પ્રવક્તા અને આગેવાન સુપ્રિયા શ્રીનેતને પૂછ્યુ હતુ કે, પીએમ કેર ફંડની રકમનુ શું થઈ રહ્યુ છે તેનો જવાબ સરાકર આપે. તાજેતરમાં જ વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, પીએમ કેર ફંડ ભારત સરકારનુ ફંડ નથી એટલે રાઈટ ટૂ ઈન્ફર્મેશન એકટ હેઠળ તેનો જવાબ આપી શકાય તેમ નથી. કોર્ટમાં કાર્યાલય દ્વારા જવાબ અપાયો હતો કે, રાહત ફંડ ભારત સરકારને આધીન નથી અને તે ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલુ છે. આ મામલો એટલે ચર્ચામાં આવ્યો છે કે, પીએમ કેર ફંડને લઈને દિલ્હી હાઈકોર્ટમાં એક પિટિશન કરવામાં આવી છે અને તેમાં માંગ કરવામાં આવી છે કે, આ ફંડને સરકારી ફંડ જાહેર કરવામાં આવે. તેની પારદર્શિતા જળવાઈ રહે તે માટે તેને આરટીઆઈ હેઠળ પણ લાવવાની જરૂર છે.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope