ઝાલોદના પૂર્વ કાઉન્સિલરની હત્યા માટે ૪ લાખની સોપારી

ઝાલોદના પૂર્વ કાઉન્સિલરના મોતનો ભેદ ઉકેલાયો
હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરતા વધુ તપાસમાં અન્યોના નામ આવવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
ઝાલોદ નગરમાં ભાજપના અગ્રણી અને પાલિકાના પૂર્વ કાઉન્સિલર હિરેનભાઈ પટેલ ૨૭ સપ્ટેમ્બરનાં રોજ પોતાના મુવાડા પાણીની ટાંકી પાસે આવેલા ઘરેથી વહેલી સવારે નિયત ક્રમ મુજબ ચાલવા માટે નીકળ્યા હતા ત્યારે તેમનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેમા એક ખુલાસો થયો છે. પાલિકાનાં કાઉન્સીલર સાથે બનેલી ઘટના અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજીત કાવતરું હોવાનું બહાર આવ્યું છે. ઝાલોદનાં જ અજય કલાકે ચાર લાખ આપીને હિરેનભાઇ પટેલની હત્યા કરાવી હતી. આ અંગે દાહોદ એલસીબી, ગોધરા સાયબર ક્રાઈમ સહિતની ટિમોએ પર્દાફાશ કર્યો છે. હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હજી તપાસમાં વધુ નામ આવવાની શક્યતા છે. મૃતક હિરેનભાઇ પટેલનાં પરિવારે મોત નીપજતા આક્ષેપ કર્યો હતો કે, રાજકીય અદાવતમાં તેમની હત્યા થઇ છે. ઝાલોદના અજય કલાલે ચાર લાખ આપી હત્યા કરાવી હતી. જેમાં ગોધરાકાંડનો આરોપી ઈરફાન પાડાએ ઘટનાને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે હત્યામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, ૨૭ સપ્ટેમ્બરે ઝાલોદ નગર પાલિકાના ભાજપના કાઉન્સિલર મોર્નિંગ વોકમાં નીકળ્યા બાદ રસ્તાની નજીકની ઝાડીઓમાંથી ઘાયલ અવસ્થામાં મળ્યા હતાં.સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત થઇ ગયું હતું. ઝાલોદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હિરેનભાઇ પટેલ નગરની સહકારી બેન્કો, માર્કેટ યાર્ડ, કેળવણી મંડળ સહિતની તમામ સંસ્થાઓમાં જોડાયેલા હતા. સતત ત્રણ ટર્મથી નગર પાલિકામાં ચૂંટાઈ આવતા હતા.

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope