ગુજરાતમાં કોરોનાના નવા ૧૧૭૫ કેસ : ૧૧નાં મૃત્યુ થયા

૨૪ કલાકમાં ૧૪૧૪ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
અત્યાર સુધીમાં કુલ ૫૧૬૫૬૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા તેમજ ૧૩૬૫૪૧ લોકો સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર,તા.૧૪
રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૭૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૪૧૪ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના ૧૧ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૧,૫૫,૦૯૮ એ પહોંચી ગયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં સુરતમાં ૨૫૨, અમદાવાદમાં ૧૮૨, વડોદરામાં ૧૧૭, રાજકોટમાં ૧૦૫, જામનગરમાં ૮૫, મહેસાણામાં ૩૭, કચ્છમાં ૨૦, પંચમહાલમાં ૧૯, અમરેલીમાં ૨૮, બનાસકાંઠા ૧૧, સાબરકાંઠામાં ૧૯ , મોરબીમાં ૧૪, ભરૂચમાં ૨૫ સુરેન્દ્રનગરમાં ૧૨૩ કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં ૪૬, જૂનાગઢમાં ૪૧, પાટણમાં ૨૩, ગીરસોમનાથમાં ૧૮, નર્મદામાં ૫, ભાવનગરમાં ૨૦, દાહોદમાં ૧૦, આણંદ ૧૨, બોટાદમાં ૨, ખેડામાં ૬, દેવભૂમિ દ્વારકામાં ૧૧, છોટાઉદેપુર ૪, મહીસાગરમાં ૮, નવસારીમાં ૧૦, અરવલ્લી ૬, તાપીમાં ૭, વલસાડમાં ૩ મળીને કુલ ૧૧૭૫ કેસ નોંધાયા છે. રાજ્યમાં સરકારી ચોપડે એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કુલ ૧૪૯૫૯ દર્દીઓ એક્ટિવ છે, આ પૈકીના ૭૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૧૪૪૮૦ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં ૧,૩૬,૫૪૧ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે અત્યારસુધીમાં સરકારી ચોપડે ૩૫૮૯ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમિયાન રાજ્યમાં આજે ૫૦,૯૯૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તી જ્યારે રાજ્યનો રિકવરી દર ૮૮.૦૪ ટકાએ પહોચ્યો હતો. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સાથે સાથે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. દરમિયાન આ બધાની વચ્ચે આજે રાજ્યમાં અમદાવાદમાં ૪, સુરતમાં ૩, વડોદરામાં ૧ અને ગાંધીનગરમાં ૧, પાટણ-રાજકોટમાં ૧-૧ મળીને કુલ ૧૧ દર્દીના સરકારી ચોપડે નિધન થયા છે. જ્યારે આજે સૌથી વધુ દર્દીઓ સુરત કોર્પોરેશનમાં ૧૮૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ સુરતમાં દર્દીઓ ઘટ્યા છે અને ડિસ્ચાર્જ વધ્યા છે.
રાજ્યમાં કોરોનાના કેસ
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૧૭૫ કેસ સપાટી પર આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.
સુરત કોર્પોરેશન ૧૭૪, અમદાવાદ કોર્પોરેશન ૧૬૫, સુરત ૭૮
વડોદરા કોર્પોરેશન ૭૭, રાજકોટ કોર્પોરેશન ૭૬, જામનગર કોર્પોરેશન ૬૦, વડોદરા ૪૦,
મહેસાણા ૩૭, રાજકોટ ૨૯
અમરેલી ૨૮, ગાંધીનગર કોર્પોરેશન૨૭,
ભરૂચ ૨૫, જામનગર ૨૫, પાટણ ૨૩, સુરેન્દ્રનગર ૨૩, જુનાગઢ ૨૧, જુનાગઢ કોર્પોરેશન ૨૦,
કચ્છ ૨૦, ગાંધીનગર ૧૯, પંચમહાલ ૧૯, સાબરકાંઠા ૧૯, ગીર સોમનાથ ૧૮, અમદાવાદ ૧૭,
ભાવનગર કોર્પોરેશન ૧૪, મોરબી ૧૪, આણંદ ૧૨, બનાસકાંઠા ૧૧,
દેવભૂમિ દ્ધારકા ૧૧, દાહોદ ૧૦, નવસારી ૧૦, મહીસાગર ૮, તાપી ૭, અરવલ્લી ૬, ભાવનગર ૬
ખેડા ૬, પોરબંદર ૬, નર્મદા ૫, છોટા ઉદેપુર ૪, વલસાડ ૩, બોટાદ ૨

 
latest news
ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ૯૨ વર્ષની વયે નિધન

કોરોનાની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

શ્વાસ લેવામાં તકલિફ ...

સભા પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભારે વિરોધ

ભાજપ અબડાસામાં ચારેબાજુથી ભીંસાયું

ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી ...

દેશની છેવાડા સુધીની વ્યક્તિને કોરોનાની રસી અપાશે : મોદી

કોરોનાની વેક્સિનને લઈને વડાપ્રધાનનું દેશને આશ્વાસન

દેશના ખૂણે ખૂણ...

Top News
Today’s Headlines
Opinion Poll

Who is next CM of Gujarat?

View Results

Loading ... Loading ...
today’s market
today’s weather
today’s horoscope