ચુસ્ત બંદોબસ્ત છતાં જેલમાં કેદીઓની મારામારી
અજ્જુ કાણિયા અને સુનિલ પરમારની વચ્ચે ઝઘડો થયો હતો : સુનિલે છતનું પતરૂં અજ્જુના ગળા પર ફેરવી દીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાઃ
વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચેની મારામારીમાં કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીયાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા સમયથી જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા અન્ય કેદીઓ સાથે રહેતા અજ્જુને જેલમાં ઉગ્ર બોલાચાલી થયા બાદ કેદીઓ દ્વારા તેની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાદમાં અજ્જુને સયાજી હોસ્પિટલ ખસેડાતા ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરમાં ક્રાઈમ બ્રાન્ચે અજ્જુ કાણીયાની ધરપકડ કરી હતી. બાદમાં રિમાન્ડ મેળવીને તેને જેલ મોકલવામાં આવ્યો હતો.
સુત્રો મુજબ સેન્ટ્રલ જેલમાં અજ્જુ કાણીયાની હત્યાના આરોપમાં સજા ભોગવી રહેલા માથાભારે સુનિલ પરમાર કોઈ કારણોસર બબાલ થઈ હતી. અજ્જુ અને સુનિલ વચ્ચે બબાલમાં સુનિલે છતનું પતરૂં અજ્જુના ગળાના ભાગે ફેરવી દીધું હતું. અજ્જુને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ ઝઘડામાં બચાવવા માટે વચ્ચે પડેલા કર્મચારીઓ અને એક વ્યક્તિને પણ ઈજાઓ થઈ હતી. વડોદરા શહેરના માથાભારે અને ખંડણી સહિતના ગુનામાં સંડોવાયેલો કુખ્યાત અજ્જુ કાણીયાની વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યા થઇ છે. મીડિયા રિપોર્ટ મુજબ કુખ્યાત અજ્જુ કાણીયા સામે અત્યાર સુધીમાં હત્યાની કોશિશ, લૂંટ, મારામારી અને ખંડણી સહિતના ૩૧થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત ૪ વખત પાસામાં પણ ધકેલવામાં આવ્યો હતો.
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન
કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
શ્વાસ લેવામાં તકલિફ ...
સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ
ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું
ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...
દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી
કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન
દેશના ખૂણે ખૂણ...
Top News
Today’s Headlines
Opinion Poll
Loading ...